બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:42 AM, 30 December 2025
Bangladesh Khaleda zia : બાંગ્લાદેશના રાજકારણમાં મહત્વનું સ્થાન ધરાવતા અને બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન બેગમ ખાલિદા ઝિયાનું અવસાન થયું છે. મંગળવારે વહેલી સવારે તેમણે ઢાકાની એવરકેર હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ 80 વર્ષના હતા અને લાંબા સમયથી બીમારીથી પીડાતા હતા. ખાલિદા ઝિયા છેલ્લા કેટલાક અઠવાડિયાથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. ડોક્ટરો તેમની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા હતા, પરંતુ તબિયત વધુ બગડતા અંતે તેમનું અવસાન થયું. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) દ્વારા આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
લાંબી બીમારી બાદ નિધન
ADVERTISEMENT
મીડિયા અહેવાલો પ્રમાણે ડોક્ટરોના જણાવ્યા મુજબ ખાલિદા ઝિયા અનેક ગંભીર રોગોથી પીડાતા હતા. તેમને લીવર સંબંધિત તકલીફ, ડાયાબિટીસ, સંધિવાની સમસ્યા તેમજ હૃદયની ગંભીર બીમારી હતી. થોડા સમય પહેલા તેમને ન્યુમોનિયા પણ થયો હતો અને શ્વાસ લેવામાં તકલીફને કારણે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. લગભગ એક મહિના કરતા વધુ સમયથી તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.

ADVERTISEMENT
દેશના પ્રથમ મહિલા વડા પ્રધાન
ખાલિદા ઝિયાનું રાજકીય જીવન ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યું છે. તેઓ બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડા પ્રધાન હતા. તેમણે બે વખત દેશનું નેતૃત્વ કર્યું હતું-પ્રથમ વખત 1991થી 1996 સુધી અને બીજી વખત 2001થી 2006 સુધી. તેઓ બાંગ્લાદેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને આર્મી ચીફ ઝિયાઉર રહેમાનના પત્ની હતા. તેમના નેતૃત્વ દરમિયાન દેશના રાજકારણમાં મોટા ફેરફારો જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
દેશભરમાં શોકની લાગણી
ADVERTISEMENT
ખાલિદા ઝિયાનાં અવસાનથી બાંગ્લાદેશમાં શોકની લાગણી ફેલાઈ છે. તેમના સમર્થકો, પાર્ટીના કાર્યકરો અને દેશના અનેક નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. રાજકીય ક્ષેત્રે તેમનું યોગદાન હંમેશા યાદ કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.