બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / અમેરિકી હુમલામાં ભારતીયોના મોત પર ભડક્યાં વિદેશ મંત્રી જયશંકર, લગાવ્યો રૂબિયોને ફોન

વર્લ્ડ / અમેરિકી હુમલામાં ભારતીયોના મોત પર ભડક્યાં વિદેશ મંત્રી જયશંકર, લગાવ્યો રૂબિયોને ફોન

Jinal Chauhan

Last Updated: 07:38 AM, 13 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખાડી વિસ્તારમાં અમેરિકી નૌકાદળના હુમલામાં ત્રણ ભારતીય નાવિકોના મોત થતાં ભારતે કડક વાંધો નોંધાવ્યો છે. આ ગંભીર ઘટનાને લઈને વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોને ફોન કરીને ભારતની નારાજગી વ્યક્ત કરી અને વેપારી જહાજો પરના હુમલાઓને અસ્વીકાર્ય ગણાવ્યા છે.

ખાડી વિસ્તારમાં એક વેપારી જહાજ પર થયેલા અમેરિકી નૌકાદળના હુમલામાં ત્રણ ભારતીય નાવિકોના મોત થયા બાદ ભારતે કડક વાંધો નોંધાવ્યો છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોને ફોન કરીને ભારતની ગંભીર ચિંતા અને વિરોધ વ્યક્ત કર્યો હતો.જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપતાં જણાવ્યું કે તેમણે રૂબિયો સાથે વાતચીત દરમિયાન સ્પષ્ટ કહ્યું કે વેપારી જહાજો સામે આવી જીવલેણ કાર્યવાહી યોગ્ય નથી. ભારતીય નાવિકોના મોત પર ભારતે પોતાની નારાજગી ફરીથી વ્યક્ત કરી છે.

આ ઘટના બાદ ભારતના વિદેશ મંત્રાલયે નવી દિલ્હીમાં અમેરિકી રાજદૂતાવાસના વરિષ્ઠ અધિકારીને પણ તલબ કરીને સખત વિરોધ નોંધાવ્યો હતો. ભારતે આ હુમલાને “ખૂબ જ ચિંતાજનક” ગણાવ્યો છે અને વેપારી જહાજોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે.

ત્રણ નાવિકોના મોત

ઓમાનના દરિયાકાંઠા નજીક પાલાઉ ધ્વજવાળા તેલ ટેન્કર MT Setebello પર થયેલા હુમલામાં કુલ 24 ભારતીય ક્રૂ સભ્યો સવાર હતા. તેમાંના 21 લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે ત્રણ ભારતીય નાવિકોના મોત થયા હતા. મૃતકોમાં ડેક કેડેટ આદિત્ય શર્મા, એન્જિન ફિટર શિવાનંદ ચૌરસિયા અને ચીફ એન્જિનિયર પટનાલા સુરેશનો સમાવેશ થાય છે.

અમેરિકન સેનાએ કર્યો લૂલો બચાવ

આ ઘટનાને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પ્રતિક્રિયાઓ સામે આવી છે. આંતરરાષ્ટ્રીય સમુદ્રી સંગઠન (IMO) એ નાવિકોની સુરક્ષાને જોખમમાં મૂકતી કોઈપણ કાર્યવાહીનો કડક વિરોધ કર્યો છે. IMOના મહાસચિવ આર્સેનિયો ડોમિંગેઝે જણાવ્યું કે આવી ઘટનાઓ સ્વીકાર્ય નથી અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. બીજી તરફ અમેરિકી સેનાએ પોતાના બચાવમાં દાવો કર્યો છે કે જહાજે અમેરિકી દળોની સૂચનાઓનું પાલન ન કર્યું હોવાથી કાર્યવાહી કરવામાં આવી હતી.

vtv hiring

આ પણ વાંચોઃ ''ભારતીય જહાજ પર હુમલા...'', અમેરિકન રાજદૂતને સમન્સ પાઠવતા ટ્રમ્પે આ શું કહ્યું?

ઘટના બાદ ભારત સરકારે તમામ સંબંધિત સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર રહેવા અને ભારતીય નૌસેના તેમજ આંતરરાષ્ટ્રીય સમુદ્રી સંસ્થાઓ સાથે સતત સંકલન રાખવા સૂચના આપી છે. ભારતે વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા માટે સંવાદ અને કૂટનીતિક પ્રયાસો વધારવાની પણ અપીલ કરી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indian Sailors Rubio Jaishankar
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ