બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / તમારા કામનું / 'વર્ક ફ્રોમ હોમ' બધાને જોઈએ પણ લોકોને નથી દેખાતું આ મોટું નુકશાન

હેલ્થ / 'વર્ક ફ્રોમ હોમ' બધાને જોઈએ પણ લોકોને નથી દેખાતું આ મોટું નુકશાન

Nirav Kumar

Last Updated: 04:10 PM, 10 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યારથી લોકડાઉન આવ્યું હતું ત્યારથી વર્ક ફ્રોમ હોમ કલ્ચર અસ્તિત્વમાં આવ્યું હતું. હવે અનેક લોકો એવા છે જે માત્ર વર્ક ફ્રોમ હોમ જ કરવા માંગે છે. પણ એક સ્ટડીમાં ચિંતાજનક બાબત સામે છે. જેમાં તેનાથી વ્યક્તિના બિહેવ પર નકારાત્મક અસર જોવા મળે છે.

COVID-19 વખતે લોકોને વર્ક ફ્રોમ હોમ કરવાની ફરજ પડી. જેનાથી લોકો ઘરેથી કામ કરી શકતા હતા. આ પેંડેમીક દરમિયાન લોકોના જીવનમાં આવેલું વર્ક ફ્રોમ હોમ ત્યારથી લાખો લોકોના જીવનનો ભાગ બની ગયું છે. તેને ઓફિસ જવાની ઝંઝટ દૂર કરી, સમય બચાવ્યો અને સુગમતા આપી હતી કરી. આથી આજે પણ ઘણા લોકો ઘરેથી કામ કરવાનો ઓપ્શન છોડવા તૈયાર નથી. તેઓ આ સુવિધા માટે તેમના પગારમાં થોડો સમાધાન કરવા પણ તૈયાર છે.

પરંતુ જે લોકો વર્ક ફ્રોમ હોમ કરવાનું પસંદ કરે છે તેમના માટે અમુક ખરાબ સમાચાર છે. એક નવી સ્ટડી વર્ક ફ્રોમ હોમના બીજા પાસાં તરફ ધ્યાન દોર્યું છે. આ સ્ટડી મુજબ ઘરેથી કામ કરતા લોકોમાં એકલતા, ચિંતા અને હતાશા જેવી માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી રહી છે. તેમની સોશિયલ એક્ટીવીટી પણ ઘટી રહી છે, અને તેઓ પહેલા કરતા વધુ લોનલી ફિલ કરી રહ્યા છે.

  • વર્ક ફ્રોમ હોમ માટે સેલરી છોડવા પણ તૈયાર

ન્યુ યોર્ક ફેડરલ રિઝર્વ બેંકના અર્થશાસ્ત્રી નતાલિયા ઇમેન્યુઅલ અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલ આ સ્ટડીમાં જાણવા મળ્યું છે કે લોકો ઘરેથી કામ કરવાની સુવિધાનો આનંદ માણવા માટે તેમની આવકના 4% થી 10% છોડી દેવા તૈયાર છે. આ દર્શાવે છે કે વર્ક ફ્રોમ હોમ કરવાની માંગ ખૂબ જ છે. પણ તેમની સ્ટડીમાં એ પણ બહાર આવ્યું છે કે વર્ક ફ્રોમ હોમ કરતા લોકો કામ કરતી વખતે વધુ સમય એકલતામાં પસાર કરે  છે, મનોચિકિત્સકોની મુલાકાત લે છે અને તેમની માનસિક સ્થિતિનું નકારાત્મક મૂલ્યાંકન થાય છે.

hiring vtv 1
  • વર્ક ફ્રોમ હોમથી કેવી રીતે આવે છે બદલાવ ?
    શિકાગો યુનિવર્સિટીના બૂથ સ્કૂલ ઓફ બિઝનેસમાં બિહેવિયર સાયન્સના પ્રોફેસર નિકોલસ એપ્લી કહે છે કે લોકો વર્ક ફ્રોમ હોમ કરવાનું પસંદ કરીને તેમના પોતાના હિતોની વિરુદ્ધ નિર્ણયો લઈ રહ્યા હોઈ શકે છે. તેમના મતે લોકો ટ્રાફિક, લાંબી મુસાફરી અને ઓફિસ પહોંચવાની રોજિંદી મુશ્કેલીઓ જુએ છે. પરંતુ તેઓ એ સમજતા નથી કે દૈનિક મુસાફરી અને સામાજિકતા ભવિષ્યમાં તેમના માનસિક સ્વાસ્થ્ય પર કેટલી અસર કરી શકે છે. એપ્લી કહે છે કે લોકો ઘણીવાર બીજા લોકો સાથે જોડાવા અને વાતચીત કરવાના ફાયદાઓને ઓછો અંદાજ લગાવે છે.

વૈજ્ઞાનિકોએ યુ.એસ.માં પાંચ મુખ્ય રાષ્ટ્રીય સર્વેક્ષણોમાંથી ડેટાની તપાસ કરી અને બે પ્રકારની નોકરીઓની તુલના કરી હતી.

  1. રિમોંટેબલ જોબ્સ: આ એવી નોકરીઓ છે જે ઘરેથી કરી શકાય છે. આમાં સોફ્ટવેર એન્જિનિયરિંગ, માર્કેટિંગ, આઇટી અને ઘણી ડિજિટલ નોકરીઓ સામેલ છે.
  2. નોન રિમોંટેબલ જોબ્સ: એવી નોકરીઓ જે ઘરેથી શક્ય નથી. તેમાં સર્જરી, મિકેનિકલ એન્જિનિયરિંગ અને બીજા ક્ષેત્ર-આધારિત નોકરીઓ સામેલ છે.

સ્ટડીમાં જાણવા મળ્યું છે કે રિમોંટેબલ જોબ્સમાં કામ કરતા લોકો ઘરેથી કામ કરતી વખતે એકલા વધુ સમય વિતાવવાનું શરૂ કર્યું. એકલા વિતાવેલા તેમના કલાકોમાં 58% નો વધારો થયો. આ સિવાય દિવસભર સંપર્ક વગર રહેવાની તેમની સંભાવના 72% વધી હતી. આનો મતલબ માત્ર ઓફિસમાં કોઈ સામ-સામે વાતચીત કરવાનો નથી. ઘણા લોકો આખા દિવસ માટે રૂબરૂ વાતચીત કર્યા વગર પસાર કરે છે. કોફી પીતી વખતે, બજારમાં જતી વખતે, કે શેરીમાં કોઈને જોતી વખતે પણ તેમની પાસે કોઈ વાતચીત થતી નથી. ઘણા લોકો આખા દિવસ માટે એક પણ વ્યક્તિ સાથે રૂબરૂ વાતચીત કર્યા વગર પસાર કરે છે.

આ સ્ટડીનું બીજું રસપ્રદ પરિણામ એ હતું કે ઘરેથી કામ કરતા લોકો કામ કર્યા બાદ પણ મિત્રો સાથે વધુ સમય પસાર કરતા નથી. મતલબ કે ઓફિસમાં તેઓ જે પબ્લિક કોન્ટેક્ટ ગુમાવે છે તેની ભરપાઈ સાંજે કે રજાઓ દરમિયાન પણ થતી નથી.

નિકોલસ એપ્લી જણાવે છે કે આ તારણ આશ્ચર્યજનક નથી, કેમ કે અસંખ્ય અભ્યાસોએ અગાઉ દર્શાવ્યું છે કે એકલતા અને ઓછી સોહિયેલ એક્ટિવિટી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય બંનેને નુકસાન પહોંચાડે છે. એક્સપર્ટ અનુસાર, લાંબા સમય સુધી એકલતા માત્ર માનસિક સ્વાસ્થ્ય જ નહીં પરંતુ શારીરિક સ્વાસ્થ્ય પર પણ નકારાત્મક અસર કરે છે. એકલતા રોગપ્રતિકારક શક્તિને કમજોરબનાવી શકે છે, હૃદય અને નર્વસ સિસ્ટમને અસર કરી શકે છે અને તણાવ અને હતાશામાં વધારો કરી શકે છે. એ પણ જાણવા મળ્યું છે કે સારા સામાજિક સંબંધો સુખી અને પરિપૂર્ણ જીવનની ચાવી છે.

  • નાની નાની વાતચીત પણ ફાયદાકારક
    એક્સપર્ટ જણાવે છે કે માનવીઓ માટે સોશિયલ ગેધરિંગ અને પોતાનાપણાની ભાવના જરૂરી છે. તેમના મતે જો આ જરૂરિયાત પૂરી ન થાય તો લોકો માનસિક તકલીફ અનુભવવા લાગે છે.

વધુ વાંચો :PM મોદીની અપીલ બાદ એક્શનમાં SEBI, વર્ક ફ્રોમ હોમ સહિત લીધા મહત્વના નિર્ણય

  • શું દરેક વ્યક્તિએ હવે ઓફિસ પાછા ફરવું જોઈએ?

એક્સપર્ટ અનુસાર આ સ્ટડીનો મતલબ એ નથી કે બધી કંપનીઓએ તેમના કર્મચારીઓને ઓફિસ આવવા માટે દબાણ કરવું જોઈએ. જો કે કંપનીઓએ સમજવું જોઈએ કે ઘરેથી કામ કરવાથી માનસિક સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે. આથી ઓફિસનું વાતાવરણ એવી રીતે બનાવવું જોઈએ કે લોકો ત્યાં આવવાનો આનંદ માણે. જો કર્મચારીઓને ઓફિસમાં બોલાવવામાં આવે તો એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેમના કલીગ હાજર હોય જેથી તેમને બીજા લોકો સાથે સોશિયલાઈઝ અને વાતચીત કરવાનો મોકો મળે.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Work From Home Social Gathering Remotable Jobs
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ