બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:48 PM, 29 April 2026
મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા જીયો પોલીટીકલ તણાવની સીધી અસર હવે ભારતીય નાગરિકો અને કંપનીઓના ખિસ્સા પર પડી રહી છે. જેમાં રેટિંગ એજન્સી ICRA મુજબ જો વર્તમાન પરિસ્થિતિઓ ચાલુ રહે તો નાણાકીય વર્ષ 2027 સુધીમાં LPG પર અંડર-રિકવરી આશરે 80,000 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. અંડર-રિકવરીનો મતલબ એ કે ઓઈલ કંપનીઓ તેમની અસલી કિંમત કરતા ઓછી કિંમતે ગેસ સિલિન્ડર વેચે છે, અને તેમને આ તફાવતને સહન કરવો પડે છે. આ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) ની કમાણી અને નફા પર સીધી અસર કરી રહી છે.
ADVERTISEMENT
ગ્લોબલ લેવલે ક્રૂડ ઓઇલના ભાવ ઊંચા રહ્યા છે જ્યારે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે. તેનાથી કંપનીઓના માર્જિન પર દબાણ વધ્યું છે. એવો અંદાજ છે કે જો ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ 120-125 ડોલરની આસપાસ રહે તો પેટ્રોલ પર પ્રતિ લિટર 14 રૂપિયા અને ડીઝલ પર પ્રતિ લિટર 18 રૂપિયા સુધીનું નુકસાન થઈ શકે છે. આ સિવાય મિડલ ઇસ્ટમાંથી LPG સપ્લાયમાં વિક્ષેપોને કારણે ઇન્ટરનેશનલ માર્કેટમાં ગેસના ભાવમાં મોટો વધારો થયો છે.

ADVERTISEMENT
પરંતુ ભારતે અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાંથી LPG આયાત વધારીને પુરવઠાને કંઈક અંશે બેલેન્સ કર્યો છે, તેમ છતાં કંપનીઓનું નુકસાન હજુ પણ ઘટાડવામાં નિષ્ફળ રહ્યું છે. આ અસર માત્ર ગેસ ક્ષેત્ર સુધી મર્યાદિત નથી. આ સ્થિતિ ફર્ટિલાઇઝર, કેમિકલ અને શહેર ગેસ વિતરણ જેવા અનેક ક્ષેત્રો પણ પ્રભાવિત થઈ રહ્યા છે. જેમાં ખાસ કરીને ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રી,એમોનિયા અને સલ્ફર જેવા કાચા માલના વધતા ભાવે ઉત્પાદન ખર્ચમાં મોટો વધારો કર્યો છે.
જેના લીધે સરકારનો સબસિડી બોજ વધવાની શક્યતા છે. ICRAનો અંદાજ છે કે ખાતર સબસિડી નાણાકીય વર્ષ 2027 માં 2.05 લાખ કરોડથી 2.25 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે, જે વર્તમાન બજેટ કરતા ખુબ વધારે છે. આ દરમિયાન કેમિકલ અને પોલિમર ક્ષેત્રોમાં વધતા ખર્ચ કંપનીઓના માર્જિન પર દબાણ લાવશે, પણ અમુક વિશેષ કેમિકલ કંપનીઓ પ્રમાણમાં સુરક્ષિત રહી શકે છે.
ADVERTISEMENT
આમ, વધતી એનર્જીની કિંમતો અને પુરવઠાની અનિશ્ચિતતા નજીકના ભવિષ્યમાં અનેક ક્ષેત્રોની કમાણીને અસર કરી શકે છે. જ્યારે સરકાર અને કંપનીઓ પરિસ્થિતિને કંટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહી છે, જો પરિસ્થિતિ ટૂંક સમયમાં સુધરશે નહીં તો તેની અસર સામાન્ય ગ્રાહક સુધી પહોંચી શકે છે.
ADVERTISEMENT
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.