બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / Why fake trade in offerings of faith? Where did fake ghee come from, where was it made?
Vishal Khamar
Last Updated: 09:41 PM, 5 October 2023
અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદમાં વપરાતું ઘી બનાવટી હોવાની ચર્ચાએ જે જોર પકડ્યું હતું તેના પડઘા હજુ યથાવત છે. હવે એક સૂરમાં સરકાર અને વહીવટીતંત્ર એવું કહી રહ્યા છે કે ભાદરવી પૂનમના મેળામાં ભક્તોને જે મોહનથાળનો પ્રસાદ અપાયો તેમાં બનાવટી ઘીનો ઉપયોગ નથી થયો. સામે પક્ષે બે દિવસની તપાસ પછી જ્યાંથી બનાવટી ઘી આવ્યું હોવાનું માલૂમ પડ્યું હતું તે નીલકંઠ ટ્રેડર્સનો માલિક જતિન શાહ પોલીસના હાથે પકડાઈ ગયો છે. એવી આશા છે કે અનેક ખુલાસાઓ બહાર આવશે જેની અપેક્ષા સૌ કોઈ રાખી રહ્યું છે. અહીં પાયાનો પ્રશ્ન એટલો જ છે કે જ્યાં કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે એવા વિષયમાં બનાવટનો વેપાર થઈ જ કેમ શકે?
મિલાવટખોરો નાગરિકોની શ્રદ્ધા અને જીવની પણ દરકાર ન કરે એટલી હદે નિષ્ઠુર અને નપાવટ શા માટે થઈ ગયા છે?. અહીં જતિન શાહ જેવા આરોપીને પણ એ સવાલ કરવો ઘટે કે તમને રેડની જાણ થઈ તો નાસી કેમ ગયા?. તમે એટલે નાસી ગયા કારણ કે તમારી દાનતમાં અને તમારા ઘી બંનેમાં મેલી મથરાવટી હતી. ફૂડ એન્ડ ડ્રગ વિભાગને પણ એ સવાલ ચોક્કસ કરવો પડે મિલાવટખોરોને તમારો ડર કેમ નથી?, કોઈને શંકા જાય કે કોઈ ફરિયાદ કરે ત્યારે જ જાગવાનું અને ત્યાં સુધી ઉંઘતા રહેવાનું?
અંબાજીમાં પ્રસાદનો વિવાદ મુદ્દે જવાબ મેળવવાના બાકી છે. જ્યાંથી નકલી ઘી આવ્યું તે નીલકંઠ ટ્રેડર્સનો માલિક ઝડપાયો છે. નીલકંઠ ટ્રેડર્સનો માલિક જતીન શાહ બે દિવસથી ફરાર હતો. અંબાજી મંદિરમાં પ્રસાદ બનાવવાનું કામ મોહિની કેટરર્સ પાસે હતું. મોહિની કેટરર્સે ઘીના 300 ડબ્બા નીલકંઠ ટ્રેડર્સ પાસેથી ખરીદ્યા હતા. અમદાવાદના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે રેડ કરી હતી. ડબ્બાઓનું સ્પેસિફિકેશન, લેબલ ધારાધોરણ મુજબનું ન હતું. નકલી ઘીનો પ્રસાદમાં ઉપયોગ થયાનો દાવો કેટલો સાચો? વહીવટીતંત્ર આવા દાવાને નકારે છે. વહીવટીતંત્રનો દાવો છે કે ભક્તોને અશુદ્ધ પ્રસાદ મળ્યો નથી.
આ સવાલના મળશે જવાબ?
`બનાવટ'નો કોન્ટ્રાક્ટ કોની પાસે?
ધારાસભ્ય કાંતિ ખરાડીએ શું કહ્યું?
અંબાજી પ્રસાદનો કોન્ટ્રાક્ટ નવી એજન્સીને પણ ન આપવો જોઈએ. અક્ષયપાત્ર સંસ્થાનું નામ પણ ખરડાયેલું છે. અગાઉ મોહિની કેટરર્સ પ્રસાદ બનાવતી હતી જેના સેમ્પલ નિષ્ફળ ગયા. અક્ષયપાત્ર સંસ્થાની સિસ્ટર કંપની ટચ સ્ટોનને પ્રસાદનું કામ અપાયું છે. અગાઉ ટચ સ્ટોન કંપની દૂધના પાવડરમાંથી પ્રસાદ બનાવતી હતી. અંબાજી મંદિરે કંપનીને દંડ પણ ફટકાર્યો હતો. જે કંપનીએ ભેળસેળ કરી તેને ફરી શા માટે કામ અપાયું? અંબાજી મંદિરનો અનુભવી સ્ટાફ પહેલા પ્રસાદ બનાવતો જ હતો. અંબાજી મંદિરમાં સ્ટાફ છે તો બહારની એજન્સીને કોન્ટ્રાક્ટ કેમ?. દૂધના પાવડરનો ઉપયોગ કરવાનો નિર્ણય મનસ્વી રીતે કેમ લેવાયો?
બનાસકાંઠા કલેક્ટરે શું કહ્યું?
ટચ સ્ટોન ફાઉન્ડેશન કંપની ઘણા શહેરમાં કામ કરે છે. 2012 થી 2017 સુધી કંપનીએ મોહનથાળ બનાવવાનું કામ કર્યું હતું. ભીડ વધુ હોવાથી મોહનથાળ બનાવવા દૂધના પાવડરનો ઉપયોગ થયો. પ્રસાદ લાંબો સમય ટકી રહે તે માટે દૂધનો પાવડર વપરાયો હતો. દૂધનો પાવડર વાપરવાની મંજૂરી લીધી ન હતી એટલે દંડ ફટકાર્યો હતો. પ્રસાદની ડિમાન્ડ વધારે હતી એટલે દૂધનો પાવડર વાપર્યો હોવાની એજન્સી દ્વારા દલીલ કરી હતી. પહેલા કરતા અમારી સિસ્ટમ વધુ મજબૂત છે. આક્ષેપ કરનારા આક્ષેપ કરતા રહે, અમે કામ કરતા રહીશું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime