બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'ગોપાલ ઈટાલિયા પર કેમ ફેંક્યું જૂતું'? આરોપી છત્રપાલ સિંહ જાડેજાએ કહ્યું, જાણીને હેરત થશે
Last Updated: 03:11 PM, 6 December 2025
જામનગર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો યાત્રાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જે યાત્રા બાદ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જાહેર સભામાં એક વ્યક્તિ દ્વારા આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવામાં આવતા મામલો ગરમાઈ જવા પામ્યો હતો. પોલીસે તાત્કાલીક તે શખ્સની અટકાયત કરી હતી.
ADVERTISEMENT
પોલીસ દ્વારા શખ્સની પૂછપરછ કરવામાં આવી
પોલીસ દ્વારા તે શખ્સની પૂછપરછ કરતા તેનું નામ છત્રપાલસિંહ જાડેજા અને તે મેમાણા ગામે રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવા બાબતે શખ્સે જણાવ્યું હતું ક, અગાઉ ગુજરાત રાજ્ય સરકારના તત્કાલીન મંત્રી પ્રદિપસિંહ જાડેજા પર ગોપાલ ઈટાલિયાએ જૂતું ફેંક્યું હતું. જે બાબતનો મને વસવસો રહી હયો હતો. મોકો જોઈને, મે મારા સમાજનો બદલો લીધો છે. આનાથી મને સંતોષ છે.
ADVERTISEMENT

કોણ છે છત્રપાલસિંહ જાડેજા
ADVERTISEMENT
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેકનાર છત્રપાલસિંહ જાડેજા કોંગ્રેસના કાર્યકર છે. તેમજ તેઓ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવવાને પોતાના ગુરૂ માને છે.

ADVERTISEMENT
જાહેરસભા દરમિયાન ચોંકાવનારી ઘટના સામે આવી
શુક્રવારે જામનગરમાં આમ આદમી પાર્ટીની જાહેરસભા દરમિયાન ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જ્યારે ભાષણ કરી રહ્યા હતા ત્યારે કોઈ અજ્ઞાત વ્યક્તિએ અચાનક મંચ તરફ બુટ ફેંક્યો હતો. આ અચાનક બનેલી ઘટના કારણે સભામાં કંઈક પળો માટે અફરાતફરીનું વાતાવરણ સર્જાયું હતું.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ ગોપાલ ઇટાલિયા પોતાનું ભાષણ ચાલુ રાખી રહ્યા હતા ત્યારે પાછળથી એક વ્યક્તિએ તેમને નિશાન બનાવી બુટ ફેંક્યો હતો. સદનસીબે ઈટાલિયાને કોઈ ઈજા થઈ નથી. પરંતુ આ ઘટના રાજકીય માહોલમાં ચર્ચાનો વિષય બની છે.
ADVERTISEMENT
ઘટનાસ્થળે હાજર સુરક્ષા કર્મીઓએ તરત જ કાર્યવાહી કરી હતી, પરંતુ બુટ ફેંકનાર વ્યક્તિ કોણ હતો અને તેનું હેતુ શું હતું તે અંગે હજુ સ્પષ્ટતા નથી. ગોપાલ ઇટાલિયાએ આ ઘટનાની બાદ પોલીસ સમક્ષ આક્ષેપો કર્યા છે અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આ પણ વાંચોઃ ઈન્ડિગો ફ્લાઈટ વિવાદ: અમદાવાદમાં યુવતી રડી પડી, 37 ટ્રેનમાં 116 વધારાના કોચ લગાવાયા
આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયો છે. જેના કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચા અને વિરોધની લહેર ફેલાઈ છે. આમ આદમી પાર્ટીના સ્થાનિક આગેવાનો પણ ઘટનાની નિંદા કરી છે અને સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલો ઉઠાવ્યા છે. પોલીસ હાલમાં આ ઘટનાની તપાસ શરૂ કરી ચૂકી છે અને જાહેરસભામાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવાની સૂચનાઓ આપવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.