બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / Politics / Who will face Surendranagar Lok Sabha seat? The caste equation is misleading

જનમત / સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર કોનો સપાટો? ચંદુ શિહોરા કે ઋત્વિક મકવાણા, જ્ઞાતિ સમીકરણ ભૂલા પાડે તેવું

Vishal Khamar

Last Updated: 10:50 PM, 17 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતની એક એવી બેઠક કે જ્યાં 23 વર્ષથી રાજસ્થાન પેટર્ન ચાલતી હતી. આ બેઠક એવી છે કે જ્યાં માત્ર એક જ વખત મહિલા સાંસદ ચૂંટાયા છે. આ બેઠક પર જ્યારથી ઉમેદવાર જાહેર થયા ત્યારથી વિરોધનો વંટોળ ઉઠ્યો છે. ત્યારે કઈ છે આ બેઠક અને શું છે આ બેઠકનું ગણિત.

સુરેન્દ્રનગર જિલ્લાની લોકસભાની ચૂંટણીનું રણસીંગુ  ફૂંકાઈ ચૂક્યું છે.ત્યારે સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પર ભાજપે ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપી છે અને કૉંગ્રેસ દવારા ઋત્વિક મકવાણાને ટિકિટ આપી છે.ત્યારે ચંદુભાઈ પોતે હળવદના છે અને ઠાકોર સમાજ માંથી આવે છે અને ઠાકોર સમાજના કુલ સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પર 1.81 લાખ મત છે.બીજી તરફ કૉંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા તળપદા કોળી સમાજ માંથી આવે છે અને તળપદા કોળી સમાજના કુલ 3.84 લાખ મત છે.

 

લોકસભામાં કેટલી વિધાનસભા સમાવિષ્ટ?
વિરમગામ 
ધંધુકા 
દસાડા 
લીંબડી
વઢવાણ
ચોટીલા 
ધ્રાંગધ્રા

બન્ને પક્ષના ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા પહેલા જ પ્રચારના શ્રી ગણેશ કર્યા છે.ત્યારે બન્ને પક્ષના સંગઠનના કાર્યકરો પણ પ્રચારમાં લાગી ગયા છે.અને ખાસ કરી કૉંગ્રેસ ના ઉમેદવાર ઋત્વિક મકવાણા સાથે આપના નેતાઓ પણ પ્રચારમાં જોડાયા છે.ત્યારે ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા પણ પ્રચાર માં જોડાયા છે પરંતુ હાલ ક્ષત્રિય સમાજની પરસ્તોતમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે જિલ્લાના ગામડાઓમાં પ્રવેશ બંધીના બેનરો લાગ્યા છે જેથી પ્રચારના કાર્યક્રમમાં ભાજપને ફેરફાર કરવા પડી રહ્યા છે.

કોણ છે ચંદુભાઈ શિહોરા?

  • ચંદુભાઇ શિહોરા ચુંવાળિયા કોળી છે
  • ચંદુભાઈ મૂળ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતા છે
  • મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પણ રહી ચૂક્યા છે
  • ચંદુભાઇ ઉધોગપતિ સાથે સારા સંબંધો ધરાવે છે
  • વ્યસાયમાં ખેતી અને ઉધોગ સાથે સંકળાયેલા છે

કોણ છે ઋત્વિક મકવાણા?

  • તળપદા કોળી સમાજના મોટા નેતા તરીકે તેમની ગણના થાય છે
  • ઋત્વિક મકવાણા પોતે ખાનદાની રાજકીય નેતા તરીકે જાણીતા છે
  •  2017માં ચોટીલા બેઠક પર વિધાનસભાના ધારાસભ્ય રહ્યા અને 2022માં હાર થઈ
  • તેમના દાદા કરમશી મકવાણા પોતે કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે
  • તમને અન્ય એક દાદા સવસીભાઈ મકવાણા પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે
  • ઉત્તર બુનિયાદી શિક્ષણ સંસ્થાઓ સાથે જોડાયેલા છે

સુરેન્દ્રનગર લોકસભા બેઠકનો ઈતિહાસ

  • સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર કોળી મતદારોનું પ્રભુત્વ 
  • છેલ્લી પાંચ ટર્મમાં બે વખત કોંગ્રેસ અને 3 વખત ભાજપના ઉમેદવારની જીત 
  • સોમા પટેલ અને સાવસીભાઈ મકવાણા આ બંને કોંગ્રેસમાંથી સાંસદ બન્યાં
  • દેવજીભાઈ ફતેપરા અને ડૉ.મહેન્દ્ર મુંજપરાની ભાજપમાંથી સાંસદ બન્યાં
  • ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ અહીં કોળી ઉમેદવાર પસંદ કરે છે

સુરેન્દ્રનગર લોકસભા બેઠકનું જ્ઞાતિ સમીકરણ

  • તળપદા કોળી સમાજના લોકોના મત સૌથી વધુ
  • તળપદા કોળી સમાજના અંદાજે 3 લાખ 83 હજર મત છે
  • કોળી સમાજ પછી ઠાકોર અને ક્ષત્રિય સમાજ આવે છે
  • અનુસૂચિત જાતિના મતદારો,પાટીદાર અને આહીર સમાજનું પણ વર્ચસ્વ 
  • મુસ્લિમ સમાજના મતદારોની સંખ્યા પણ નોંધપાત્ર છે
  • ચૂંટણી સમયે પાટીદાર,આહીર અને ક્ષત્રિય મતદારો પણ બાજી પલટી શકે

કોણ છે ચંદુભાઈ શિહોરા..
------------------------------------------------
● ચંદુભાઈ મૂળ કૉંગ્રેસ માંથી ભાજપમાં આવેલ નેતા છે..
● મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પણ રહી ચૂક્યા છે..
● ઠાકોર સમાજ માંથી આવે છે અને ઉધોગપતિ સાથે સારા સંબંધો ધરાવે છે..
● વ્યસાયમાં ખેતી અને ઉધોગ સાથે સંકળાયેલા છે..

કોણ છે ઋત્વિક મકવાણા
------------------------------------------------------------------
● ઋત્વિક મકવાણા પોતે ખાનદાની રાજકીય નેતા તરીકે જાણીતા છે.
● 2017માં ચોટીલા બેઠક પર વિધાનસભાના ધારાસભ્ય રહ્યા અને 2022 માં હાર થઈ..
● તેમના દાદા કરમશી મકવાણા પોતે કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે.
● તમને અન્ય એક દાદા સવસીભાઈ મકવાણા પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે.
● ઉત્તર બુનિયાદી શિક્ષણ સંસ્થાઓ સાથે જોડાયેલા છે.
● તળપદા કોળી સમાજના મોટા નેતા તરીકે તેમની ગણના થાય છે.

સુરેન્દ્રનગર લોકસભા બેઠકનો ઈતિહાસ

સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પર કોળી મતદાતાનું પ્રભુત્વ રહેલું છે ત્યારે છેલ્લા 5 ટર્મ થી 2 વખત કૉંગ્રેસ અને 3 વખત ભાજપના ઉમેદવાર ની જીત થઈ છે.ત્યારે સોમાભાઈ પટેલ અને સાવસીભાઈ મકવાણા આ બન્ને કૉંગ્રેસ માંથી સંસદ બન્યા હતા જ્યારે સોમાભાઈ પટેલ અને દેવજીભાઈ ફતેપરા અને ડૉ.મહેન્દ્ર મુંજપરા ભાજપ માંથી જીતી અને સંસદ બન્યા હતા.સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પર બોટાદ અમદાવાદ મોરબી જિલ્લાના ગામ આવી રહ્યા છે.આ બેઠક પર કોળી સમાજમાં નેતાઓને જ ટિકિટ બન્ને પક્ષ છેલ્લા 5 ટર્મ થી આપી રહ્યા છે..

વધુ વાંચોઃ આસ્થાનું 'રાજ'કારણ: રામમંદિરના વિરોધની વિચારધારા કોની, શું રામના નામે નેતાઓ તરે છે?
 

સુરેન્દ્રનગર લોકસભા બેઠકનું જ્ઞાતિ સમીકરણ

સુરેન્દ્રનગર લોકસભાની  બેઠક પર તળપદા કોળી સમાજના લોકોના મત સૌથી વધુ છે.જેમાં 3.83 લાખ મત છે. બીજા નંબરે ઠાકોર સમાજ અને ક્ષત્રિય સમાજ તેમજ મુસ્લિમ સમાજના વોટરોની સંખ્યા વધારે છે. અનુસૂચિત જાતિના મતદારપાટીદાર, આહીર અને ક્ષત્રિય મતદારોનો પણ પ્રભાવ ચૂંટણી સમયે પાટીદાર,આહીર અને ક્ષત્રિય મતદારો પણ બાજી પલટી શકે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ