બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / What to do to make the New Year full of joy and happiness? These resolutions will change your life radically, you will know how to live life
Vishal Khamar
Last Updated: 10:32 PM, 14 November 2023
ગુજરાતીઓનું નવું વર્ષ એટલે બેસતું વર્ષ. આજના દિવસે આપણને મિત્રો, પરિવારજનો અને સ્નેહીઓ તરફથી અઢળક શુભેચ્છા અને આશીર્વાદ મળ્યા. ટેકનોલોજીના જમાનામાં હવે મોબાઈલમાં ગણી ન શકાય તેટલા મેસેજ પણ રિસિવ થયા અને ફોર્વર્ડ પણ થયા.. જેમાંથી મોટાભાગના સંદેશનો સાર નવું વર્ષ, નવી આશા, નવા લક્ષ્ય, સપના અને નવા સંકલ્પ પુરા કરનારો હોય છે.. આમ જોઈ તો સંકલ્પ શબ્દ જ પોતાનામાં એક મહત્વતા ધરાવે છે.
કોઇ વિશેષ નહીં પણ સરળ સમજાય તેવી વ્યાખ્યા કરીએ તો પણ, કાર્ય કે લક્ષ્ય સિદ્ધ કરવા માટે પ્રતિબદ્ધ રહેવું તેનું નામ જ સંકલ્પ. સંકલ્પ પૂર્ણ ન થાય, સિદ્ધ ન થાય ત્યાં સુધી લાગી રહેવું , સતત પ્રયત્નશીલ રહેવું. અને જો અવિરત પ્રયાસ થયા, નિષ્ઠાપૂર્વક સતત મંડ્યા રહ્યાં તો સંકલ્પ સિદ્ધિ વિના કોઇ છૂટકો જ નથી. જીવનમાં સંકલ્પનું મહત્વ શું છે? આજના સમયમાં કેવા સંકલ્પો જરૂરી છે? કેવા પ્રયાસો સંકલ્પોને સાકાર કરવામાં મદદરૂપ થાય? પ્રેરણાદાયી સંકલ્પો કેવા હોય છે? સ્વહિત અને રાષ્ટ્રહિતમાં કેવા સંકલ્પ લેવા જોઇએ?
નવા વર્ષમાં શું સંકલ્પ લઈએ?
પોતાનામાં રહેલા અવગુણોને દૂર કરીએ છીએ. વ્યસનને તિલાંજલી આપી દેશના વિકાસમાં ફાળો આપીએ. તેમજ શિક્ષિત બનીએ અને અન્ય લોકોને પણ શિક્ષિત બનાવીએ. જીવનમાં કયારેય ખોટું ન બોલવું, કોઈનું ખોટું ન ઈચ્છવાનો સંકલ્પ કરીએ. તેમજ જાતિ-ધર્મના વાડામાંથી મુક્ત બનીને માનવ ધર્મનું પાલન કરીએ. કોઈના મનને ઠેસ પહોંચે તેવા શબ્દ પ્રયોગ ન કરવા. જીવનમાં નવી ઉર્જાનો પ્રકાશ ફેલાય તેવા કાર્યો કરવા. જીવનમાંથી અંધકાર દૂર થાય, નવું અજવાળું પાથરવા પ્રયાસ કરવો. આરોગ્ય પ્રત્યે સભાન બનીએ, વ્યાયામને રોજિંદા જીવનમાં ઉમેરીએ. યોગને નિયમિત ક્રિયામાં સામેલ કરીને નિરોગી રહીએ.
સંકલ્પ શા માટે લેવામાં આવે છે?
સંકલ્પ લેવાથી આગામી સમયમાં શું કરવું તેનો રોડમેપ બની શકે છે. સંકલ્પના આધારે ભવિષ્યને કંડારવામાં આવે છે. સંકલ્પ સ્વપ્ન પૂર્ણ કરવાનું એક સાધન છે. મોટાભાગના સંકલ્પ સ્વાર્થ માટે લેવાતા હોય છે. કેટલાક સંકલ્પ પરિપૂર્ણ થઈ શકે તેમ હોતા નથી. કેટલાક એવા સંકલ્પ પણ હોય છે જેનાથી મુશ્કેલી સર્જાય છે. ઘણા લોકો દેખાદેખીથી પણ સંકલ્પ લેતા હોય છે. દેખાદેખી વાળા સંકલ્પમાં કોઈ નિષ્ઠા હોતી નથી. નિષ્ઠા ન હોવાથી તેને સિદ્ધ કરવા યોગ્ય પ્રયત્નો પણ થતાં નથી.
મનુષ્યએ આટલું તો કરવું જ જોઈએ
તમે કોઈ વ્યક્તિને મદદ ન કરી શકો તો તેના માટે ભગવાનને પ્રાર્થના કરો છો. વર્ષમાં એકવાર જરૂરિયાત મંદ વ્યક્તિને જરૂરથી મદદ કરો. કમાણીમાંથી દર મહિને 100 રૂપિયા અલગ રાખીને જરૂરિયાત મંદને મદદ કરો. થાળીમાં એટલું જ ભોજન લો જેટલું તમે જમી શકો, જમવાનું ક્યારેય અડધુ ન છોડો. ગમે ત્યાં કચરો ન ફેંકો, દેશ તમારો જ છે ઘરની જેમ દેશને સ્વચ્છ રાખો. વીજળીનો વેડફાટ ન કરીને અન્યને પ્રકાશ પુરો પાડો. કોઈપણ ભૂલ હોય સામે વાળા વ્યક્તિને માફી આપવાનો સંકલ્પ કરો. દિવસના હજારો કામ વચ્ચે પણ સ્મિત આપવાનું ન ભૂલો. હંમેશા હકારાત્મક વિચારધારા રાખો. ના પાડતા શીખો પણ ના પાડવામાં વિનમ્રતાને ક્યારેય ભૂલશો નહીં.
સ્વાસ્થ્ય માટે શું કરવું જોઈએ?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime