બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:11 AM, 8 May 2024
કેટલીકવાર આપણી પાસે એવી કરન્સી નોટ આવી જતી હોય છે જેને કોઈ દુકાનદાર, પેટ્રોલ પંપ કે બસમાં મુસાફરી કરતી વખતે કન્ડક્ટર પણ હાથમાં નથી પકડતા. નોટની ખરાબ હાલત હોવાથી લોકો એવી પણ સલાહ આપે છે કે, આ નોટ હવે બેંકમાં જઈને બદલાવી દેજો. પણ શું બેંકમાં ગમે તેટલી ખરાબ નોટ પણ બદલી શકાય ખરા? આ માટે રિઝર્વ બેન્કે કેટલાક નિયમો પણ બનાવ્યા છે. આજે તે નિયમ સમજવાનો પ્રયાસ કરીશું.
ADVERTISEMENT

નોટમાં આ વસ્તુ સહી સલામત જોઈએ
ADVERTISEMENT
જો તમારી પાસે એવી નોટ આવી ગઈ હોય જેનો સિરિયલ નંબર પણ ના દેખાતો તો એવી નોટ બદલી શકાય? આવી ખરાબ નોટો માટે બેંક દ્વારા નોટો બદલવાના કેટલાક માપદંડો બનાવ્યા છે. બેંક એવી જ નોટો બદલી આપે છે જેમાં કેટલાક સિક્યોરિટી સાઈન સહી સલામત હોય છે. તેમાં RBIના ગવર્નરની સહી, મહાત્મા ગાંધીનું વોટરમાર્ક, નોટનો સિરિયલ નંબર સહી સલામત હોવું જોઈએ. જો તમારી નોટમાં આ વસ્તુઓ ન હોય તો બેંક તમારી ફાટેલી નોટ બદલવાનો ઇનકાર કરી શકે છે. તમારી તેવી નોટો નહીં બદલી આપવામાં આવે જેમાં RBIના ગવર્નરની સહી, મહાત્મા ગાંધીનું વોટરમાર્ક, નોટનો સિરિયલ નંબર નહીં હોય.
વધુ વાંચો : માઈક્રોસોફ્ટે કરી 267 કરોડ રૂપિયાની લેન્ડ ડીલ, જાણો શું કરવાની છે કંપની
ADVERTISEMENT
આટલી નોટ જ બદલી અપાશે
RBIએ ફાટેલી નોટ બદલી આપવાની લિમિટ પણ નક્કી કરી છે. એક વખતમાં એક વ્યક્તિ,20 નોટો જ બદલી શકે છે જેની કીંમત વધુમાં વધું 5000 રૂપિયા જ હોવી જોઈએ. જો ફાટેલી નોટની કીંમત પાંચ હજારથી વધુની હશે તો નોટ નહીં બદલી દેવામાં આવે. 20 થી વધુ નોટો પણ નહીં બદલી આપવામાં આવે. જો તમે 5000થી વધુની નોટો બદલવા જાઓ છો તો તમને તરત પૈસા નહીં મળે બલ્કે તમારા એકાઉન્ટમાં પૈસા મોકલાશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.