બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ
PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત
રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ
રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી
છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ
જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર
VTV / VTV વિશેષ / Mahamanthan / જાણવું જરૂરી! કોવિશીલ્ડ રસીથી જોખમના આરોપનું સત્ય, આડઅસર અને તબીબોની સલાહ શું?
Last Updated: 08:59 PM, 1 May 2024
કોવિશીલ્ડ રસીથી જોખમનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. બ્રિટનની કંપની એસ્ટ્રાઝેનેકાના કોર્ટમાં સ્વીકાર બાદ ચર્ચા જાગી છે.. એસ્ટ્રાઝેનેકાએ સ્વીકાર્યું કે તેની રસીની આડઅસર છે. ભારતમાં સીરમ ઈન્સ્ટીટ્યૂટે કોવિશીલ્ડ રસી બનાવી હતી. કોવિશીલ્ડની બનાવટ એસ્ટ્રાઝેનેકાની ફોર્મ્યુલા ઉપર જ આધારિત હતી. કોવિશીલ્ડ રસીથી જોખમ હોવાના આરોપ થઈ રહ્યા છે. કોંગ્રેસે કોવિશીલ્ડ રસીને લઈને સરકાર ઉપર આરોપ મુક્યા છે
ADVERTISEMENT
એસ્ટ્રાઝેનેકાની કબૂલાત શું ?
એસ્ટ્રાઝેનેકાએ બ્રિટનની કોર્ટમાં પોતાની રસીની આડઅસર સ્વીકારી છે..એસ્ટ્રાઝેનેકાએ કહ્યું કે ખાસ કિસ્સામાં તેમની રસીની ગંભીર આડઅસર થાય છે. એસ્ટ્રાઝેનેકાએ એવું પણ કહ્યું કે આડઅસર ખાસ કિસ્સામાં જ થાય છે. અહીં એ વાત મહત્વપૂર્ણ છે કે બ્રિટનના ધ ટેલિગ્રાફના રિપોર્ટમાં એસ્ટ્રાઝેનેકાની રસીથી અનેકના મૃત્યુનો દાવો કરાયો છે. કંપની વિરુદ્ધ બ્રિટનની હાઈકોર્ટમાં 51 કેસ ચાલે છે. પીડિતોએ એસ્ટ્રાઝેનેકા પાસેથી અંદાજે 1 હજાર કરોડનું વળતર માંગ્યું છે
ADVERTISEMENT
મામલો કઈ રીતે સામે આવ્યો ?
એપ્રિલ 2021માં બ્રિટનમાં જેમી સ્કોટ નામના વ્યક્તિએ રસી લગાવી હતી.. એસ્ટ્રાઝેનેકાની રસી લગાવ્યા બાદ જેમી સ્કોટની હાલત બગડી.સ્કોટના શરીરમાં લોહી ગંઠાઈ ગયું જેની સીધી અસર મગજ ઉપર થઈ. સ્કોટના મગજમાં આંતરિક રક્તસ્ત્રાવ થવા લાગ્યો હતો. એક સમયે તબીબોએ સ્કોટને નહીં બચાવી શકાય એવું પણ કહ્યું હતું. 2023માં જેમી સ્કોટે એસ્ટ્રાઝેનેકા વિરુદ્ધ ફરિયાદ કરી. મે 2023માં કંપનીએ જવાબ આપ્યો કે તેની રસી સુરક્ષિત છે. ફેબ્રુઆરી 2024માં કંપનીએ ફેરવી તોળ્યું. એસ્ટ્રાઝેનેકાએ સ્વીકાર્યું કે ખાસ કિસ્સામાં તેની રસીથી આડઅસરની વાત સ્વીકારી. રસીમાં રહેલા ક્યા તત્વથી આડઅસર થાય છે તે માહિતી હજુ સામે આવી નથી. જેમી સ્કોટના વકીલે કહ્યું કે રસી અંગેની ઘણી જાણકારી છૂપાવવામાં આવી
ભારતમાં કઈ રસીના કેટલા ડોઝ લાગ્યા?
કોવિશીલ્ડઃ 175 કરોડ
કોવેક્સિનઃ 36 કરોડ
કોર્બેવેક્સઃ 7.38 કરોડ
TTS શું છે?
TTS એટલે થ્રોમ્બોસિસ થ્રોમ્બોસાઈટોપેનિયા સિન્ડ્રોમ. તેનાથી શરીરમાં અસામાન્ય રીતે લોહી ગંઠાઈ જાય છે. પ્લેટલેટ્સ ઘટી જાય છે. લોહીમાં પ્લેટલેટ્સ ઘટે એટલે TTSની બીમારી થાય. લોહીના ગઠ્ઠા જામી જાય એટલે હૃદય, મગજને સીધી અસર થાય
નિષ્ણાતો શું કહે છે ?
TTS 10 લાખમાંથી 4 લોકોને થાય છે, રસી લીધાના 4 થી 42 દિવસમાં જ TTS થાય. રસી લીધા પછી તરત લોહી જામે તો તે TTS નથી. કોરોનાની રસીના લાભ આડઅસર કરતા વધુ છે. કોરોનાની રસી લોકોએ બે વર્ષ પહેલા લઈ લીધી છે. TTSમાં જે ક્લોટિંગ થાય તે મગજ, અંડાશયમાં થાય. હૃદય અને ફેફસામાં ક્લોટિંગ આ કિસ્સામાં થતું નથી. વેક્સિનને તમામ માપદંડમાં ખરા ઉતરવું પડતું હોય છે
કોંગ્રેસે શું આરોપ મુક્યો ?
કોંગ્રેસનો આક્ષેપ છે કે WHOએ આડઅસરનો અભ્યાસ રિપોર્ટ રાખવા સ્પષ્ટ સૂચના આપી હતી, પરંતુ સરકારે વેક્સિન આપ્યા પછી કોઈપણ જાતનો ડેટા રાખ્યો નથી.સંસદમાં ઝીરો અવર્સની નોટિસ આપી છતા ધ્યાને ન લેવાઈ.બ્રિટનની સરકારે ડેટા એકઠો કર્યો હતો એટલે મામલો સામે આવ્યો.2023માં ઈમરજન્સી એડવાઈઝરી છતા ડેટા એકઠો નથી કરવામાં આવ્યોભારતની સેન્ટ્રલ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટને ઉત્પાદન ન સોંપવામાં આવ્યું. ભારત બાયોટેકને સરકારે 1500 કરોડ રૂપિયા આપ્યા. સીરમ ઈન્સ્ટીટ્યૂટને સરકારે 3000 કરોડ આપ્યા
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT