અદાણી જૂથ ઉપર ખેડૂત સંગઠનોએ આક્ષેપ લગાવ્યો છે કે તેઓ તેમના ગોડાઉનોમાં કૃત્રિમ અછત ઉભી કરીને ભાવ વધારવા માટે અનાજનો સંગ્રહ કરી રહ્યા છે.
અદાણીએ આ આક્ષેપનું ખંડન કરતા કહ્યું હતું કે તેઓ અનાજ ખેડૂતો પાસેથી ખરીદતા પણ નથી અને તેઓ અનાજની કિંમત પણ નક્કી કરતા નથી.
ખેડૂત આંદોલનમાં અદાણી-અંબાણીનું નામ ઉછળ્યું છે
નોંધનીય છે કે દેશમાં હાલમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં અદાણી-અંબાણીનું નામ ઉછળ્યું છે અને ખેડૂતોએ આક્ષેપ લગાવ્યો છે કે ખેતીના નવા કાયદાઓ આ કંપનીઓને ફાયદો કરવા માટે બનાવવામાં આવ્યા છે.
તેમણે કહ્યું છે કે તેઓ અનાજનો સંગ્રહ FCI એટલે કે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા માટે કરે છે. તેઓનો દાવો છે કે તેઓ આ પ્રવૃત્તિ 2005થી કરે છે અને તેમણે સરકાર પાસેથી પારદર્શક ટેન્ડરમાંથી આ કોન્ટ્રાક્ટ લીધો હતો.
Our statement in response to the misleading video posted by the Loktantra TV YouTube channel that is leveraging the ongoing farmer crisis in order to malign our reputation and misguide public opinion. #FakeNewspic.twitter.com/k4eeEGTpHa
તેમણે એમ પણ કહ્યું કે તેઓ કેટલા પ્રમાણમાં કે કેટલા ભાવનું અનાજ સંગ્રહ કરવું તે નક્કી નથી કરતા કારણ કે તેઓ FCIને ફક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસ પૂરી પાડે છે.
પ્રાઈવેટ કંપની ફક્ત અનાજના સ્ટોરેજની જવાબદારી સંભાળે છે
અહેવાલ પ્રમાણે FCI પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ કરે છે જેમાં FCI ખેડૂતો પાસેથી અનાજ ખરીદે છે, તેની માલિકી ધરાવે છે અને તેના વિતરણના હકો ધરાવે છે જયારે પ્રાઈવેટ કંપની ફક્ત તેના સ્ટોરેજની જવાબદારી સંભાળે છે.
ખાનગી સ્ટોરેજ સર્વિસીસમાં છેલ્લા પાંચ વર્ષમાં ખેડૂતો પાસેથી સરેરાશ 4 લાખ ટન જેટલા અનાજનો સંગ્રહ કરવામાં આવ્યો છે.