બ્રેકિંગ ન્યુઝ
અદાણીએ આ આક્ષેપનું ખંડન કરતા કહ્યું હતું કે તેઓ અનાજ ખેડૂતો પાસેથી ખરીદતા પણ નથી અને તેઓ અનાજની કિંમત પણ નક્કી કરતા નથી.
ADVERTISEMENT
ખેડૂત આંદોલનમાં અદાણી-અંબાણીનું નામ ઉછળ્યું છે
નોંધનીય છે કે દેશમાં હાલમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં અદાણી-અંબાણીનું નામ ઉછળ્યું છે અને ખેડૂતોએ આક્ષેપ લગાવ્યો છે કે ખેતીના નવા કાયદાઓ આ કંપનીઓને ફાયદો કરવા માટે બનાવવામાં આવ્યા છે.
ADVERTISEMENT
તેમણે કહ્યું છે કે તેઓ અનાજનો સંગ્રહ FCI એટલે કે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા માટે કરે છે. તેઓનો દાવો છે કે તેઓ આ પ્રવૃત્તિ 2005થી કરે છે અને તેમણે સરકાર પાસેથી પારદર્શક ટેન્ડરમાંથી આ કોન્ટ્રાક્ટ લીધો હતો.
#FakeNewsAlert
— Adani Group (@AdaniOnline) December 8, 2020
Our statement in response to the misleading video posted by the Loktantra TV YouTube channel that is leveraging the ongoing farmer crisis in order to malign our reputation and misguide public opinion. #FakeNews pic.twitter.com/k4eeEGTpHa
ADVERTISEMENT
તેમણે એમ પણ કહ્યું કે તેઓ કેટલા પ્રમાણમાં કે કેટલા ભાવનું અનાજ સંગ્રહ કરવું તે નક્કી નથી કરતા કારણ કે તેઓ FCIને ફક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસ પૂરી પાડે છે.
ADVERTISEMENT
પ્રાઈવેટ કંપની ફક્ત અનાજના સ્ટોરેજની જવાબદારી સંભાળે છે
અહેવાલ પ્રમાણે FCI પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ કરે છે જેમાં FCI ખેડૂતો પાસેથી અનાજ ખરીદે છે, તેની માલિકી ધરાવે છે અને તેના વિતરણના હકો ધરાવે છે જયારે પ્રાઈવેટ કંપની ફક્ત તેના સ્ટોરેજની જવાબદારી સંભાળે છે.
ADVERTISEMENT
ખાનગી સ્ટોરેજ સર્વિસીસમાં છેલ્લા પાંચ વર્ષમાં ખેડૂતો પાસેથી સરેરાશ 4 લાખ ટન જેટલા અનાજનો સંગ્રહ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.