બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / VTV Newsના સહકાર સંમેલનમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કર્યું સહકારી ક્ષેત્રના ખમીરવંતા લોકોનું સન્માન
Last Updated: 12:28 PM, 20 August 2026
VTV Newsની 15 વર્ષની વિશ્વસનીય સફર પૂર્ણ થઈ 16મા વર્ષમાં મંગલ પ્રવેશના અવસરે ભવ્ય સહકાર સંમેલન યોજાયું હતું. ગાંધીનગર ખાતેના ટાઉન હોલ ખાતે યોજાયેલા આ સમારોહની શરૂઆત સંગીતથી થઈ હતી ત્યાર બાદ કાર્યક્રમની શરૂઆતમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી તથા કેબિનેટ પ્રધાન જીતુભાઈ વાઘાણી, VTVના ચેનલ હેડ હેમંત ગોલાણી સહિતના મહાનુભવોએ તુલસીના છોડને જળ અર્પણ કર્યું હતું.
ADVERTISEMENT

સહકારી ક્ષેત્રને સમર્પિત આ સમારોહમાં સહકારી સંસ્થાઓ, ખેડૂતો, પશુપાલકો તેમજ વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરનારા અગ્રણીઓને એક મંચ પર લાવવામાં આવ્યા હતા. કાર્યક્રમનો ઉદ્દેશ માત્ર સન્માન કરવાનો નહોતો, પરંતુ સહકારના માધ્યમથી ગ્રામ્ય વિકાસ, ખેડૂત-પશુપાલકોની સમૃદ્ધિ અને સહકારી ક્ષેત્રના આગામી પડકારો અંગે ચર્ચા કરવાનો પણ હતો. VTV ન્યૂઝની 15 વર્ષની સફરને, સહકાર ક્ષેત્રને સમર્પિત કરતા આ સમારોહને નવી દિશા અને નવા સંકલ્પના પ્રારંભ તરીકે રજૂ કરવામાં આવ્યો હતો. સમારોહમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી તથા કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સહકાર ક્ષેત્રની સફળ ગાથાઓ રજૂ કરવામાં આવી હતી અને વિવિધ ક્ષેત્રોમાં સમાજ તથા ગ્રામ્ય અર્થતંત્ર માટે નોંધપાત્ર કામગીરી કરનારા આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT

દૂધની ક્રાંતિમાં ગુજરાતની આગવી ઓળખ
ADVERTISEMENT
સમારોહમાં શંકરભાઈ ચૌધરીએ ગુજરાતની દૂધ સહકારી વ્યવસ્થાની સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, દૂધની ક્રાંતિમાં ગુજરાત આગળ આવ્યું છે. એક સમય એવો હતો કે દૂધના વ્યવસાયમાંથી માત્ર આશરે 20 કરોડ રૂપિયા પશુપાલકો સુધી પહોંચતા હતા, જ્યારે આજે સહકારી માળખાના કારણે 1300 કરોડ રૂપિયા પશુપાલકો સુધી પહોંચે છે. આ આંકડો માત્ર નાણાકીય પરિવર્તન દર્શાવતો નથી, પરંતુ સહકારની શક્તિથી ગ્રામ્ય પરિવારોના જીવનમાં આવેલા મોટા બદલાવનું પ્રતિબિંબ છે. દૂધ મંડળીઓ અને સહકારી સંસ્થાઓએ પશુપાલકોને બજાર, યોગ્ય વ્યવસ્થા અને આવકનું સ્થિર માધ્યમ પૂરું પાડ્યું છે. વિકાસનો લાભ માત્ર શહેરો સુધી મર્યાદિત રાખવામાં આવ્યો નથી. છેવાડાનાં ગામડાં સુધી પાણી અને વીજળી પહોંચાડવામાં આવી છે. ગામડાં સુધી મૂળભૂત સુવિધાઓ પહોંચતાં ખેતી અને પશુપાલન સહિતની ગ્રામ્ય આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ મળ્યો છે.

ADVERTISEMENT
પશુપાલનમાં મહિલાઓની પ્રેરણાદાયી સફર: નવલબહેન ચૌધરી
વડગામના નાગાણા ગામનાં નવલબહેન ચૌધરીએ માત્ર 15 પશુઓથી પશુપાલન શરૂ કર્યું હતું. આજે તેમની પાસે આશરે 250 પશુઓ છે અને તેઓ ૨૫ લોકોને રોજગારી આપી રહ્યા છે. છેલ્લાં ત્રણ વર્ષમાં તેમણે અંદાજે 10 લાખ લિટર દૂધ ભરાવી 5.50 કરોડ રૂપિયાની આવક નોંધાવી છે.
ADVERTISEMENT

સહકારથી મજબૂત બનતું ગ્રામ્ય અર્થતંત્ર
ADVERTISEMENT
સહકાર ક્ષેત્રની કામગીરી હવે માત્ર દૂધ અને ખેતી પૂરતી સીમિત રહી નથી. સહકારી બેન્કિંગ, કૃષિ બજાર, પશુપાલન, મહિલા સશક્તીકરણ, માછીમારી, હાથવણાટ અને ગ્રામ્ય સેવાઓ સુધી સહકારનું માળખું વિસ્તર્યું છે.

સહકારથી પરિવાર અને મહિલાઓનું આર્થિક સશક્તિકરણઃ જીતુભાઈ વાઘાણી
એક વ્યક્તિ ધારે તે કામ કરી શકે છે, પરંતુ જ્યારે સમૂહશક્તિ સાથે મળે ત્યારે વિકાસની ગતિ અનેકગણી વધી શકે છે. ઘર પણ સહકારથી ચાલે છે અને આ જ સહકારની ભાવનાને આગળ વધારીને સમૂહશક્તિ દ્વારા આર્થિક સશક્તિકરણ કરી શકાય છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલનના કેબિનેટ પ્રધાન જીતુભાઈ વાઘાણીએ સહકારી ક્ષેત્રની ભૂમિકા અંગે જણાવ્યું હતું કે, દેશમાં સહકારના માધ્યમથી અનેક પરિવારોને આર્થિક રીતે મજબૂત બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. કેન્દ્ર સરકારની વિવિધ યોજનાનો લાભ સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. વ્યવસ્થામાં જરૂરી સુધારા કરીને સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવામાં આવી રહ્યું છે.

સહકારી ક્ષેત્રે જોડાયેલા લોકોએ બીજાનાં ભલા માટે જીવવાનું પસંદ કર્યુઃ શંકરભાઈ ચૌધરી
સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા અનેક લોકોએ પોતાના માટે કામ કરવાની જગ્યાએ બીજાનાં ભલા માટે જીવન જીવવાનું પસંદ કર્યું છે. સફેદ કપડાંમાં શાંતિથી સમાજ માટે કામ કરતા આવા લોકો ખરેખર પોતાની જિંદગી બીજાઓને સમર્પિત કરી રહ્યા છે. કોઈ પ્રસિદ્ધિ કે દેખાવ વગર, મૌન રહીને પણ અનેક લોકો સતત લોકોનાં હિત માટે કામ કરી રહ્યા છે. આ પ્રકારની સેવા અને સહકારની ભાવનાનું ઉદાહરણ આપતાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે પૂર જેવી કુદરતી આફતના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું. ખેડૂતો માટે સૌથી મોટો પ્રશ્ન તેમની મહેનત અને આવકને બચાવવાનો હતો. આવી સ્થિતિમાં ખેડૂતોને સહાય મળી રહે અને તેમની દિવાળી બગડે નહીં તે માટે જીતુભાઈ વાઘાણીએ અધિકારીઓ સાથે સતત સંકલન કરીને કામગીરી કરી હતી.

કોને-કોને સન્માનિત કરાયા?
આ પણ વાંચોઃ સેમિકન્ડક્ટરથી AI સુધી ગુજરાતનો દબદબો, Silicon Valleyમાં CM ભૂપેન્દ્ર પટેલની મહત્વની બેઠકો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.