બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
Megha
Last Updated: 02:10 PM, 22 February 2024
VTV AJAB GAJAB:
આજે આપણે એક એવા સૈનિકની વાત કરીશું જે મૃત્યુ બાદ પણ ભારતની સરહદોની રક્ષા કરવાની ફરજ બજાવી રહ્યા છે. ભારત અને ચીનની સરહદ પર સિક્કિમની રાજધાની ગંગટોક પાસે સમુદ્રતટથી 14 હજાર ફૂટ ઉપર આવેલ જેલેપ પાસ અને નાથુલા પાસ પાસે એક મંદિર આવેલું છે. જેનું નામ છે, બાબા હરભજનસિંહ મંદિર. સામાન્ય શ્રદ્ધાળુઓની સાથે સાથે આ મંદિરમાં ભારતીય સૈન્યના જવાનો અને ચીની સૈન્યના જવાનો પણ શિશ ઝુકાવે છે.
સ્થાનિકોનું માનવું છે કે પંજાબ રેજિમેન્ટના જવાન હરભજનસિંહનો આત્મા છેલ્લા 56 વર્ષથી સતત સરહદ પર રહીને દેશની રક્ષા કરી રહ્યો છે અને તેમની આત્મા ચીન તરફથી ભારતને જો કોઈ ખતરો દેખાય તો એ વિશે જણાવી દે છે અને જો ભારતીય સૈનિકોને ચીનના સૈનિકોની કોઈ પણ મૂવમેન્ટ પસંદ ન આવે તો તે ચીનના સૈનિકોને પણ આ વિશે જાણ કરી દે છે.
બાબા હરભજન સિંહનો જન્મ 30 ઓગસ્ટ, 1946ના રોજ પંજાબના એક શીખ પરિવારમાં થયો હતો અને 9 ફેબ્રુઆરી 1966ના રોજ એમને ભારતીય સેનાની પંજાબ રેજિમેન્ટની 24મી બટાલિયનમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. બાબા હરભજનસિંહ સેનાને પોતાની સેવાઓ માત્ર બે વર્ષ જ આપી શક્યા અને વર્ષ 1968માં તેઓ સિક્કિમમાં ખચ્ચર પર બેસીને નદી પાર કરી રહ્યા હતા, ત્યારે ખચ્ચર સહિત હરભજન નદીમાં તણાઈ ગયા હતા અને એમનું મૃત્યુ થયું હતું.
કહેવાય છે કે બાબા હરભજન સિંહે પોતાના સાથી સૈનિકના સપનામાં આવી તેમના મૃતહેદનું સ્થાન જણાવ્યું હતું એમની સમાધિ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્રણ દિવસની શોધખોળ પછી સેનાને તે જ જગ્યાએથી હરભજન સિંહનો મૃતદેહ મળ્યો હતો અને એ બાદ એમના બંકરની જગ્યા પર જ એમનું મંદિર બનાવવામાં આવ્યું હતું, જો કે પછી સેના તરફથી તેમના માટે એક ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
મૃત્યુ પછી પણ બાબા હરભજન સિંહ પોતાની ફરજ નિભાવતા રહ્યા અને સાથ સૈનિકોના સપનામાં આવીને ચીનની તમામ ગતિવિધિઓની જાણકારી આપતા રહ્યા. આટલું જ નહીં સેના દરેક સૈનિકોની જેમ તેમને પણ દર મહિને પગાર આપે છે અને સેનામાં તેમની એક રેન્ક પણ છે. થોડા વર્ષ પહેલા તેમને બે મહિનાની રજા પર પંજાબમાં તેમના ગામે પણ મોકલવામાં આવતા હતા. તેના માટે ટ્રેનમાં તેમની સીટ રિઝર્વ કરવામાં આવતી હતી. જો કે હવે બાબા હરભજન સિંહ નિવૃત્ત થઈ ગયા છે.
વધુ વાંચો: VIDEO: ભારતનું એક એવું ગામ જેને કહેવાય છે 'બર્ડ સુસાઈડ વેલી', અહીં પક્ષીઓ કરે છે આત્મહત્યા
મંદિરમાં બાબાનો એક રૂમ છે જ્યાં એમની સેનાનો યૂનિફોર્મ અને જૂતા રાખવામાં આવ્યા છે. લોકોનું કહેવું છે કે રોજ સફાઈ કરવા છતાંય તેમના જૂતામાં કીચડ અને ચાદર પર કરચલી પડી જાય છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો