બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
VTV / અજબ ગજબ / VTV AJAB GAJAB A village in India is called Bird Suicide Valley where birds commit suicide
Megha
Last Updated: 03:13 PM, 20 February 2024
VTV AJAB GAJAB: આપણા ભારતમાં જ કુદરતના ખોળે એક એવું રહસ્યમય ગામ આવેલ છે કે જે ખૂબ જ વિચિત્ર કારણોસર આખી દુનિયામાં જાણીતું છે. આ ગામ આસામના 'દીમા હાસો જિલ્લા'ની પહાડી ખીણમાં આવેલું છે કે જ્યાં આશરે 2,500 લોકો રહે છે અને સપ્ટેમ્બર મહિનો શરૂ થતા જ અહીં મોટી સંખ્યામાં પક્ષીઓ સુસાઇડ કરવા લાગે છે. આ ગામનું નામ છે જતીંગા, જે બર્ડ સુસાઈડ વેલી' તરીકે ઓળખાય છે.
આ ગામ આસામના ગુવાહાટીથી લગભગ 330 કિલોમીટર દક્ષિણમાં આવેલું છે અને આ જગ્યા દર વર્ષે સપ્ટેમ્બરથી નવેમ્બર સુધી હેડલાઇન્સમાં રહે છે. અહીં પક્ષીઓ સાંજે 6 થી 10 વાગ્યા સુધીમાં સામૂહિક આત્મહત્યા કરે છે. ચોમાસાની અને ધુમ્મસવાળી રાત્રે પક્ષીઓના આત્મહત્યાના વધુ કિસ્સાઓ જોવા મળે છે અને અહીંના લોકો તેને ભૂત-પ્રેત અને રહસ્યમય શક્તિઓ સાથે જોડાયેલા માને છે પરંતુ તેની પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છે.
વૈજ્ઞાનિકો મુજબ આ જગ્યા ઊંડી ખીણમાં સ્થિત હોવાને કારણે ભારે વરસાદ દરમિયાન જ્યારે પક્ષીઓ અહીંથી ઉડવાની કોશિશ કરે છે, ત્યારે તેઓ સંપૂર્ણપણે ભીના થઈ જાય છે અને ઉડવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. બીજી તરફ, જોરદાર પવનને કારણે પક્ષીઓ તેમનું સંતુલન ગુમાવે છે અને ઝાડ સાથે અથડાયા બાદ ઘાયલ થઈને જમીન પર જ મૃત્યુ પામે છે.
વધુ વાંચો: VIDEO: આકાશમાં ઉડતા વાદળનું વજન 100 હાથી જેટલું હોય છે, છતાં કેમ નીચે નથી પડતાં? ચાલો સમજીએ
પક્ષીઓની સામૂહિક આત્મહત્યાની આ ઘટના વર્ષ 1910થી ચાલી રહી છે, પરંતુ આખી દુનિયાને તેની જાણ વર્ષ 1957માં થઈ હતી. ત્યારથી લઈને આજ સુધી દેશ-વિદેશના અનેક વૈજ્ઞાનિકોએ તેના પર સંશોધન કર્યું છે પરંતુ હજુ સુધી પક્ષીઓના આપઘાતનું કારણ કે તેને રોકવાનો કોઈ રસ્તો મળ્યો નથી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો