બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

logo

ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ

VTV / ભારત / Politics / રાયબરેલીમાં ભાજપની વધતી મત ટકાવારી કોંગ્રેસ માટે બની શકે છે પડકાર, જાણો શું છે 17 ટકાનું સમિકરણ

લોકસભા ચૂંટણી 2024 / રાયબરેલીમાં ભાજપની વધતી મત ટકાવારી કોંગ્રેસ માટે બની શકે છે પડકાર, જાણો શું છે 17 ટકાનું સમિકરણ

Last Updated: 10:13 PM, 4 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાયબરેલીમાં પ્રતિ લોકસભા ઇલેક્શન 17 ટકાના દરે વધી રહ્યા છે ભાજપના મત , શું આ વખતે પણ એવું જ બનશે ?

આખરે રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના છેલ્લા ગઢને બચાવવા આવ્યા છે. તેઓ અમેઠીને બદલે રાયબરેલીથી ચૂંટણી લડી રહ્યા છે. તેમણે રાયબરેલીથી નોમિનેશનના સમયને પણ ભાવનાત્મક ક્ષણ ગણાવી છે. પરંતુ ભાજપ રાહુલ ગાંધીના અમેઠી છોડીને રાયબરેલીથી ચૂંટણી લડવા પર સવાલ ઉઠાવી રહી છે. .ભાજપ રાહુલ ગાંધીને ટોણો મારી રહી છે કે તેઓ હારનો ખતરો જોઇને અમેઠીથી ભાગી ગયા છે. જો કોંગ્રેસનું માનીએ તો, પાર્ટીએ ખૂબ જ વિચારણા કર્યા બાદ નિર્ણય લીધો છે. એવું માનવામાં આવે છે કે રાયબરેલી સાથે ગાંધી પરિવારનું ભાવનાત્મક જોડાણ છે અને અત્યાર સુધી તે કોંગ્રેસનો અભેદ્ય કિલ્લો છે અને હારનું જોખમ પણ ઓછું છે. દરમિયાન, 17 ટકા ફેક્ટરની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. ચાલો તેનું ગણિત સમજીએ.

પ્રતિ લોકસભા ઇલેકશન 17 ટકા વધ્યા છે ભાજપના મત

જણાવી દઈએ કે વર્ષ 2009માં સોનિયા ગાંધીને 72.23 ટકા વોટ મળ્યા હતા અને ભાજપને માત્ર 3.82 ટકા વોટ મળ્યા હતા. તે સમયે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે મતોનો તફાવત 68.41 ટકા હતો. ત્યાર બાદ 2014ની ચૂંટણીમાં સોનિયા ગાંધીને 63.80 ટકા અને ભાજપને 21.05 ટકા વોટ મળ્યા હતા. 2014માં કોંગ્રેસે 8.43 ટકા વોટ ગુમાવ્યા હતા..અને ભાજપને 17.23 ટકા વોટનો ફાયદો મળ્યો. બંને પક્ષો વચ્ચે મતનો તફાવત ઘટીને 42.75 ટકા થયો હતો..

કોંગ્રેસ શા માટે ચિંતિત છે?

વર્ષ 2019માં સોનિયા ગાંધીને 55.78 ટકા વોટ મળ્યા હતા. જ્યારે ભાજપને 38.35 ટકા વોટ મળ્યા હતા. તે વખતે કોંગ્રેસને 8.02 ટકાનું નુકસાન થયું હતું . બીજી તરફ, ભાજપને 17.3 ટકાનો ફાયદો થયો હતો.. જીત અને હાર વચ્ચેનો તફાવત ઘટીને માત્ર 17.43 ટકા રહ્યો હતો. . નોંધનીય છે કે રાયબરેલીમાં છેલ્લી ચૂંટણીમાં ભાજપ 17.43 ટકા મતોના માર્જિનથી હારી ગયું હતું. છેલ્લી બે ચૂંટણીઓથી, ભાજપ તેના મતોમાં 17 ટકાનો વધારો કરી રહ્યો છે. કોંગ્રેસ માટે આ ચિંતાનું કારણ બની ગયું છે.

રાયબરેલીમાં કોનું પ્રભુત્વ?

છેલ્લી બે સામાન્ય ચૂંટણીઓમાં રાહુલ ગાંધી સાથે જે મુકાબલો થયો હતો તે અમેઠીમાં સ્મૃતિ ઈરાની અને રાહુલ ગાંધી વચ્ચે હતો. પરંતુ આ સીટ 2019માં બીજેપીની સ્મૃતિ ઈરાનીએ જીતી હતી. આખરે, ઘણા દિવસોના સસ્પેન્સ પછી, રાયબરેલીમાં રાહુલ ગાંધી અને દિનેશ પ્રતાપ સિંહ વચ્ચે ચૂંટણી જંગ છે. જ્યારે અમેઠીમાં ગાંધી પરિવારના નજીકના કેએલ શર્મા સ્મૃતિ ઈરાનીને પડકારવા કોંગ્રેસમાં ચૂંટણી લડશે. અમેઠીમાંથી કોંગ્રેસ પોતાના ઉમેદવારની જીતનો દાવો કરી રહી છે ત્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની રાહુલ ગાંધી પર પ્રહારો કરી રહી છે. 4 જૂને રાયબરેલી અને અમેઠીમાં કોનો દબદબો જોવા મળશે તે જોવું રહ્યું.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ