બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:11 AM, 16 December 2024
વિજય દિવસ ભારત દર વર્ષે 16 ડિસેમ્બરે વિજય દિવસ ઉજવે છે. 1971ના યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું, જે આ દિવસે ઉજવવામાં આવે છે. 1971ના યુદ્ધમાં પાકિસ્તાની સેનાનું શરણાગતિ એક ઐતિહાસિક ઘટના હતી જેના કારણે બાંગ્લાદેશની આઝાદીની ઘોષણા થઈ. આ શરણાગતિ ઢાકામાં 16 ડિસેમ્બર 1971ના રોજ થઈ હતી, જ્યારે પાકિસ્તાન આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ એ.એ.કે. નિયાઝીએ ભારતીય સેનાના કમાન્ડર, લેફ્ટનન્ટ જનરલ જગજીત સિંહ અને બાંગ્લાદેશની કામચલાઉ સરકારના પ્રતિનિધિ સમક્ષ આત્મસમર્પણ કર્યું.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ શરણાગતિ પાછળ ઘણા કારણો હતા, જેમાંથી એક મુખ્ય કારણ ભારતીય સેનાની તાકાત અને પાકિસ્તાની સેનાની નબળાઈ હતી. ભારતીય સેના અનેક મોરચે પાકિસ્તાની સેનાને હરાવીને ઢાકા તરફ આગળ વધી રહી હતી. શરણાગતિ બાદ પાકિસ્તાની સેનાના 93,000 સૈનિકોએ આત્મસમર્પણ કર્યું, જે બીજા વિશ્વયુદ્ધ પછીનું સૌથી મોટું શરણાગતિ છે. આ શરણાગતિને કારણે બાંગ્લાદેશની આઝાદીની ઘોષણા થઈ અને પાકિસ્તાન માટે મોટી હારનું પ્રતીક બની ગયું.

ADVERTISEMENT
1971ના યુદ્ધમાં પણ ભારતને નુકસાન સહન કરવું પડ્યું હતું. ભારતીય સેનાના 3900 જવાનો શહીદ થયા હતા અને 9800 થી વધુ ઘાયલ થયા હતા. જો કે, આ જવાનોનું બલિદાન વ્યર્થ ન ગયું અને આખરે પાક સેનાએ આત્મસમર્પણ કર્યું અને નવા દેશ બાંગ્લાદેશનો જન્મ થયો. ભારતે પૂર્વ પાકિસ્તાનની આઝાદીની જાહેરાત કરતાની સાથે જ દક્ષિણ એશિયાનો નકશો બદલાઈ ગયો. કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ જગજીત સિંહે પાકિસ્તાન આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ એ.એ.કે. નિયાઝીની સેનાએ આત્મસમર્પણ કર્યું.
ADVERTISEMENT

ADVERTISEMENT

ADVERTISEMENT
આટલી મોટી સેના હોવા છતાં પાકિસ્તાને શરણાગતિ કેમ આપી? આનો જવાબ ખુદ પાકિસ્તાનના તત્કાલિન કમાન્ડર નિયાઝીએ આપ્યો હતો. ભારતીય વાયુસેનાએ તેની આખી સ્ટોરી શેર કરી છે. વાસ્તવમાં ભારતીય વાયુસેનાએ યુદ્ધમાં પાકિસ્તાનની કમર તોડી નાખી હતી.
વધુ વાંચો : દાઉદના નજીકના સંબંધીને મુંબઈ પોલીસે દબચ્યો, કોણ છે કાદર ગુલામ શેખ, થયો ભાંડફોડ
ભારતીય વાયુસેનાએ 2400 ઓપરેશન હાથ ધર્યા હતા અને પૂર્વ પાકિસ્તાનની સેનાને ખદેડી હતી. જ્યારે નિયાઝીને પૂછવામાં આવ્યું કે આટલી મોટી સેનાએ શરણાગતિ કેમ આપી, તો તેમણે એરફોર્સના જવાનની યુનિફોર્મ પરના વિમાન તરફ ઈશારો કરીને કહ્યું- આ ભારતીય વાયુસેનાના કારણે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Lucknow Coaching Centre Fire / 2016માં મળી હતી ડિમોલિશનની નોટિસ, 2 મહિનામાં જ આદેશ કર્યો રદ, તંત્ર પણ જવાબદાર
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.