બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Bijal Vyas
Last Updated: 08:51 PM, 14 September 2023
Vastu Tips For Happy Married Life: આજના બદલાતા સમયમાં દરેક વ્યક્તિ સુખી દામ્પત્ય જીવન ઈચ્છે છે. વ્યસ્ત જીવનમાં સુખ-શાંતિ અને ખુશીઓ સાથે જીવન વિતાવવું ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. બધી જવાબદારીઓ અને કામના કારણે મોટાભાગના કપલ એકબીજાને પૂરતો સમય નથી આપી શકતા, જેના કારણે તેમની વચ્ચે અંતર આવવા લાગે છે. લગ્ન પછી, લોકો લાંબા સમય સુધી સંબંધોને ખુશ રાખવા માટે વિવિધ પદ્ધતિઓ અપનાવે છે, પરંતુ તેમ છતાં તેમને વિવાહિત જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
હાલમાં આ સમસ્યા ઝડપથી વધી રહી છે અને પરિણીત યુગલો વચ્ચે અંતર વધી રહ્યું છે. જો આપણે કેટલીક વાસ્તુ ટિપ્સને ધ્યાનમાં રાખીએ તો આપણે આપણા લગ્ન જીવનને ફરીથી ખુશ અને રંગીન બનાવી શકીશું. વાસ્તુ ટિપ્સ માત્ર લગ્નજીવનને સુખી બનાવશે નહીં પરંતુ પતિ-પત્ની વચ્ચે પરસ્પર પ્રેમ પણ વધારશે. સાથે જ ઘરમાં પૈસાની કમી પણ નહીં આવે.
વિવાહિત કપલ્સ બેડરુમમાં રાખો આ 5 વસ્તુઓ
1. વાસ્તુ અનુસાર, પ્રેમ વધારવા અને પતિ-પત્ની વચ્ચે ઝઘડા ઓછા કરવા માટે દરેક વ્યક્તિએ પોતાના બેડરૂમમાં અરીસો રાખવો જોઈએ. વાસ્તુ અનુસાર બેડરૂમમાં અરીસો રાખવો શુભ માનવામાં આવે છે. જો કે, બેડની બરાબર સામે અરીસો ન રાખો.
2. પરિણીત લોકોએ પોતાના બેડરૂમમાં લવ બર્ડની તસવીરો રાખવી જોઈએ. વાસ્તુમાં તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી કપલ એકબીજા માટે પ્રેમ અનુભવશે. આ તસવીર પ્રેમનું પ્રતિક છે અને તેને બેડરૂમમાં રાખવાથી દંપતી વચ્ચે હંમેશા પ્રેમ જળવાઈ રહે છે.
3. ઈલેક્ટ્રોનિક વસ્તુઓથી દૂર રહેવાથી પણ તમારું જીવન સુખમય બની શકે છે. વાસ્તુ અનુસાર બેડરૂમમાં ક્યારેય પણ ઈલેક્ટ્રોનિક ઉપકરણો ન રાખવા જોઈએ, કારણ કે તેનાથી સકારાત્મક ઉર્જા ઓછી થાય છે અને તમારા સંબંધો પર ખરાબ અસર પડે છે. મોબાઈલ, લેપટોપ વગેરેને બેડરૂમથી દૂર રાખો.
4. મોટાભાગ લોકો પોતાના બેડરૂમને સજાવવા માટે ફૂલો રાખે છે, પરંતુ તેમના બેડરૂમમાં ક્યારેય સુકાઈ ગયેલા અને કાંટાવાળા ફૂલ ન રાખવા જોઈએ. આમ કરવાથી પતિ-પત્ની વચ્ચે તણાવ વધે છે. વાસ્તુ અનુસાર બેડરૂમમાં હંમેશા તાજા અને ખીલેલા ફૂલ રાખવા જોઈએ. તેનાથી સંબંધોમાં પ્રેમ વધશે.
5. શું તમે જાણો છો કે, બેડરૂમમાં મની પ્લાન્ટ રાખવો મેરિડ કપલ્સ માટે ફાયદાકારક માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર, બેડરૂમમાં મની પ્લાન્ટ રાખવો શુભ માનવામાં આવે છે, કારણ કે તે શુક્રનું પ્રતિક છે. તેનાથી પતિ-પત્નીના સંબંધો મધુર બને છે અને તેમની વચ્ચે પ્રેમ વધે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir