બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / અભિનેત્રીનો દર્દભર્યો ખુલાસો: પરણેલા હીરો સાથે અફેર બાદ થયું બ્રેકઅપ, સંબંધ તૂટતાં ભાવુક થઈ રડી પડી
6 ફોટો ગેલેરી
Last Updated: 10:10 AM, 4 August 2026
1/6
કાજલે ખુલાસો કર્યો કે, તે એક પરિણીત અભિનેતા સાથે સંબંધમાં હતી, પરંતુ પાંચ વર્ષના સંબંધ બાદ તેણે તેને છોડી દીધી હતી. આ સંબંધ પૂરો થયા પછી તે ખૂબ જ પરેશાન રહેતી હતી. રાની ચેટર્જી સાથે આ સંબંધ વિશે વાત કરતા કાજલ રાઘવાનીએ કહ્યું, "હું કામને લઈને પરેશાન રહું છું, કારણ કે હું એક રિલેશનમાં હતી." તેણે ખચકાટ સાથે ખેસારી લાલ યાદવનું નામ લીધું.
2/6
કાજલે આગળ કહ્યું, "5 વર્ષ પછી મેં તેમના પક્ષમાં અવાજ ઉઠાવ્યો, પરંતુ ત્યારબાદ થયેલી ટ્રોલિંગને કારણે હું સોશિયલ મીડિયાથી મોટાભાગે દૂર થઈ ગઈ. તેમની સાથે જોડાયેલા લોકો ઘણા બધા સંદેશાઓ મોકલે છે. મેં કાર્યક્રમોમાં હાજરી આપવાનું પણ ઘણું ઓછું કરી દીધું છે, કારણ કે એક કાર્યક્રમ દરમિયાન લોકોએ પથ્થરમારો કર્યો હતો અને મારી કારના કાચ તોડી નાખ્યા હતા. હું ખૂબ ડરી ગઈ હતી. લોકો મારા પર વિશ્વાસઘાતનો આરોપ લગાવી રહ્યા હતા."
3/6
કાજલે આગળ કહ્યું, "મારું એક પરિણીત પુરુષ સાથે અફેર હતું. પણ તમે (ખેસારી) પણ એ જ વાત કહેતા હતા કે તમારી પત્ની સાથે તમારો કોઈ સંબંધ નથી અને તમે છૂટાછેડા લઈ રહ્યા છો. તમે પણ પરિણીત હતા, તો પછી તમે પ્રેમમાં કેમ પડ્યા?" ત્યારબાદ રાની ચેટર્જીએ ખેસારી તરફ ઈશારો કરતા કહ્યું, "મેં તેના ઘણા ઈન્ટરવ્યુ જોયા છે જેમાં તેણે દાવો કર્યો હતો કે મેં તેનું દિલ તોડ્યું અને તેની સાથે દગો કર્યો."
4/6
"પરંતુ તમારો પોડકાસ્ટનું નિવેદન બદલાઈ ગયું. તેમણે દાવો કર્યો કે, 'મારી તો ક્યારેય કોઈ ગર્લફ્રેન્ડ હતી જ નહીં. પ્રેમ કેવો? હું તો પરિણીત છું. તો પછી હું પ્રેમમાં કેવી રીતે હોઈ શકું?'" રાની ચેટર્જીએ કહ્યું કે પ્રેક્ષકો આ પુરુષો વિશેનું સત્ય જાણતા નથી. લોકોની વચ્ચે તેઓ એવી છબી રજૂ કરે છે જાણે તેઓ ખૂબ જ સજ્જન હોય અને પોતાની પત્નીઓને ખૂબ પ્રેમ કરતા હોય. વાસ્તવિકતા વિશે તો તેમની પત્નીઓને પૂછવું જોઈએ.
5/6
કાજલ રાઘવાનીએ એવો પણ ખુલાસો કર્યો કે, તેને ઘણી વખત લગ્નનું વચન આપવામાં આવ્યું હતું અને ખાતરી આપવામાં આવી હતી કે આવતા વર્ષે લગ્ન થઈ જશે. તે સમયે તે નાની ઉંમરની હોવાથી આ છેતરપિંડી પારખી શકી ન હતી. કાજલે જણાવ્યું કે તે હજુ પણ પોતાના ચાહકો માટે તે અભિનેતા સાથે કામ કરવા તૈયાર છે. તેણે ખુલાસો કર્યો કે તેમના બ્રેકઅપ પછી, તે અભિનેતાએ તેને ફરીથી સાથે કામ કરવાની તક આપી હતી, પરંતુ એક શરત મૂકી હતી. તેમણે ભૂતકાળની જેમ જ સાથે રહેવું પડશે. આ શરત સાંભળીને કાજલે કામની તે ઓફરનો અસ્વીકાર કર્યો.
6/6
કાજલે કહ્યું કે, તે ખૂબ એકલતા અનુભવે છે. ક્યારેક તેને એવું લાગે છે કે તે પોતાની જાતને ગુમાવી રહી છે. પોતાની પીડા વ્યક્ત કરતી વખતે તે ભાવુક થઈ ગઈ અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ઉલ્લેખનીય છે કે, એક સમયે કાજલ રાઘવાની અને પરિણીત અભિનેતા ખેસારી લાલ યાદવ વચ્ચેના સંબંધોની ચર્ચાઓ થતી હતી. કહેવાય છે કે તેઓ પાંચ વર્ષ સુધી રિલેશનશિપમાં હતા અને બાદમાં તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું. કાજલ રાઘવાનીએ અનેક ઈન્ટરવ્યુમાં ખેસારી સાથેના પોતાના સંબંધો વિશે ખુલીને વાત કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ