બ્રેકિંગ ન્યુઝ
9 ફોટો ગેલેરી
Last Updated: 11:06 AM, 4 August 2026
1/9
તાજમહેલ જેટલો પ્રસિદ્ધ છે એટલા જ તેની સાથે જોડાયેલા સવાલો પણ ચર્ચામાં રહે છે. તાજમહલ બનતા પહેલાં અહીં શું હતું? શાહજહાંએ આ જ જગ્યા કેમ પસંદ કરી? અને તાજમહલની નીચે આવેલા 22 રૂમમાં શું છે? ચાલો, ઐતિહાસિક દસ્તાવેજો અને ASIની માહિતીના આધારે આ તમામ પ્રશ્નોના જવાબ જાણીએ.
2/9
ઇતિહાસકારોના જણાવ્યા મુજબ જ્યાં આજે તાજમહેલ ઊભો છે ત્યાં પહેલાં રાજા માનસિંહની હવેલી અને તેની સાથે જોડાયેલી મિલકત હતી. વર્ષ 1631માં મુમતાઝ મહલના અવસાન સમયે આ જમીનના માલિક રાજા જયસિંહ હતા, જે રાજા માનસિંહના પૌત્ર હતા. બાદમાં શાહજહાંએ તાજમહેલના નિર્માણ માટે આ સ્થળ પસંદ કર્યું.
3/9
શાહજહાંના દરબારી ઇતિહાસકાર અબ્દુલ હમીદ લાહૌરીએ પોતાની કૃતિ 'બાદશાહનામા'માં લખ્યું છે કે તાજમહેલ બનાવવા માટે શાહજહાંએ રાજા જયસિંહ પાસેથી આ જમીન લીધી હતી. તેના બદલામાં રાજા જયસિંહને આગ્રામાં શાહી મિલકતની ચાર હવેલીઓ આપવામાં આવી હતી. અન્ય સમકાલીન ઇતિહાસકારોએ પણ પોતાના ગ્રંથોમાં આ સ્થળને રાજા જયસિંહ અથવા રાજા માનસિંહની હવેલી તરીકે વર્ણવ્યું છે.
4/9
તાજમહલની નીચે આવેલા 22 રૂમને લઈને સોશિયલ મીડિયા પર અનેક દાવા કરવામાં આવે છે. કેટલાક લોકો અહીં મંદિર હોવાનો દાવો કરે છે તો કેટલાક ખજાનો છુપાયેલો હોવાનું કહે છે. પરંતુ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) અને મુગલ સ્થાપત્યના નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ દાવાઓનો કોઈ ઐતિહાસિક આધાર નથી. હકીકતમાં આ 22 અલગ-અલગ રૂમ નથી. આ મુખ્ય સ્મારકની નીચે બનાવાયેલા લાંબા મેહરાબદાર માર્ગો છે, જેને દરવાજા લગાવી અલગ વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે.
5/9
તાજમહેલનું વજન ખૂબ જ વધારે હોવાથી તેની નીચે મજબૂત પાયો તૈયાર કરવો જરૂરી હતો. તેથી ઊંચા ચબૂતરાની નીચે મેહરાબદાર માળખું બનાવવામાં આવ્યું, જેથી આખી ઇમારતનું વજન સમાન રીતે વહેંચાઈ શકે અને વર્ષો સુધી માળખું મજબૂત રહે. મુગલ સ્થાપત્યમાં આ પ્રકારની ઇજનેરી સામાન્ય માનવામાં આવતી હતી.
6/9
આ ભૂગર્ભ ભાગને ફારસી ભાષામાં 'તહખાના' કહેવામાં આવે છે. અહીં સ્વાભાવિક રીતે ઠંડક રહેતી હતી અને યમુના નદી તરફથી હવા તથા પ્રકાશ પણ મળતો હતો. માનવામાં આવે છે કે જ્યારે શાહી પરિવાર તાજમહેલની મુલાકાતે આવતો ત્યારે આ જગ્યાનો ઉપયોગ આરામ માટે કરવામાં આવતો હતો. મુગલ સ્થાપત્યના નિષ્ણાતોના અભ્યાસ મુજબ નદી તરફ લગભગ 15 રૂમ એક હરોળમાં બનાવવામાં આવ્યા હતા. તેમાં કેટલાક ચોરસ, કેટલાક મોટા અને કેટલાક અષ્ટકોણ આકારના હતા. પહેલાં તેમની દિવાલો પર સુંદર ભૌમિતિક કોતરણી અને સજાવટ હતી, જે સમય જતાં નષ્ટ થઈ ગઈ.
7/9
ASIના અધિકારીઓ સમયાંતરે આ રૂમનું નિરીક્ષણ કરે છે. અનેક નિષ્ણાતો પણ અહીં તપાસ કરી ચૂક્યા છે. તેમના જણાવ્યા મુજબ અહીં કોઈ મંદિર, મૂર્તિ, શિલાલેખ, ખજાનો અથવા અન્ય કોઈ રહસ્યમય અવશેષ મળ્યા નથી. તેથી સોશિયલ મીડિયા પર થતા આવા દાવાઓને સમર્થન આપતા કોઈ ઐતિહાસિક પુરાવા ઉપલબ્ધ નથી.
8/9
ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે જો અહીં કંઈ રહસ્ય નથી તો પછી આ રૂમ લોકોને માટે કેમ બંધ રાખવામાં આવ્યા છે? ASIના જણાવ્યા મુજબ દરરોજ હજારો પ્રવાસીઓ તાજમહેલજોવા આવે છે. જો આ સાંકડા અને ઓછી હવા-પ્રકાશ ધરાવતા ભાગોને ખુલ્લા મુકવામાં આવે તો ભેજ, કાર્બન ડાયોક્સાઇડ, કંપન અને ભીડના કારણે સ્મારકને નુકસાન પહોંચી શકે છે. આ ઉપરાંત યમુના નદીની નજીક હોવાથી અહીં પૂર અને ગાદ ભરાવાનો પણ ખતરો રહે છે. તેથી સ્મારકના સંરક્ષણને ધ્યાનમાં રાખીને આ રૂમ સામાન્ય લોકો માટે બંધ રાખવામાં આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ