બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / પરસોતમ પીપળીયાએ હાર્દિક પટેલ પર કર્યો કટાક્ષ, ‘પક્ષપલટો કરવો પણ નૈતિક અધઃપતન’
Last Updated: 12:36 PM, 4 August 2026
પેપર લીક મુદ્દે તાજેતરમાં ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી રીલને લઈને પાટીદાર અગ્રણી પરસોતમ પીપળીયાએ જાહેરમાં વિરોધ નોંધાવ્યો છે. પીપળીયાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા હાર્દિક પટેલ પર આકરા શબ્દોમાં પ્રહાર કરતાં તેમના રાજકીય વલણ અને નૈતિકતા અંગે સવાલો ઉઠાવ્યા છે.
ADVERTISEMENT
પરસોતમ પીપળીયાએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, "પેપર ફૂટીને વેચાણ કરવું અને ફૂટીને ખુદે વેચાઈ જવું (પક્ષ પલટો કરવો) બંને નૈતિક અધઃપતનના ઉદાહરણો છે." તેમણે વધુમાં પ્રશ્ન કર્યો કે, "શું માત્ર પદલાલસા માટે પોતાની પ્રતિષ્ઠા ગુમાવનાર વ્યક્તિ આજના GEN-Z યુવાનોને નૈતિકતા અંગે સલાહ આપવા સમર્થ છે?"

ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, પેપર લીકના બનાવોને રોકવા માટે કેન્દ્ર સરકારે તાજેતરમાં કડક જોગવાઈઓ ધરાવતું સુધારણા બિલ પસાર કર્યું છે. આ બિલને લઈને હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર રીલ શેર કરીને કેન્દ્ર સરકારના પગલાંનું સમર્થન વ્યક્ત કર્યું હતું.

ADVERTISEMENT
પરસોતમ પીપળીયાની પોસ્ટ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય
હાર્દિક પટેલની આ રીલ બાદ પરસોતમ પીપળીયાની પોસ્ટ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. બંને નેતાઓના સમર્થકો વચ્ચે આ મુદ્દે વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ રાજકોટમાં થોડા વરસાદમાં જ રસ્તા બિસ્માર! રૈયારોડથી 150 ફૂટ રિંગરોડના માર્ગ પર ખાડાનું સામ્રાજ્ય
હાલ સુધી હાર્દિક પટેલ તરફથી પરસોતમ પીપળીયાની પોસ્ટ અંગે કોઈ સત્તાવાર પ્રતિસાદ સામે આવ્યો નથી. જોકે, આ મુદ્દે રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.