બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરાના ધારાસભ્યએ વિરોધીઓને સરખાવ્યા રાવણ સાથે, કહ્યું 'વિકાસના વિસ્તારમાં...'
Last Updated: 11:35 AM, 3 October 2025
વડોદરાના ચાંદોદમાં આયોજિત ગરબા મહોત્સવના મંચ પરથી વિધાનસભ્ય શૈલેષ મહેતાએ આપેલા નિવેદનોએ નવી ચર્ચાને જગાવી છે. મહેતાએ વિરોધીઓને 'રાવણ' સાથે સરખાવતાં કહ્યું કે, "માતાજી એવી શક્તિ આપે કે હું વિકાસમાં હાડકા નાખનારા રાવણોનો નાશ કરી શકું."
ADVERTISEMENT
મહેતાએ જણાવ્યું કે જ્યારે પણ કોઈ સારું કામ શરૂ થાય છે, ત્યારે તેમાં અવરોધ ઉભો કરનારા લોકો સામે આવી જાય છે. "સારું કામ કરતા હોય ત્યારે યજ્ઞમાં હાડકા નાખનારા બહુ આવે છે,એમ તેઓએ ઉમેર્યું. તેઓએ એવો આશય પણ વ્યક્ત કર્યો કે "આપણા શત્રુ હોય કે હિતશત્રુ, તેનો પણ નાશ માતાજી કરે.
ADVERTISEMENT
દેવીઓના આ લોકપ્રિય તહેવાર દરમિયાન કરાયેલા આવા રાજકીય નિવેદનને લઈ વિવિધ વર્ગોમાં સંમિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. કેટલાક લોકો ધારાસભ્યની ઉગ્ર ભાષાને અવિવેકભર્યું ગણાવી રહ્યા છે, જ્યારે તેમના સમર્થકો તેમના નિવેદનને 'વિકાસવિરોધીઓ વિરુદ્ધ કઠોર વલણ' તરીકે વ્યાખ્યાયિત કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ ભાજપના સ્થાપનાથી આજદિન સુધી, ગુજરાતના આ જ નેતાઓ પ્રમુખથી CM સુધી પહોંચવામાં સફળ રહ્યા
ADVERTISEMENT
સામાન્ય રીતે સાંસ્કૃતિક કાર્યક્રમો દરમિયાન રાજકીય નિવેદનોને ટાળવાની પરંપરા હોવા છતાં, છેલ્લા સમયગાળા દરમિયાન આવા ઉદાહરણો વધી રહ્યાં છે. જેને લઈને લોકશાહીમાં ભાષાની મર્યાદા અને જવાબદારી પર ફરી ચર્ચા શરૂ થઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.