ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / આ રૂટ પરથી પસાર થનારી 2 'વંદે ભારત' બંધ કરાઈ, જાણો કેમ લેવાયો નિર્ણય

તમારા કામનું / આ રૂટ પરથી પસાર થનારી 2 'વંદે ભારત' બંધ કરાઈ, જાણો કેમ લેવાયો નિર્ણય

Published By: Vidhata Gothi

Last Updated: 03:03 PM, 13 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vande Bharat Express: ઉત્તર પશ્ચિમ રેલવેએ ફેબ્રુઆરી 2026થી બે વંદે ભારત બંધ કરવાનો નિર્ણય લીધો છે. રોજિંદા મુસાફરી કરતાં મુસાફરોએ હવે પોતાની મુસાફરીનું પ્લાનિંગ અન્ય ટ્રેનો પ્રમાણે કરવું પડશે.

ADVERTISEMENT

Vande Bharat Express: ભારતમાં 82 રૂટ્સ પર કુલ 164 વંદે ભારત ટ્રેન ચાલી રહી છે. ભારતની સેમી-હાઈ-સ્પીડ ઓળખ બની ચૂકેલી વંદે ભારત એક્સપ્રેસને લઈને રાજસ્થાનથી મોટી અપડેટ આવી છે. હાઇ સ્પીડ, મોડર્ન ઇન્ટિરિયર અને સ્મૂધ રાઇડ માટે લોકપ્રિય આ ટ્રેનોમાંથી બે સેવાઓ ઉત્તર પશ્ચિમ રેલવેએ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી એ મુસાફરોને પરેશાની થઈ છે કે જેઓ શોર્ટ ટ્રાવેલ ટાઇમ અને કમ્ફર્ટ માટે વંદે ભારતને પ્રાથમિકતા આપતા હતા. આ રૂટ પર રોજિંદા મુસાફરી કારનારાઓના મનમાં ઘણા સવાલ આવી રહ્યા છે. ક્યારે અને કયા રૂટની ટ્રેનો કેન્સલ થઈ, જાણો.

કયા રૂટ પર ટ્રેનો બંધ થઈ?

ઉત્તર પશ્ચિમ રેલવે પ્રમાણે, ટ્રેન નંબર 20981/82 ઉદયપુર શહેરથી આગ્રા કેન્ટ અને રીટર્ન વંદે ભારત સેવા 15 ફેબ્રુઆરી 2026 થી બંધ કરવામાં આવશે. આ સિવાય 20979/80 ઉદયપુર શહેરથી જયપુર અને રીટર્ન સેવા 14 ફેબ્રુઆરી 2026 થી બંધ કરવામાં આવશે. આ બંને રૂટ્સ પર વંદે ભારતે ઓછા સમયમાં ખાસ ઓળખ બનાવી લીધી હતી. ઉદયપુર, જયપુર અને આગ્રા વચ્ચે ઝડપી કનેક્ટિવિટી ઇચ્છતા મુસાફરોને આ નિર્ણયથી સમસ્યા થશે. નિયમિત મુસાફરોએ હવે અન્ય ટ્રેનો અને બદલાયેલા સમયપત્રકના આધારે તેમની મુસાફરીનું પ્લાનિંગ કરવું પડશે.

vtv app promotion

શા માટે લેવામાં આવ્યો આ નિર્ણય?

વંદે ભારત એક્સપ્રેસ બંધ થયા પછી, હવે ઘણા લોકોને સવાલ થઈ રહ્યો છે કે આ ટ્રેનો શા માટે બંધ કરવામાં આવી. જણાવી દઈએ કે રેલવેએ આ માટે કોઈ સત્તાવાર કારણ આપ્યું નથી. જોકે, મીડિયા અહેવાલોમાં જણાવાયું છે કે આ રૂટ પર પૂરતો લોડ મળી રહ્યો ન હતો. સાથે જ રૂટનું રેશનલાઇઝેશન અને ખર્ચ પણ નીકળી શકતો ન હતો. ઓછા મુસાફરોના ભાર સાથે હાઇ ક્લાસ સેવા ચલાવવી મોંઘી પડે છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે ભવિષ્યમાં આ રૂટમાં ફેરફારો અથવા પુનઃસંકલન પર વિચારણા થઈ શકે છે.

આ પણ વાંચો: PF એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા છે, પણ UAN નંબર ભૂલી ગયા, 2 મિનિટમાં આ રીતે થશે રિકવર

નવી વંદે ભારત ટ્રેનો શરૂ થશે

દેશમાં બે વંદે ભારત ટ્રેનો બંધ કરવામાં આવી છે. તો બીજી નવી વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવશે. રેલવેએ ઉદયપુર શહેર અને અમદાવાદના અસારવા વચ્ચે નવી વંદે ભારત ટ્રેનને મંજૂરી આપી છે. ટ્રેન નંબર 26963 સવારે 6:10 વાગ્યે ઉદયપુરથી ઉપડશે અને સવારે 10:25 વાગ્યે અસારવા પહોંચશે. રીટર્ન ટ્રેન નંબર 26964 અસારવાથી સાંજે 5:45 વાગ્યે ઉપડશે અને રાત્રે 10:00 વાગ્યે ઉદયપુર પહોંચશે. આ ટ્રેન મંગળવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ દોડશે. આ ટ્રેન રાજસ્થાન અને ગુજરાત વચ્ચે ઝડપી, આરામદાયક અને સમય-કાર્યક્ષમ મુસાફરીનો વિકલ્પ પ્રદાન કરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indian Railway Utility News Vande Bharat Express

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ