બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / પોસ્ટ ઓફિસની ગજબ સ્કીમ, ફક્ત એકવાર રોકાણ કરો, પછી વ્યાજથી 5 લાખની કમાણી

તમારા કામનું / પોસ્ટ ઓફિસની ગજબ સ્કીમ, ફક્ત એકવાર રોકાણ કરો, પછી વ્યાજથી 5 લાખની કમાણી

Ajitsinh Jadeja

Last Updated: 09:32 PM, 26 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Post Office NSC Scheme Benefits: પોસ્ટ ઓફિસની નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સ્કીમમાં તમારા રોકાણનો સંપૂર્ણ લાભ મેળવવા માટે તમારે તેને 5 વર્ષ સુધી ચલાવવું આવશ્યક છે.

Post Office NSC Scheme Benefits: પોસ્ટ ઓફિસની નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સ્કીમમાં તમારા રોકાણનો સંપૂર્ણ લાભ મેળવવા માટે તમારે તેને 5 વર્ષ સુધી ચલાવવું આવશ્યક છે. તેમા સારુ વ્યાજ સાથે ટેક્સ છુટનો લાભ મળે છે.

તમે રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો અને તે પણ તમારા પૈસા સુરક્ષિત રીતે રોકાણ કરવા માંગો છો તો પોસ્ટ ઓફિસ નાની બચત યોજનાઓ ખૂબ સારી છે. સરકાર પોતે તમારા રોકાણની સલામતીની ખાતરી આપે છે. આવી એક યોજના પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સ્કીમ છે, જ્યાં તમે એક સાથે રોકાણ દ્વારા માત્ર વ્યાજમાંથી 5 લાખ સુધી કમાઈ શકો છો.

POST OFFICE COVER

સરકાર 7.7ટકા આપે છે વ્યાજ

પોસ્ટ ઓફિસ એનએસસી એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. સરકાર આ નાની બચત યોજનામાં રોકાણ પર 7.7ટકાનો વ્યાજ દર આપી રહી છે. વ્યાજ દર ચક્રવૃદ્ધિ ધોરણે આપવામાં આવે છે. આ વ્યાજ રકમ 5 વર્ષના રોકાણ પછી ખાતામાં ટ્રાન્સફર થાય છે.

રોકાણ ફક્ત 1,000 રૂપિયાથી શરૂ

પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ્સ સ્કીમમાં ખાતું ખોલાવવું સરળ છે. તમે કોઈપણ પોસ્ટ ઓફિસમાં ઓછામાં ઓછા 1,000 રૂપિયાના રોકાણથી શરૂઆત કરી શકો છો. રોકાણની કોઈ મહત્તમ મર્યાદા નથી. 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના નામે પણ ખાતા ખોલી શકાય છે.

vtv app promotion

આ રીતે મળશે પુરો ફાયદો

પોસ્ટ ઓફિસ એનએસસી સ્કીમને સરળ રીતે સમજીએ તો તમે ખાતું ખોલો છો અને એક વર્ષ પછી તેને બંધ કરો છો. તમને ફક્ત તમારી રોકાણ કરેલી રકમ પાછી મળશે, વ્યાજનો એક પણ પૈસો મળશે નહીં. તેથી બધા લાભો મેળવવા માટે તેને સંપૂર્ણ પાંચ વર્ષ સુધી ચલાવવું જરૂરી છે. આ પોસ્ટ ઓફિસ યોજના આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ કર મુક્તિનો લાભ આપે છે. તમે એક નાણાકીય વર્ષમાં મહત્તમ 1.5 લાખ સુધી કર બચાવી શકો છો.

આ પણ વાંચોઃ ઓફિસના ધક્કા વગર ઘરે બેઠા જ રેશનકાર્ડમાં e-KYC કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

5 લાખ કેવી રીતે કમાશો?

હવે ચાલો સમજીએ કે આ પોસ્ટ ઓફિસ યોજનામાં એક સાથે રોકાણ કરવાથી 5 લાખની બમ્પર આવક કેવી રીતે થઈ શકે છે. ગણતરી ખૂબ સરળ છે. એનએસસી સ્કીમનો વ્યાજ દર 7.7 ટકા છે. કોઈ રોકાણકાર પાંચ વર્ષના લોક-ઇન સમયગાળા માટે એક સાથે રૂપિયા 11,00,000 નું રોકાણ કરે છે, તો તેમને કંપાઉંડિગ ઇંટરેસ્ટ સાથે મૈચ્યોરિટી પર 15,93,937 રૂપિયા મળશે. આમાંથી રૂપિયા 4,93,937 ફક્ત વ્યાજ હશે. જો કે તમે તમારા રોકાણને વધારી અને વધુ લાભ મેળવી શકો છો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

post office investment Post office Government Scheme
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ