ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / માત્ર તમારું આધાર કાર્ડ લઇને આવો, અને મેળવો ₹90000 સુધીની Loan, જાણો સ્કીમ

photo-story

6 ફોટો ગેલેરી

સરકારી યોજના / માત્ર તમારું આધાર કાર્ડ લઇને આવો, અને મેળવો ₹90000 સુધીની Loan, જાણો સ્કીમ

Last Updated: 12:37 PM, 15 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

PM SVANidhi Yojana: જો કોઈ નાનો-મોટો બિઝનેસ ચાલુ કરવા માંગતા હોય પણ પૈસાની તંગીને કારણે આમ કરી શકતા ન હોય, તો આવા લોકોની મદદ મોદી સરકાર કરશે. મોદી સરકારે કોરોનાકાળમાં રોગચાળાના કારણે લારીવાળાઓ માટે આ સરકારી સ્કીમની શરૂઆત કરી હતી, જેમના વ્યવસાય કોરોનામાં ખતમ થઈ ગયા હતા. આ સ્કીમ છે પીએમ સ્વનિધિ યોજના, જેમાં પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે સરકાર 90000 રૂપિયા સુધીની લોન આપી રહી છે.

1/6

photoStories-logo

1. 2030 સુધી મળશે લાભ

દેશ કોરોના રોગચાળામાંથી બહાર આવી ચૂક્યો છે. પરંતુ નાના વેપારીઓની મદદ માટે મોદી સરકારે આ પીએમ સ્વનિધિ યોજનાની ડેડલાઇન 31 માર્ચ 2030 સુધી લંબાવી દીધી છે. આ અંતર્ગત લોકોને પોતાનો બિઝનેસ શરૂ કરવામાં મદદ કરવામાં આવે છે. પહેલા આ સરકારી યોજનામાં 80000 રૂપિયા સુધીની લોન મળતી હતી, જેને ગયા વર્ષે 2025માં વધારીને સરકારે 90000 રૂપિયા કરી દીધી હતી. આ સિવાય લારી ચલાવતા લોકોને UPI Linked રૂપે ક્રેડિટ કાર્ડ પણ આપવામાં આવે છે. છૂટક અને હોલસેલ ટ્રાન્ઝેક્શન માટે ડિજિટલ પેમેન્ટ પર કેશબેક પણ આપવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ગેરંટી વિના મળે છે લોન

આ સરકારી યોજનાની ખાસ વાત એ છે કે આમાં 90000 રૂપિયા સુધીની લોન કોઈ ગેરંટી વિના આપવામાં આવે છે, જે તેની લોકપ્રિયતા વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ રકમ ત્રણ તબક્કામાં આપવામાં આવે છે, લાભાર્થીને નાનાથી શરૂ કરીને મોટી રકમ તેમની ક્રેડીબીલીટીના આધારે આપવામાં આવે છે. એટલે કે પહેલો હપ્તો ચુકવ્યા પછી બીજા હપ્તામાં વધારે અને પછી ત્રીજા હપ્તામાં એનાથી પણ વધારે લોન મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. કેવી રીતે મળશે 90,000 રૂપિયાની લોન

સ્વનિધિ યોજના અંતર્ગત એપ્લાય કરનારની અરજી મંજૂર થયા પછી તેને પહેલા હપ્તામાં સરકાર 15000 રૂપિયા આપે છે, જ્યારે બીજા હપ્તામાં 25000 રૂપિયા અને ત્રીજો હપ્તો 50000 રૂપિયાનો હોય છે. કોઈ પણ ગેરંટી વિના પહેલા હપ્તાની 15000 રૂપિયાની રકમ નિશ્ચિત સમયગાળામાં ચૂકવી દીધા પછી જ બીજો હપ્તો જારી કરવામાં આવે છે. તેને પણ નિશ્ચિત સમયમાં ચૂકવી દેવાથી ત્રીજા હપ્તામાં 50000 રૂપિયાની લોન આપવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. લોન માટે જોઈશે માત્ર આધાર કાર્ડ

આ સરકારી સ્કીમમાં 90000 રૂપિયાની લોન લેવા માટે માત્ર આધાર કાર્ડની જરૂર પડે છે. એટલે કે લોનના બદલામાં કોઈ પણ વસ્તુ ગિરવે નથી મૂકવી પડતી. સાથે જ લોનની રકમનું પેમેન્ટ નાની EMIથી કરવાની પણ આમાં સુવિધા મળી જાય છે. પીએમ સ્વનિધિ યોજના માટે સરકારી બેંકમાં અરજી કરી શકાય છે. યોજનાનું ફોર્મ લઈને એમાં માંગેલી માહિતી ભરીને આધાર કાર્ડની કોપી એટેચ કરીને ફોર્મ જમા કરી દો. બેંક ફોર્મમાં ભરેલી માહિતીની તપાસ કરીને લોન એપ્રુવલ આપી દે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. લાખો લોકોને મળ્યો લાભ

સરકારી આંકડા પ્રમાણે, 9 ડિસેમ્બર 2025 સુધીમાં પીએમ સ્વનિધિ યોજના દ્વારા 69.66 લાખથી વધુ લોકોને 15,191 કરોડ રૂપિયાની 1.01 કરોડથી વધુ લોન આપવામાં આવી છે. આ યોજનાના લગભગ 48 લાખથી વધુ લાભાર્થી ડિજિટલી એક્ટિવ છે. સરકારનું લક્ષ્ય આ યોજના હેઠળ 1.15 કરોડ લારી-વિક્રેતાઓને લાભ આપવાનું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. Disclaimer

અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે vtvgujarati.com આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

PM SVANidhi Yojana Sarkari Yojna Small Business Loan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ