બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Unique Ganesha in Vesu area of Surat

અનોખું / ખાસ વિશિંગ બેલ વગાડી મૂકો ચિઠ્ઠી, ગણેશજી બધી મનોકામના કરશે પરિપૂર્ણ, ગુજરાતમાં અહીં ટેલર પરિવારના ગણપતિ પ્રખ્યાત

Kishor

Last Updated: 08:46 PM, 21 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં એક એવા પણ ગણપતિ બિરાજે છે. જેને કાગળમાં પોતાની મનોકામના લખીને આપવાથી તે મનોકામના પૂર્ણ કરે છે. વેસુ વિસ્તારમાં આવેલા સ્ટાર ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહેતા ગજાનન ટેલર અને તેમનો પરિવાર છેલ્લા ઘણા વર્ષથી ગણપતિ બાપાનું વિધિવત સ્થાપન કરી તેની પૂજા અર્ચના કરે છે.

  • સુરતના વેસુ વિસ્તારમાં અનોખા ગણેશજી
  • અમરનાથની થીમ પર બનાવ્યા  
  • ખાસ વિશિંગ બેલ મુકવામાં આવી
  • ભક્તો ચિઠ્ઠીમાં વિશ લખી કાચની પેટીમાં નાખે છે

સુરતના વેસુ વિસ્તારમાં ટેલર પરિવારે આ શ્રીજીનું અમરનાથની થીમ પર સ્થાપન કરવામાં આવ્યું છે. જ્યા ખાસ વિશીંગ બેલ મૂકવામાં આવ્યો છે.  જેના થકી અનેક ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોવાનો પણ દાવો કરાઈ રહ્યો છે. જેને લઈને આસપાસથી પણ મોટી સંખ્યામા લોકો પોતાની મનોકામના કાગળમાં લખી બાપાને અર્પણ કરી દર્શન કરે છે.

Unique Ganesha in Vesu area of Surat
આજથી ત્રણ વર્ષ પહેલાં ટ્રેલર દંપતીને એવો વિચાર આવ્યો કે...
સુરતમાં પણ અનેક જગ્યા એ શ્રીજીનું સ્થાપન કરાયું છે. જોકે સુરતમાં એક એવા પણ ગણપતિ બિરાજે છે.જેને કાગળમાં પોતાની મનોકામના લખીને આપવાથી તે મનોકામના પૂર્ણ કરે છે. તેથી જ તેમને કામના પૂર્તિ ગણેશ પણ કહેવામાં આવે છે.સુરતના વેસુ વિસ્તારમાં આવેલ સ્ટાર ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહેતા ગજાનન ટેલર અને તેમનો પરિવાર છેલ્લા ઘણા વર્ષ થી ગણપતિ બાપાનું વિધિવત સ્થાપન કરી તેની પૂજા અર્ચના કરે છે. આજથી ત્રણ વર્ષ પહેલાં ટ્રેલર દંપતીને એવો વિચાર આવ્યો કે જેનાથી આ ગણપતિ દાદા દર્શનાર્થીઓ સૌના ભાગ્યવિધાતા બની ગયા છે.

Unique Ganesha in Vesu area of Surat

કાચની પેટી બનાવી

ટેલર દંપતીએ લોકોની મનોકામના પૂર્ણ કરવા માટે એક કાચની પેટી બનાવી છે. તેની અંદર ભક્તો પોતાની મનોકામના લખી અને પેટીની અંદર નાખી બેલ વગાડી બાપા પાસે મનોકામના માંગે છે અને આ મનોકામનાની ચિઠ્ઠીઓ બાપાની સાથે જ વિસર્જન કરવામાં આવે છે. આ થીમ શરૂ કર્યા બાદ ભક્તોની મનોકામના પૂર્ણ થવા લાગતા મોટી સંખ્યામાં આસપાસના વિસ્તારમાંથી ભાવિ ભક્તો ઉમટી પડે છે. અત્યાર સુધી અનેક લોકીની મનોકામના પૂર્ણ થઇ હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે.


આ વર્ષે અમરનાથની થીમ પર ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. અત્યારના સમયમાં લોકો અમરનાથ સુધી દર્શન કરવા જઈ ના શકતા હોય તે લોકો અહીંયા દર્શન કરવા આવી અને મનોકામના પૂર્તિ ગણપતિના દર્શન કરે છે. ટેલર દંપતીએ જે રીતે અમરનાથમાં કબૂતર ની જોડી છે તેજ રીતે કબુતરની લાઈવ જોડી મુકવાના આવી છે. મહત્વનું છે કે આયોજક દંપતિ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિ પણ કરે છે. જેમ કે વિકલાંગ ,માનસિક વિકલાંગ ,અનાથ આશ્રમ ,વૃદ્ધાશ્રમમાં રહેતા લોકો માટે ધાર્મિક પ્રવાસ સહિતના કાર્યોનો સમાવેશ થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ