બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Union Minister Devusinh Chauhan was stunned for the irresponsible work
Priyakant
Last Updated: 03:55 PM, 20 November 2023
Devusinh Chauhan Statement : નર્મદા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં દેવુસિંહ ચૌહાણે અધિકારીઓને ટકોર કરી હતી. વાત જાણે એમ છે કે, ટંકારી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં સંબોધન દરમિયાન કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ ગુસ્સે થયા હતા. કેન્દ્રીય મંત્રી કાર્યક્રમમાં ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત ન રહેતા ગુસ્સે થયા હતા. તેમણે કહ્યું કે, અધિકારીઓ એમ સમજે છે કે, મોટા છે બધાથી ઉપર છે. એ શેના માટે ? ડેમોક્રેટિક સીસ્ટમ છે. અહીં કોઈની રાજાશાહી નથી.
નર્મદા જિલ્લામાં ટંકારી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં અધિકારીઓ પર કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ ગુસ્સે થયા હતા. તેમણે કહ્યું કે, આપણા બધાનું કમિટમેન્ટ જનતા પ્રત્યેનુ છે. તમારે તમારા કામની જવાબદારી નિભાવવાની છે. અમે અમારી જવાબદારી નિભાવી પ્રજા વચ્ચે રહીએ છે. અમને પણ એમ થાય ઘરે બેસીએ પણ લોકો ભરોસો રાખે છે. લોકો ભરોસો રાખી દર 5 વર્ષે અમને ચૂંટે છે. આપણે જવાબદારીમાંથી છટકવાનું નથી. એકલા સરકાર કામ કરે તો સફળ ન થાય. દરેકે પોતાની જવાબદારી નિભાવવાની છે.
દેવુસિંહ ચૌહાણની ટકોર બાદ અધિકારીઓ કાર્યક્રમમાં રહ્યા હાજર
કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણની ટકોર બાદ અધિકારીઓ કાર્યક્રમમાં હાજર રહ્યા છે. ગઈ કાલે ટંકારી ખાતે કેન્દ્રીય મંત્રીએ અધિકારીઓ હાજર ન રહેતા ટકોર કરી હતી. કેન્દ્રીય મંત્રીએ ગઈકાલે અધિકારીઓ બાબતે કરેલ ટકોરની અસર જોવા મળી. આજે જીઓર પાટી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમમાં કલેક્ટર, અને ડીઆરડીએ અધિકારી હાજર રહ્યા હતા.
તલાટી મંત્રીનો દેવુસિંહ ચૌહાણે લીધો ઉધડો
આ તરફ અધિકારીઓની હાજરી બાદ કામગીરીને લઇ મંત્રી અકળાયા હતા. જીઓર પાટી ગામ ખાતે તલાટી મંત્રીનો દેવુસિંહ ચૌહાણે ઉધડો લીધો હતો. વિગતો મુજબ જાહેર સભામાં ગ્રામજનોને મંત્રીએ સવાલ કરતા મહીલાએ વાસ્તવિકતા કહી હતી. 1 મહિનાથી આવકનો દાખલો ન મળ્યાની ગ્રામજને ફરીયાદ કરતા મંત્રીએ તલાટીનો ઉધડો લીધો હતો. મંત્રી એ જાહેર મંચ પરથી કલેક્ટરને કહ્યું કે, ફોલોપ લો છે કે નહીં ? આ સાથે યાત્રા માટે આવેલ રથનો કોન્ટ્રાક્ટ રદ કરવા પણ દેવુસિંહે કલેક્ટરને આદેશ કર્યો હતો. તેમણે કહ્યું કે, બે દિવસ થી ફરું છું પણ રથમાં બતાવાતી ફિલ્મ બરાબર ચાલતી નથી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા