દેશનું આમ બજેટ આજોરોજ સંસદમાં રજૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજૂ કર્યું.જેમાં સૌથી મહત્વનું ટેક્સ સ્લેબમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.
નિર્મલા સીતારમણે બજેટને લઇને કહી આ વાત
નાણા મંત્રી નિર્મલા સીતારમણે સોમવારના રોજ બજેટને લઇને પત્રકાર પરિષદ યોજી. નિર્મલા સીતારમણે કહ્યું કે બજેટમાં અમારો મુખ્ય ફોક્સ ઇન્ફ્રાસ્ટ્રકચર અને હેલ્થ સેકટરને લઇને હતો. આ વખતે બજેટમાં 37 ટકાનો વધારો થયો છે. નિર્મલા સીતારમણે કહ્યું કે જે કૃષિ સેંસ લગાવામાં આવ્યો છે, આમ જનતા પર ઘણો ઓછો ભાર પડશે.
બજેટ પર પીએમ મોદીનું સંબોધન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રજૂ કરાયેલા બજેટ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. પીએમ મોદીએ ક હ્યું કે આ બજેટ નવા ભારતનમાં આત્મવિશ્વાસ પુરનાર છે. બજેટ દેશના ઇન્ફ્રાંસ્ટ્રકચરમાં બદલાવ લાવશે, આ સાથે જ યુવાઓને અનેક તક આપવાનું કામ કરશે. પીએમ મોદીએ કહ્યું કે એવા બજેટ ઓછા જોવા મળતા હોય છે, જેમાં શરુઆતમાં સારા રિસ્પોન્સ આવ્યાં. પીએમ મોદીએ કહ્યું પડકારો હોવા છતા અમારી સરકારે બજેટને ટ્રાન્સપરેન્ટ બનાવવા પર મહેનત કરી.
ટેક્સપેયર્સને ન મળી કોઇ રાહત
ટેક્સ પેયર પર બોઝ વધારવાનો સમય નથી. ટેક્સ સિસ્ટ પારદર્શી રાખવાનો સમય છે. આમ કરદાતાને ટેક્સમાં કોઇ છૂટછાટ આપવામાં આવી નથી. GST હવે ચાર વર્ષ જૂની થઇ ગઇ છે. GSTN સિસ્ટમની ક્ષમતા પણ વધારવામાં આવી છે. ખોટા બિલ આપનારાઓની ઓળખ થઇ રહી છે. છેલ્લા કેટલાક મહીનામાં રેકોર્ડ GST કલેકશન થયું છે. ટેક્સ ઓડિટની લિમિટ 5 કરોડથી વધારીને 10 કરોડ કરવાનો પ્રસ્તાવ રજૂ કરાયો છે. આ રીતે સરકારે ટેકસેશન સિસ્ટમની જટિલાતને ખતમ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
મોબાઇલ ઉપકરણ પર કસ્ટમ ડયૂટી વધારવામાં આવી
નાણા મંત્રી નિર્મલા સીતારણે એલાન કર્યું છે કે મોબાઇલ ઉપકરણ પર કસ્ટમ ડયૂટીમાં વધારો કરવામાં આવ્યો છે. હવે 2.5 ટકા સુધી કરવામાં આવ્યો છે. જો કે કોપર અને સ્ટીલ ડયૂટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
ટેક્સ સ્લેબને લઇને નિર્મલા સીતારમણનું એલાન
નાણા મંત્રીએ એલાન કર્યું છે કે જ્યારે દુનિયા એટલા મોટા સંકટમાંથી પસાર થઇ રહ્યું છે જ્યારે બધાની નજર ભાર પર છે. એવામાં આપણે ટેક્સપેયર્સને બધી સુવિધા આપવી જોઇએ.
નાણા મંત્રી એ સીનિયર સીટીઝની માટે સ્પેશ્ય એલાન કર્યું. 75 વર્ષના વધારે ઉંમરવાળા સનીનિયર સીટીઝનને હવે રાહત આપવામાં આવી છે. 75 વર્ષથી વધારે ઉંમરવાળાને ટેક્સ માળખામાંથી મુક્ત કરાયા છે. આ માત્ર પેન્શન લેનારાને જ લાભ મળશે.
નિર્મલા સીતારમણે જાહેરાત કરી કે NRI લોકોએ ટેક્સ ભરવા માટે ઘણી મુશ્કેલી પડતી હતી, પરંતુ હવે તેઓને ડબલ ટેક્સ સિસ્ટમમાંથી છૂટ આપવામાં આવી રહી છે. નાણામંત્રીએ એલાન કર્યું છે કે સ્ટાર્ટ અપને જો ટેક્સ આપવાની શરુઆત આપવામાં આવી હતી, તેને હવે 31 માર્ચ 2022 સુધી વધારવામાં આવ્યા છે.
રાજકોષીય ખાદ્ય પર નાણા મંત્રીએ શું કહ્યું?
નાણાં મંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં કહ્યું કે રાજકોષીય ખાદ્યને 6.8 ટકા સુધી રહેવાનું અનુમાન છે. જેના માટે સરકારને 80 હજાર કરોડ રૂપિયાની જરૂરિયાત પડશે, જે આવનારા બે મહિનામાં માર્કેટમાંથી લેવામાં આવશે.
ડિજિટલ જનગણના અને સ્પેશ મિશનનુ એલાન
નાણા મંત્રી નિર્મલા સીતારમણે એલાન કર્યું છે કે ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ આ વખતે PSLV-CS51ને લોન્ચ કરશે. ગગનયાન મિશનનું માનવ રહિત પહેલુ લોન્ચ આ વર્ષે ડિસેમ્બરમાં કરવામાં આવશે. નાણા મંત્રીએ એલાન કર્યું કે ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ હેઠળ એક ટર્બિયૂનલ બનાવામાં આવશે, જે કંપનીઓના વિવાદને જલ્દી ઉકેલ કરશે. આગામી જનગણના પહેલી ડિજિટલ જનગણના હશે.
લેહમાં સેન્ટ્રલ યુનિવર્સિટી બનાવાની જાહેરાત
નાણા મંત્રી નિર્મલા સીતારમણે એલાન કર્યું છે કે દેશમાં અંદાજે 100 નવા સૈનિક સ્કૂલ બનાવામાં આવશે. લેહમાં કેન્દ્રીય યૂનિવર્સિટી બનાવા માટે એલાન કર્યું છે.
નાણા મંત્રીએ કહ્યું કે અનુસૂચિત જાતિના 4 કરોડ વિદ્યાર્થીઓ માટે 35 હજાર કરોડ રુપિયાનું એલાન કરવામાં આવ્યું. આ ક્ષેત્રમાં સંયુક્ત અરબ અમીરાતની સાથે મળીને સ્કિલ ટ્રેનિંગ પર કામ કરવામાં આવી રહ્યું છે, જેમાં લોકોને કામ મળી શકે. આમાં ભારત અને જાપાન મળીને એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં છે.
કૃષિ-ફિશિંગ સેક્ટર માટે એલાન
નાણા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે સ્વામિત્વ યોજનાને હવે દેશભરમાં લાગુ કરવામાં આવશે. એગ્રીકલ્ચરના ક્રેડિટ ટારેગટને 16 લાખ કરોડ સુધી કરવામાં આવી રહ્યાં છે. ઓપરેશન ગ્રીન સ્કીમનું એલાન કરવામાં આવ્યું છે, જેમાં કેટલાક પાકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને ખેડૂતોને લાભ પહોંચાડવામાં આવશે.
નાણ મંત્રી નિર્મલા સીતારમણે તરફથી પાંચ ફિશિંગ હાર્બરને આર્થિક ગતિવિધિના હબ તરીકે તૈયાર કરવામાં આવશે. તામિલનાડુમાં ફિશ લેન્ડિંગ સેન્ટરનો વિકાસ કરવામાં આવશે. પ્રવાસી મજદૂર માટે દેશભરમાં એક દેશ-એક રાશન યોજના શરુ કરવામાં આવી છે. એક પોર્ટલની શરુઆત કરવામાં આવશે, જેમાં માઇગ્રેટ વર્કરથી જોડાયેલ ડેટા હશે.
સરકાર ખેડૂતો માટે સમર્પિત, બજેટમાં નાણામંત્રીના નિવેદનથી થયો હંગામો
નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં કહ્યું કે સરકાર ખેડૂતોની આવક બે ગણી કરવા તરફ કામ કરી રહી છે. નાણા મંત્રી તરફથી કહેવામાં આવ્યું કે યૂપીએ સરકાર અંદાજે ત્રણ ગણી રકમ મોદી સરકારે ખેડૂતોના ખાતામાં પહોંચાડી છે. નાણા મંત્રીએ કહ્યું કે મોદી સરકાર તરફથી દરેક સેકટરમાં ખેડૂતોને મદદ કરવામાં આવી, દાળ, ઘઉ, ધાન સહિત અન્ય પાકમાં MSP વધારવામાં આવી છે.
ઇન્સ્યોરન્સ સેક્ટરમાં FDIના રોકાણમાં કરાયો વધારો
નાણા મંત્રી નિર્મલા સીતારમણે એલાન કર્યું છે કે હવે ઇન્સ્યોરન્સ ક્ષેત્રમાં 74 ટકા FDI થઇ શકશે. પહેલા આ માત્ર 49 ટકાની મંજૂરી હતી. આ સિવાય રોકાણ માટે ચાર્ટર બનાવાનું એલાન કરવામાં આવ્યું.
નાણામંત્રીએ સ્ટાર્ટ અપ કંપનીનું એલાન કર્યું છે. જેના હેઠળ અંદાજે એક ટકા કંપનીઓને કોઇપણ રોક-ટોક વગર શરુઆતમાં કામ કરવાની મંજૂરી આપવામાં આવી.
નાણામંત્રીએ નિર્મલા સીતારમણે જણાવ્યું કે રોકાણ માટે સરકાર સતત કામ કરી રહી છે. કેટલીક કંપનીઓની પ્રક્રિયા આ વર્ષે પૂરી થઇ જશે. નાણા મંત્રી એલાન કર્યું કે આ વર્ષે LIC નો IPO માર્કેટમાં લાવામાં આવશે.
જમ્મૂ-કાશ્મીરમાં ગેસ પાઇપલાઇન યોજનાનું એલાન
નાણા મંત્રી સીતારમણે જાહેરાત કરી છે કે ઉજ્જવલ યોજના હેઠશ એક કરોડ વધુ લાભાર્થીઓને જોડવામાં આવશે, અત્યાર સુધીમાં 8 કરોડ લોકોને આ મદદ આપવામાં આવી. જમ્મૂ-કાશ્મીરમાં પણ ગેસ પાઇપ લાઇન યોજના શરુઆત કરવામાં આવશે.
વીજળી ક્ષેત્ર માટે નાણામંત્રીની મોટી જાહેરાત
નાણા મંત્રી તરફથી વીજળી ક્ષેત્ર માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. સરકાર તરફથી 3 લાખ કરોડ રૂપિયાથી વધારાની સ્કીમ લોન્ચ કરવામાં આવી રહી છે. જે દેશમાં વીજળી સાથે જોડાયેલ ઇન્ફ્રાસ્ટ્રકચરને મજબૂત કરવાનું કામ કરશે. સરકાર તરફથી હાઇડ્રોજન પ્લાનટ બનાવાની જાહેરા કરવામાં આવશે. વીજળી ક્ષેત્રમાં PPP મોડલ હેઠળ કેટલા મહત્વના પ્રોજેક્ટને પુરા કરવામાં આવશે.
ભારતમાં મેર્ચે શિપ્સને પ્રોત્સાહન આપવા માટે કામ કરવામાં આવશે, શરુઆતમાં 1624 કરોડ રૂપિયા આપવામાં આવશે. તે સિવાય ગુજરાતમાં હાલના પ્લાન્ટ દ્વારા શિપને રિસાઇકલ કરવાનું કામ કરવામાં આવશે.
રેલવે અને મેટ્રો માટે મોટી જાહેરાત
નાણા મંત્રીએ કહ્યું રે રાષ્ટ્રીય રેલ યોજના 2030 તૈયાર કરવામાં આવી છે. કુલ 1.10 લાખ કરોડ રુપિયાનું બજેટ રેલવેને આપવામાં આવ્યું છે. ભારતીય રેલવે સિવાય મેટ્રો, સીટી બસ સેવાને વધારવા પર ફોક્સ કરવામાં આવશે. જેના માટે 18 હજાર કરોડ રુપિયાની જોગવાઇ કરવામાં આવશે. હવે મેટ્રો લાઇટને લાવવા પણ ફોક્સ કરવામાં આવશે. કોચ્ચિ, બેંગલુરુ, ચેન્નાઇ, નાગપુર, નાસિકમાં મેટ્રો પ્રોજેક્ટને આગળ વધારવાનું એલાન કરવામાં આવશે.
બંગાળ સહિત કેટલાક ચૂંટણી રાજ્યો માટે એલાન
નાણા મંત્રીએ કહ્યું કે તામિલનાડુ માટે નેશનલ હાઇવે પ્રોજેક્ટ 1.03 લાખ કરોડ, જેમાં ઇકોનોમિક કોરિડોર બનાવામાં આવશે. કેરળમાં 65 હજાર રૂપિયાના નેશનલ હાઇવે બનાવામાં આવશે. મુંબઇ-કન્યાકુમારી ઇકોનોમિક કોરિડોરનું એલાન કરવામાં આવ્યું. પશ્ચિમ બંગાળમાં કોલકાતા-સિલીગુડી માટે નેશનલ હાઇ પ્રોજેક્ટનું એલાન કરવામાં આવ્યું.
ટેક્સટાઇલ પાર્ક માટે મોટુ એલાન
નાણા મંત્રી નિર્મલા સીતારમણ તરફથી આમ બજેટમાં જણાવામાં આવ્યું કે 7 ટેક્સટાઇલ પાર્ક બનાવામાં આવશે, જેથી આ ક્ષેત્રમાં ભારત એક્સપોર્ટ કરનારો દેશ બની શકે. આ પાર્ક ત્રણ વર્ષમાં તૈયાર કરવામાં આવશે. નાણા મંત્રી તરફથી ડેવલપમેન્ટ ફાઇનાન્શિયલ ઇન્સ્ટીટયૂટ બનાવાનું એલાન કરવામાં આવ્યું, જેમાં ત્રણ વર્ષની અંદર 5 લાખ કરોડ રૂપિયાના ઉધારી પ્રોજેક્ટ હોય.
બજેટમાં એલાન કરવામાં આવ્યું કે રેલવે, NHAI, એરપોર્ટ ઓથોરિટીની પાસે હવે ઘણા પ્રોજેકટ છે જે પોતાના લેવલ પર પાસ કરવાની તાકાત હશે. નાણા મંત્રીએ પૂજીગંત વ્યય માટે 5 લાખ કરોડથી વધારે બજેટનું એલાન કરવામાં આવશે. આ એલાન ગત બજેટથી 30 ટકાથી વધારે છે.
આત્મનિર્ભર આરોગ્ય ભારત યોજનાનું એલાન
નાણા મંત્રી નિર્મલા સીતારમણે પોતાના બેજટ ભાષણમાં આત્મનિર્ભર આરોગ્ય ભારત યોજનાનું એલાન કરવામાં આવ્યું છે. સરકાર તરફથી 64180 કરોડ રુપિયાની જોગવાઇ કરવામાં આવી છે અને આરોગ્યના બજેટમાં વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ સરકાર તરફથી WHOના સ્થાનીય મિશનને ભારતમાં લોન્ચ કરવામાં આવશે.
નાણા મંત્રી નિર્મલા સીતારમણે સ્વચ્છ ભારત મિશનને આગળ વધારવાનું એલાન કર્યું છે. જેના હેઠળ શહેરોમાં અમૃતમ યોજનાને આગળ વધારવામાં આવશે. જેના માટે 2,87,00 કરોડ રૂપિયા જાહેર કરવામાં આવ્યાં છે. આ સાથે નાણામંત્રી તરફથી મિશન પોષણ 2.0નું એલાન કરવામાં આવ્યું છે.
નાણા મંત્રી તરફથી કોરોના વેક્સિન માટે 35 હજાર કરોડ રૂપિયાનું એલાન કરવામાં આવ્યું છે. નાણા મંત્રીએ જણાવ્યું કે આરોગ્ય ક્ષેત્ર માટે બજેટના 137 ટકા વધારો કરાયો છે.
મુશ્કેલ સમયમાં છે ગ્લોબલ ઇકોનોમીઃ નાણામંત્રી
નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આ આ વખતે ડિજિટલ બજેટ છે, આ એવા સમયે આવી રહ્યું છે કે જ્યારે દેશમાં જીડીપી સતત બે વખત માઇનમાં ગયો છે, પરંતુ ગ્લોબલ ઇકોનોમીની સાથે આવુ થયું છે. 2021 ઐતિહાસિક વર્ષ થવા જઇ રહ્યું છે, જેના પર દેશની નજર છે. મુશ્કેલના આ સમયમાં મોદી સરકારનું ફોક્સ ખેડૂતોની આવક બે ગણી કરવા પર તેમજ વિકાસમાં તેજી તેમજ આમ જનતાને સહાયતા પહોંચાડવા પર છે.
કોરોના કાળમાં આવ્યાં પાંચ મીની બજેટ
નિર્મલા સીતારમણે કહ્યું કે મોદી સરકાર તરફથી આત્મ નિર્ભર પેકેજ, કેટલીક યોજનાઓને કોરોના કાળમાં દેશમાં સામે આવી છે. જેને લઇને અર્થવ્યવસ્થાને ઝડપથી આગળ વધારવામાં આવી શકે. આત્મનિર્ભર ભારત પેકેજની કુલ 27.1 લાખ કરોડ રુપિયાની મદદ જાહેર કરવામાં આવી. આ બધા પાંચ મીની બજેટ સમાન હતી.
નાણા મંત્રીનું બજેટ પર ભાષણ શરુ
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં આમ બજેટ રજૂ કરી રહી છે. આ દરમિયાન વિપક્ષ સાંસદો દ્વારા સતત નારેબાજી કરવામાં આવી રહી છે. નિર્મલા સીતારમણે ક હ્યું કે ગત વર્ષે દેશ માટે ઘણી મુશ્કેલી ભર્યો સમય રહ્યો છે, એવામાં એવા સમયે બજેટ એવાસમયે આવી રહ્યું છે જ્યારે ઘણું સંકટ છે.
મોદી કેબિનેટની બજેટને મંજૂરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેટકમાં આમ બજેટની મંજૂરી આપવામાં આવી છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ કરજૂ કરશે.
બજેટ પહેલા કોંગ્રેસ સાંસદનો વિરોધ
કોંગ્રેસ સાંસદ ગુરજીત ઔજલા સંસદમાં કાળા કપડા પહેરીને આવ્યાં છે. કોંગ્રેસના રાષ્ટ્રપતિના અભિભાષનો પણ બહિષ્કાર કર્યો હતો, હવે ખેડૂત આંદોલનના મુદ્દા પર કોંગ્રેસ સાંસદ તરફથી વિરોધ કરવામાં આવી રહ્યો છે.
મોદી કેબિનેટની બેઠક શરુ
પ્રધાનમંત્રી નરન્દ્ર મોદી સંસદ ભવન પહોંચી ગયા છે અને હવે કેબિનેટની બેઠક શરુ થઇ ગઇ છે. મોદી કેબિનેટમાં બજેટને મંજૂરી આપવામાં આવશે. ત્યારબાદ બજેટને સંસદમાં રજૂ કરવામાં આવશે.
Finance Minister @nsitharaman, MoS Finance & Corporate Affairs @ianuragthakur, and senior officials of the Ministry of Finance, called on President Kovind at Rashtrapati Bhavan before presenting the Union Budget 2021-22. pic.twitter.com/FUNptDXnHB
બજેટ રજૂ કરતા પહેલા નાણામંત્રીએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી
બજેટ રજૂ કરતા પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી.
બજેટમાં પહેલા સેન્સેક્સમાં તેજી
આમજનતાના બજેટ પહેલા શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સમાં 400 પોઇન્ટની તેજી જોવા મળી છે. બજેટને લઇને માર્કેટમા વિશેષજ્ઞોમાં આશા જોવા મળી છે.
Delhi: Finance Minister Nirmala Sitharaman will present and read out the #UnionBudget 2021-22 at the Parliament through a tab, instead of the traditional 'bahi khata'. pic.twitter.com/Ir5qZYz2gy
નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને રાજ્ય કક્ષાના નાણા મંત્રી અનુરાગ ઠાકુર, નાણા મંત્રાલયથી રાષ્ટ્રપતિ ભવન નીકળ્યા હતા. નાણા મંત્રી આજે સંસદમાં દેશનું આમ બજેટ રજૂ કરશે. કોવિડના કારણે આ વખતે પહેલી વખત બજેટ પેપરલેસ હશે. નાણા મંત્રાલયનું માનીએ તો મેડ-ઇન-ઇન્ડિયા ટેબલેટ દ્વારા નાણા મંત્રી બજેટ રજૂ કરશે. બજેટની સોફ્ટ કોપી, ઓનલાઇનમાં ઉપલબ્ધ હશે.