બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / મામો જ નીકળ્યો ભાણેજનો હત્યારો! હત્યા બાદ કરી નાખ્યા 7 ટુકડા, અને પછી કર્યો ખૌફનાક કાંડ
Last Updated: 02:47 PM, 11 October 2025
સુરતના ઉધના વિસ્તારમાંથી એક હ્રદયવિદારી ઘટના સામે આવી છે જ્યાં એક મામાએ પોતાના ભાણેજની હત્યા કરીને તેનું શવ અનેક ટુકડાઓમાં વિભાજિત કરી ખાડીમાં ફેંકી દીધું હોવાની માહિતી સામે આવી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
ADVERTISEMENT
અધિકારીઓ પાસેથી મળેલી વિગતો મુજબ ઉધનાના ભાઠે વિસ્તારના અમરનગરમાં રહેતા 25 વર્ષીય અમીર આલમ પોતાના મામા મોહમ્મદ ઈતેકાર સાથે રહેતા હતા. ક્યાંકકઈ વ્યક્તિગત બાબતને લઈને બંને વચ્ચે તીવ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ મામાએ તીક્ષ્ણ હથિયારથી ભાણેજ પર જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો.

ADVERTISEMENT
પરિવારજનો દ્વારા ઉધના પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી
અમીર આલમ ત્રણ દિવસથી ગુમ હોવાથી પરિવારજનો દ્વારા ઉધના પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે તપાસ શરૂ કરતાં શંકાની સૂઈ મામા ઈતેકાર તરફ વળી હતી. કડક પુછપરછ બાદ ઈતેકારે ભાણેજની હત્યાની કબુલાત કરી.
ADVERTISEMENT

લાશના ટુકડા કર્યા અને તેને ખાડીમાં ફેંકી દીધા
ADVERTISEMENT
તપાસમાં ખુલ્યું છે કે હત્યા કર્યા બાદ ઈતેકારે અમીરની લાશના ટુકડા કર્યા અને તેને ખાડીમાં ફેંકી દીધા હતા. હાલમાં પોલીસ દ્વારા ઈતેકારની અટકાયત કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં ફરી રોગચાળાએ માથું ઉચક્યું, હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઇ! શહેરીજનો એલર્ટ
ADVERTISEMENT
પોલીસ દ્વારા તપાસ ચાલુ
પોલીસ હાલ ઘટના સ્થળની નજીકના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે વધુ વિગતો બહાર લાવવાનો પ્રયાસ કરી રહી છે. આવી નરાધમ હરકતથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.