બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / Two people died of diarrhea and vomiting in Surat
Last Updated: 02:50 PM, 11 April 2024
Surat Latest News : સુરતમાં અચાનક રોગચાળો વકર્યો છે. વાત જાણે એમ છે કે, સુરતમાં રોગચાળો ફાટી નીકળ્યા બાદ હવે ઝાડા ઉલટીથી બે લોકોના મોત થયાના સમાચાર સામે આવતા ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ સચિન GIDC વિસ્તારમાં અને ગોડાદરા વિસ્તારમાં બે વ્યક્તિના મોત થયા છે. આ તરફ હવે સુરત મ્યુનિશિપલ કોર્પોરેશનની ટીમે આ વિસ્તારોમાં સર્વે હાથ ધર્યો છે.
ADVERTISEMENT
વધુ વાંચો: ઘોઘા-પીપાવાવ-મુંબઈ ફેરી સર્વિસ શરૂ કરવાની કવાયત, 14 કલાકની મુસાફરી 7 કલાકમાં પૂરી થશે
ડાયમંડ સિટી સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી રોગચાળો વકર્યો છે. આ દરમિયાન સુરતના સચીન GIDCમાં રહેતા 2 વર્ષના વિષ્ણુ પાસવાન અને ગોડાદરા વિસ્તારમાં અને એક મહિલાનું ઝાડા-ઉલટીને કારણે 2 વ્યક્તિના મૃત્યુ થયા છે. ઝાડા-ઉલટીના કેસ વધતા મનપાનુ તંત્ર દોડતું થયુ છે. વિગતો મુજબ અહીં એક મહિલા અને એક બાળક ઝાડા-ઉલટીના કારણે મૃત્યુ થયાની ઘટના સામે આવી છે. જેણે લઈ હવે મનપાની ટીમે પાણીથી કોઈ ચેપ લાગ્યો હોય કે કેમ તે માટે સર્વે કર્યો છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.