બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Three minors drowned simultaneously in Surendranagar's Dholidhaja Dam

દુઃખદ બનાવ / સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમમાં એક સાથે ત્રણ સગીરો ડૂબ્યા, પરિવારના કરૂણ આક્રંદથી વાતાવરણ ગમગીન

Malay

Last Updated: 01:22 PM, 21 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surendranagar News: સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમમાં ડૂબી જતાં ત્રણ સગીરોના કરૂણ મોત, પરિવારના હૈયાફાટ આક્રંદથી ગમગીની છવાઇ.

 

  • ડેમમાં ડૂબેલા ત્રણ સગીરના મળ્યા મૃતદેહ
  • ગઈકાલે ડેમમાં ડૂબ્યા હતા ત્રણ સગીર
  • ત્રણેયના મૃતદેહને ડેમમાંથી બહાર કઢાયા

સુરેન્દ્રનગર જિલ્લામાંથી ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમમાં ડૂબી જવાથી ત્રણ સગીરોના મૃત્યુ નીપજ્યા છે. ફાયર વિભાગની ટીમ દ્વારા ભારે જહેમત બાદ ત્રણેય સગીરોના મૃતદેહોને ધોળીધજા ડેમમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. હાલ ત્રણેય સગીરના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ લઈ જવાયા છે.

ડેમમાં ન્હાવા પહોંચ્યા હતા 5 મિત્રો
મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના તેજસ, શ્રેય અને મહેશ નામના સગીરો અન્ય 2 મિત્રો સાથે ગઈકાલે સાંજે ધોળીધજા ડેમામાં ન્હાવા માટે ગયા હતા. આ દરમિયાન ત્રણ સગીરો ડેમમાં ન્હાવા માટે કૂદ્યા હતા, જ્યારે બે બહાર બેસીને મોબાઈલમાં ગેમ રમી રહ્યા હતા. આ દરમિયાન ડેમમાં ન્હાવા પડેલા ત્રણેય સગીરો એકાએક પાણીમાં ડૂબી ગયા હતા. જેથી મોબાઈલમાં ગેમ રમી રહેલા મિત્રો દ્વારા આ અંગેની જાણ ફાયર વિભાગ અને પોલીસને કરવામાં આવી હતી.

3 સગીર પાણીમાં થયા હતા ગરકાવ
જે બાદ પોલીસ અને ફાયરની ટીમ ધોળીધજા ડેમ ખાતે દોડી આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ડેમમાં સગીરોનો શોધખોળ હાથ ધરાઈ હતી, રાત પડી ગઇ હોવાથી અને ડેમમાં 18 ફૂટ પાણી હોવાથી ફાયર બ્રિગેડના જવાનોએ ઓપરેશન જોખમી હોવાથી પડતું મૂકીને બહાર નિકળી ગયા છે અને વહેલી સવારથી ફરીથી ઓપરેશન શરૂ કર્યું હતું. 

પરિવારજનોમાં શોકનો માહોલ
આ દરમિયાન ફાયર વિભાગની ટીમને પહેલા બે સગીરોના મૃતદેહ મળી આવ્યા હતા. જેના એકાદ કલાક પછી ત્રીજાનો પણ મૃતદેહ ડેમમાંથી મળી આવ્યો હતો. જે બાદ ત્રણેય સગીરોના પરિવારજનોના આક્રંદથી વાતાવરણમાં ગમગીનીનો માહોલ છવાઇ ગયો છે. 

પોલીસે તપાસ શરૂ કરી
હાલ ત્રણેય સગીરના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડીને પોલીસે કાર્યવાગી હાથ ધરી છે. માતા-પિતાને આ મામલે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, તેમના બાળકો નાસ્તો કરવાનું કહીને ઘરેથી નિકળ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ