બ્રેકિંગ ન્યુઝ
મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ
આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા
કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન
અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન
ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર
અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે
અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
VTV / ગુજરાત / અમદાવાદ / There may be an alliance between Congress and NCP in the Gujarat assembly elections
Malay
Last Updated: 03:02 PM, 20 September 2022
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ અને મતદારોને આકર્ષવા અલગ-અલગ પક્ષો દ્વારા અલગ અલગ જાહેરાતો કરવામાં આવી રહી છે. ગુજરાતનો ગઢ જીતવા દરેક રાજકીય પાર્ટીઓ મથામણ કરી રહી છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
કોંગ્રેસ અને એનસીપી વચ્ચે થઈ શકે છે ગઠબંધન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને એનસીપી ગઠબંધન કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, NCPએ કોંગ્રેસ પાસે 10 બેઠકોની માંગ કરી છે. તો ગઠબંધન કરવા કોંગ્રેસે NCP સમક્ષ કેટલીક શરતો મૂકી છે. કોંગ્રેસના નેતાઓએ કાંધલ જાડેજાને લઇ સવાલ ઉઠાવ્યા છે.
બંને વચ્ચે ચાલી રહી છે વાતચીત
આ સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, હજુ સુધી કોંગ્રેસ 10 બેઠકને લઈને સહમત થઈ નથી, હાલ બંને વચ્ચે આ મામલે વાતચીત ચાલી રહી છે. કાંધલ જાડેજા મામલે સ્ટેન્ડ ક્લીઅર કરવા કોંગ્રેસે એનસીપીને જણાવ્યું છે. નોંધનીય છે કે, ગત રાજ્યસભા ચૂંટણીમાં NCPના ધારાસભ્ય કાંધલ જાડેજાએ ક્રોસ વોટિંગ કર્યું હતું.
હજુ સુધી નથી કરાઈ સત્તાવાર જાહેરાત
આ સમાચારને લઇને હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. જો બંને પક્ષ વચ્ચે બધુ જ યોગ્ય રહેશે તો ટૂંક સમયમાં આ જાહેરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ અને એનસીપી વચ્ચેનું ગઠબંધન તુટ્યુ હતું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT