બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / ગોડસેના સમર્થકો પાસેથી શીખવાનું કશું નથી, RSSના વખાણ પર ઘેરાયેલા દિગ્વિજય સિંહનો ખુલાસો
Last Updated: 03:46 PM, 28 December 2025
કોંગ્રેસ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે RSSને ગોડસેની વિચારધારા ગણાવી છે. તેમને કહ્યું કે, તેઓ વૈચારિક લેવલે RSSના કટ્ટર વિરોધી છે અને કોંગ્રેસને "ગાંધીજીના હત્યારા" ગોડસેની વિચારધારામાંથી કંઈ શીખવાની જરૂર નથી. તેમને તાજેતરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને ભાજપની સંગઠનાત્મક રચનાની પ્રશંસા કરી હતી. જેથી રાજકીય માહોલ ગરમી ગયો હતો. હવે તેમને કહ્યું છે કે, RSS પાસેથી શીખવા જેવું કશું જ નથી.
ADVERTISEMENT
દિગ્વિજય સિંહે RSSના શિસ્ત અને પાયાના કાર્યકરોને ઉચ્ચ હોદ્દા સુધી પહોંચાડવાની ક્ષમતાની પ્રશંસા કરી હતી જેથી તેઓ અને તેમની પાર્ટી અવઢવમાં મૂકી ગી હતી. હવે તેમને કહ્યું છે કે, "મારે જે કહેવું હતું તે કહ્યું. હું છેલ્લા 50 વર્ષથી કોંગ્રેસમાં છું અને વિધાનસભાથી લઈને સંસદ સુધી આ સાંપ્રદાયિક શક્તિઓ સામે લડ્યો છું. હું હંમેશા ભાજપ-RSSની વિચારધારાનો વિરોધ કરતો રહ્યો છું અને આગળ પણ કરતો રહીશ."
RSSની શિસ્ત વિશે પૂછવામાં આવતા દિગ્વિજએ આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે,, "કોંગ્રેસને નાથુરામ ગોડસે જેવા હત્યારાઓના સમર્થકો પાસેથી કંઈ શીખવાની જરૂર નથી." સાથે તેમને એમ પણ ખ્યી હતું કે, કોઈપણ સંગઠને સમયાંતરે પોતાને મજબૂત બનાવવાની જરૂર હોય છે.
ADVERTISEMENT
#WATCH | Delhi | On Congress leader Digvijaya Singh praising the organisational strength of the Rashtriya Swayamsevak Sangh, Congress MP Shashi Tharoor says, "We have a history of 140 years, and we can learn a lot from it. We can learn from ourselves, too. Discipline is very… pic.twitter.com/NUfz7scRiu
— ANI (@ANI) December 28, 2025
ADVERTISEMENT
દિગ્વિજય સિંહના નિવેદનથી ભારે ચર્ચા શરૂ થી હતી એવામાં તિરુવનંતપુરમના સાંસદ શશિ થરૂરે દિગ્વિજય સિંહનો બચાવ કરતા કહ્યું કે, "કોઈપણ રાજકીય પક્ષ માટે શિસ્ત મહત્વની હોય છે. અમારી પાર્ટીનો 140 વર્ષનો લાંબો ઇતિહાસ છે, અને અમે અમારા ભૂતકાળમાંથી ઘણું શીખી શકીએ છીએ. તમે દિગ્વિજય સિંહ વિષે તેમને જ ખુદ જઇને પૂછો."

ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, આ વિવાદ શનિવારે શરૂ થયો હતો જ્યારે દિગ્વિજય સિંહે 1995નો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જૂનો ફોટો શેર કર્યો હતો. જેમાં ફોટામાં પીએમ મોદી જમીન પર બેઠા હતા તેમની બાજુમાં તત્કાલીન ભાજપના પ્રમુખ લાલકૃષ્ણ અડવાણી હતા. સિંહે સૂચવ્યું કે કોંગ્રેસે શીખવું જોઈએ કે RSS અને BJP તેમના પાયાના કાર્યકરોને કેવી રીતે આગળ લાવે છે.
ADVERTISEMENT
#WATCH | Delhi | On Congress leader Digvijaya Singh praising the organisational strength of the Rashtriya Swayamsevak Sangh, Congress leader Pawan Khera says, "...There's nothing to learn from the RSS. What can an organisation known for Godse teach an organisation founded by… pic.twitter.com/aD4PWgz3fM
— ANI (@ANI) December 28, 2025
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.