બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:05 PM, 25 November 2024
સરકારી કર્મચારીઓની બદલીમાં ક્યારેય ન બનતો કિસ્સો બન્યો છે. ગુજરાતની ચેરિટી કમિશનર ઓફિસના સ્ટાફની બદલીથી અફરાતફરી મચી ગઇ છે. ગુજરાતમાં ચેરિટી કમિશનરના કુલ 204 લોકોના સ્ટાફમાં એકસાથે 172 લોકોની બદલી કરાઇ છે.
ADVERTISEMENT
રાતોરાત બદલી થતાં સ્ટાફની અકળામણ વધી ગઇ છે. ચેરિટીના અધિકારીઓએ કાયદા વિભાગનો આદેશ હોવાનું રટણ કર્યું હતું. રાતોરાત બદલી થતાં કર્મચારીઓમાં નારાજગી જોવા મળી રહી છે.
દરેક જિલ્લામાં ચેરિટી કમિશનર કચેરીનો સ્ટાફ કામ કરે છે
ADVERTISEMENT
ધાર્મિક-જાહેર ટ્રસ્ટને લગતા મિલકત-વહીવટના કેસોની જવાબદારી ચેરિટી વિભાગની હોય છે
મોટાપાયે બદલીના કારણે જિલ્લાઓમાં આખી ઓફિસનો સ્ટાફ જ બદલાઈ ગયો છે. મંગળવારે બદલી થયેલા સ્ટાફને બદલીના સ્થળે હાજર થવાના આદેશ અપાયા છે. પૂર્વ ચેરિટી કમિશનરે કાયદા સચિવને પત્ર લખીને આ બદલીઓનો વિરોધ કર્યો છે.
ADVERTISEMENT
મહિલા વહીવટી અધિકારી અંસારીના નિર્ણયની તપાસ કરવા સચિવને વિનંતી કરવામાં આવી છે. મોટાપાયે બદલીના નિર્ણયની સામે કર્મચારીઓએ કોર્ટમાં જવાની તૈયારી દર્શાવી છે.
ચેરીટી કમિશનર કોણ હોય છે અને તેમનું કામ શું હોય છે ?
ADVERTISEMENT
ચેરિટી કમિશનર એ એક રેગ્યુલેટરી ઓથોરીટી છે.. જે ચેરીટેબલ ટ્રસ્ટના વહીવટમાં ખુબ મહત્વની ભૂમિકા ભજવે છે.
રજિસ્ટ્રેશન, નિયમન, અને નિરીક્ષણ
ચેરિટી કમિશનર કચેરી ચેરીટેબલ સંસ્થાઓની નોંધણી, નિયમન અને નિરીક્ષણ માટે જવાબદાર છે.
ADVERTISEMENT
સામુહિક વિશ્વસનીયતાના કસ્ટોડિયન
ચેરિટી કમિશનર એ એવી અગત્યની ઓથોરિટી છે જે ટ્રસ્ટને અસર કરનારી બાબતોમાં ફાઇનલ નિર્ણય આપે છે. . તે ટ્રસ્ટની સંપત્તિના સલામતી અને સુરક્ષાનો ખાતરી આપે છે.
પહેલાં સંમતિ પ્રાપ્ત કરવાની જરૂર
ટ્રસ્ટી લોકો ટ્રસ્ટની સંપત્તિ સાથે કોઇ કાર્ય કરવામાં પહેલા ચેરિટી કમિશનર પાસેથી અગાઉ સંમતિ પ્રાપ્ત કરવાની જરૂર હોય છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.