બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / મુંબઇગરા આજે આ રસ્તેથી પસાર ન થતા, યોજાશે PM મોદીનો 2.5 કિમીનો લાંબો રોડ શો, જાણો રૂટ
Last Updated: 11:01 AM, 15 May 2024
Lok Sabha Election 2024 : લોકસભા ચુંટણીને લઈ ચાર તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ હવે પાંચમા તબક્કાનું મતદાન યોજાનાર છે. આ તરફ મહારાષ્ટ્રમાં પણ લોકસભા ચૂંટણી 2024 માટે ચાર તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. હવે પાંચમા તબક્કામાં મુંબઈની છ બેઠકો પર પણ મતદાન થશે. આ તરફ હવે મતદાનને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. મુંબઈમાં પણ ચૂંટણી પ્રચાર તેજ થઈ ગયો છે. જેને લઈ હવે આજે એટલે કે બુધવારના દિવસે PM મોદી મુંબઈના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ મુંબઈમાં રોડ શો કરશે.
ADVERTISEMENT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 15 મે અને 17 મેના રોજ ઉમેદવારોના પ્રચાર માટે મુંબઈની મુલાકાત લેશે. આ દરમિયાન મુંબઈમાં ઘણા રસ્તાઓ બંધ રહેશે. મુંબઈ ટ્રાફિક વિભાગના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ રાજુ ભુજબળે આ માહિતી આપી છે. આજે એટલે કે બુધવારે 15 મેના રોજ મુંબઈમાં નરેન્દ્ર મોદીના રોડ શોને કારણે મુંબઈનો LBS રૂટ બપોરે 2 થી 10 વાગ્યા સુધી બંધ રહેશે. ઉપરાંત મેઘરાજ જંક્શનથી માહુલ ઘાટકોપર રોડ પરના આરબી કદમ જંક્શન સુધી ઉત્તર અને દક્ષિણ તરફનો ટ્રાફિક બપોરે 2 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી સંપૂર્ણપણે બંધ રહેશે. મુંબઈ ટ્રાફિક પોલીસે 14મી અને 15મીએ સમગ્ર એલબીએસ માર્ગ પર અને એલબીએસ માર્ગને જોડતા મુખ્ય માર્ગથી 100 મીટરના અંતર સુધી નો પાર્કિંગ લાગુ કર્યું છે.
In view of the Road Show organised at LBS Road on 15th May 2024, large number of individuals are expected to participate in it.
— Mumbai Traffic Police (@MTPHereToHelp) May 14, 2024
Therefore in order to ease the traffic on the adjoining roads, the following traffic arrangements will be in place.#MTPTrafficUpdates pic.twitter.com/B6QECxQnBa
ADVERTISEMENT
મહત્વનું છે કે, મુંબઈમાં લોકસભાની કુલ છ બેઠકો છે અને ત્યાં જીતવા માટે ભાજપે 'મેગા પ્લાન' તૈયાર કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 મેના રોજ મુંબઈની છ સીટો પર પ્રચાર માટે મુંબઈ આવશે અને તેમનો રોડ શો પણ યોજાશે. મોદીનો ઈશાન મુંબઈ રોડ શો 15 મેના રોજ યોજાશે. આ ઉપરાંત 17મીએ મુંબઈમાં તેમની પ્રથમ જાહેર સભા યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના પ્રથમ પ્રવાસમાં ઘાટકોપરથી મુલુંડ સુધી રોડ શો કરશે. જ્યાં આઉટગોઇંગ સાંસદ મનોજ કોટકની ટિકિટ કાપીને મિહિર કોટેચાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. મિહિર કોટેચા ઉદ્ધવ જૂથના ઉમેદવાર સંજય દિના પાટિલ સામે ચૂંટણી લડી રહ્યા છે.
15 મેના રોજ બપોરે 2 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી એલબીએસ રૂટ માટે વૈકલ્પિક રૂટ કયા ?
ADVERTISEMENT
ADVERTISEMENT
આ રસ્તાઓ આજે બપોરે 2 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી બંધ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.