બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The names of two general ministers and state ministers of BJP may be announced before Diwali.
Malay
Last Updated: 10:44 AM, 23 October 2023
Gujarat Politics News: દેશના પાંચ રાજ્યોમાં આવતા મહિને વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જે બાદ આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજવાની છે. લોકસભા 2024ની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણીની તૈયારી પહેલા ભાજપમાં મેરેથોન બેઠક ચાલી રહી છે. સૂત્રોનું માનીએ તો પાર્ટીની અંદર ઘણા મોટા ફેરફારો જોવા મળી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનમાં ખાલી પદો ઝડપથી ભરાય તેવી સંભાવનાઓ છે.
દિવાળી પહેલા નામ થઈ શકે છે જાહેર
દિવાળી પહેલા પ્રદેશ સંગઠનના બે મહામંત્રી અને પ્રદેશ મંત્રીના ખાલી પદો પર નિમણૂંક કરાય તેવી શક્યતાઓ છે. આપને જણાવી દઈએ તકે, ભારતીય જનતા પાર્ટીની પ્રદેશની બોડીની અંદર બે મહામંત્રીઓ ભાર્ગવ ભટ્ટ અને પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા બાદ આ પદ પર હજુ સુધી કોઈની નિમણૂંક કરવામાં નથી. જ્યારે પ્રદેશ ભાજપના મંત્રી પદેથી પંકજ ચૌધરીએ રાજીનામું હતું. જેથી પ્રદેશ ભાજપ મંત્રીનું પદ પણ ખાલી છે. એવું કહેવામાં આવી રહ્યું છે ભાજપ હાઈકમાન્ડ ટૂંક સમયમાં એટલે કે દિવાળી પહેલા જ ખાલી પદો પર નિમણૂંક કરી શકે છે.
પંકજ ચૌધરીએ આપ્યું હતું રાજીનામું
આપને જણાવી દઈએ કે, થોડા સમય પહેલા જ પંકજ ચૌધરીએ પ્રદેશ ભાજપના મંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. પંકજ ચૌધરી ગુજરાત ભાજપના મંત્રી હતા, તેઓએ પોતાના મંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. પંકજ ચૌધરીએ રાજીનામું આપ્યું કે તેમનું રાજીનામું લેવાયું તે અંગે પણ અનેક ચર્ચાઓ વહેતી થઈ હતી. એ સમયે ભારતીય જનતા પાર્ટીના સૂત્રોમાં મતમતાંતર જોવા મળી રહ્યા હતા. કોઈ કહી રહ્યું હતું કે તેમનું રાજીનામું લેવામાં આવ્યું છે, તો કોઈ કહી રહ્યું હતું કે તેમણે એક મહિના પહેલા જ રાજીનામું આપી દીધું હતું.
પ્રદીપસિંહ વાઘેલાએ પણ આપ્યું હતું રાજીનામું
નોંધનીય છે કે, ગત ઓગસ્ટ મહિનામાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ પણ રાજીનામું (Pradeep Singh Vaghela Resignation) આપી દીધું હતું. પ્રદેશ મહામંત્રી પદેથી પ્રદીપસિંહના અચાનક રાજીનામા બાદ ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. પ્રદીપસિંહના રાજીનામા બાદ રજની પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, પ્રદીપસિંહ વાઘેલાએ વ્યક્તિગત કારણોસર ભાજપના પ્રદેશ મહામંત્રીનું પદ છોડ્યું છે. તેમનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે. તો બીજી બાજુ ભાજપના મહામંત્રી ભાર્ગવ ભટ્ટએ પણ રાજીનામું આપી દીધું હતું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા