બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / 'The Kshatriya community's opposition is only against Rupala, not against Modi', CR Patil's big statement
Last Updated: 05:31 PM, 25 April 2024
રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરષોતમ રૂપાલના નિવેદન બાદ ઉભો થયેલા વિવાદને શાંત પાડવાના પ્રયાસો યથાવત છે.. આજે આ મામલે દ.ગુજરાતના ક્ષત્રિય સમાજના 108 આગેવાનો અને સી આર પાટિલ વચ્ચે બેઠક થઇ હતી. આ મુલાકાત બાદ પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરષોત્તમ રૂપાલા સામે છે..તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપની સાથે જ છે.. અને તેમણે એમ પણ કહ્યુ છે કે તેઓ આ ચૂંટણીમાં તેમનો વિરોધ પણ રૂપાલા પૂરતો જ મર્યાદિત રાખશે. પાટિલે કહ્યું કે ક્ષત્રિય સમાજને દુખ થયું હોય તે સ્વભાવિક છે.. ક્ષત્રિય સમાજ ક્ષમા કરવામાં માને છે.. તેમણે ખુબ લડાઇઓ લડી છે. તેમણે તેમનો રોષ સિમિત રાખવાની જે વાત કરી છે તે માટે હું તેમનો આભારી છું
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.