બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
VTV / The groom died of a heart attack before the wedding ceremony
Priyakant
Last Updated: 08:39 AM, 31 May 2023
ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, અહીં લગ્નનો વરઘોડો કાઢવા માટે તૈયાર થઈ રહેલા વરરાજાને હાર્ટ એટેક આવ્યો હતો. જેને લઈ પરિવારજનો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા. જોકે હોસ્પિટલના ફરજ પરના ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. આ તરફ વરરાજાના મૃત્યુના સમાચાર સાંભળતા જ તેના પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો. આ તરફ લગ્નના વરઘોડામાં પહોંચેલા લોકો અંતિમયાત્રામાં જોડાયા હતા.
ઉત્તર પ્રદેશના જરવાલ રોડ વિસ્તારના અટવા ગામની આ ઘટનાને લઈ સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વિગતો મુજબ રામલાલના પુત્ર રાજકમલને કાલે જરવાલ પોલીસ સ્ટેશન વિસ્તારના ક્યોલીપુરવા અટ્ટાઈસા ગામમાં જાન લઈને જવાનું હતું. તેમના ઘરે લગ્નની સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી હતી. ગઈકાલે રાજકમલ વરઘોડો કાઢવાની તૈયારી કરી રહ્યો હતો. રાજકમલને વરરાજાનો પોશાક પહેરાવવામાં આવ્યો હતો, જ્યારે સાફો બાંધતી વખતે વરરાજાની તબિયત લથડી હતી.
તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા પણ.....
આ તરફ વરરાજાની તબિયત બગડ્યા બાદ તેને તાકીદે સ્થાનિક મુસ્તફાબાદ સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ રાજકમલને મૃત જાહેર કર્યો. ડોક્ટરોએ જણાવ્યું કે, રાજકમલનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું. આ ઘટના બાદ લગ્ન ઘરમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. ઘરમાં અફરાતફરીના માહોલ વચ્ચે ઘટનાની જાણ થતાં જ દુલ્હન પક્ષના લોકો પણ રાજકમલના ઘરે પહોંચી ગયા હતા.
જે ઘરે લગ્ન ત્યાંથી જ ઉઠી વરરાજાની અર્થી
આ તરફ લગ્નની શોભાયાત્રામાં ભાગ લેવા પહોંચેલા લોકો વરરાજાની અર્થી સાથે સ્મશાનગૃહ પહોંચ્યા હતા. શોકમય વાતાવરણમાં મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પુત્રના મૃત્યુથી વરના પિતા રામ લાલ ભાંગી પડ્યા છે. રડવાથી તેઓની હાલત ખરાબ છે. પુત્રને યાદ કરીને તે રડે છે અને કહે છે કે, શું મારે આ દિવસ જોવાનો હતો. આજે દીકરો જીવતો હોત તો ઘરમાં ખુશી જ હોત.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા