બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / VIDEO: 'અરે સાહેબ જવા દો..'વડોદરા મનપાએ સાયકલમાં ફુગ્ગા વેચતા ગરીબોની આજીવિકા છીનવી, પગે પડી માં
Last Updated: 08:22 PM, 4 November 2025
વડોદરા શહેરની મનપાની દબાણ શાખાની કામગીરી એક વાર ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી છે. માનવતા ભૂલાવી દે એવા દ્રશ્યો કાલે કારેલીબાગ વિસ્તારના અમિતનગર બ્રિજ નીચે જોવા મળ્યા હતા, જ્યાં ફૂગ્ગા વેચીને જીવન ગુજારતો ગરીબ પરિવાર મનપાની દબાણ શાખાની કાર્યવાહીનો શિકાર બન્યો.
ADVERTISEMENT
માહિતી મુજબ, દબાણ શાખાની ટીમે દબાણ દૂર કરવાની કાર્યવાહી દરમિયાન માત્ર ફૂગ્ગા જ નહીં, પરંતુ પરિવારની સાયકલ પણ જપ્ત કરી હતી. જે તેમના રોજીંદા જીવનનિર્વાહનું એકમાત્ર સાધન હતું. સાયકલ જપ્ત થતાં પરિવારનો નાનો બાળક રડી પડ્યો, પરંતુ મનપા કર્મચારીઓનું મન પીગળ્યું નહીં.
ADVERTISEMENT
સ્થાનિક લોકોએ આ ઘટના જોતા આક્રોશ વ્યક્ત કર્યો હતો. એક તરફ શહેરમાં અનેક ગેરકાયદે દબાણો યથાવત છે, લારી-ગલ્લાઓ પર કોઈ કાર્યવાહી થતી નથી, જ્યારે બીજી તરફ ગરીબ અને શ્રમજીવી પરિવારોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. એવી ટીકા ઉઠી છે.

ADVERTISEMENT
જનતા પ્રશ્ન ઉઠાવી રહી છે કે શું દબાણ શાખાનું કામ માત્ર ગરીબોના જીવલેણ દબાણ દૂર કરવાનું જ છે? શું મનપાના અધિકારીઓ પાસે માનવતા નામની કોઈ ભાવના બાકી નથી?
આ પણ વાંચોઃ દ્વારકાના યુવકની જોરદાર સિદ્ધી, કાચની બોટલમા કંડારી અદભૂત સ્થાપત્ય કૃતિઓ, PM મોદીને પણ આપી છે ભેટ
ADVERTISEMENT
આ ઘટના પછી સ્થાનિક સામાજિક કાર્યકરોએ પણ માંગ કરી છે કે મનપાએ આ પરિવારને તરત ન્યાય આપવો જોઈએ અને જીવનનિર્વાહ માટે જરૂરી સહાય પૂરી પાડવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.