બ્રેકિંગ ન્યુઝ
VTV / The corpse woke up with the sound of Om-Om from the cheetah in the cemetery
Last Updated: 12:23 PM, 14 May 2021
ADVERTISEMENT

ગુરુવારે મુક્તિધામમાં એક લાશ ચિતામાંથી ઉઠી હતી અને અજીબ અવાજ કરવા લાગી હતી. જે બાદ એમ્બ્યુલન્સ અને ડૉક્ટરને ફોન કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
મુક્તિધામમાં એમ્બ્યુલન્સ આવી અને તેને તપાસીને મૃત ઘોષિત કરી દેવામાં આવ્યો હતો પરંતુ ઘરના લોકો ન માન્યા તો તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો પરંતુ ત્યાં પણ તેને મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો.
અશોક નગરનો આ કિસ્સો છે અને અનિલ જૈન નામના યુવકની તબિયત ખરાબ થતા તેને જિલ્લાના હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો અને 15 દિવસથી તે દવાખાનામાં એડમિટ હતો. મૃતકના ભાઇનું કહેવુ છે કે જ્યારે તેના અંતિમસંસ્કાર માટે અમે તેને મુક્તિધામ લઇ ગયા ત્યારે તેના શરીરમાં હલચલ થઇ અને ઓમ ઓમના અવાજ સાથે તે બેસી ગયો.
ADVERTISEMENT
જે બાદ ડૉક્ટરની ટીમ આવી અને મૃત ઘોષિત કરી દેવામાં આવ્યો હતો પરંતુ પરિવારજનોનો આરોપ છે કે મૃતક જીવતો હતો. પરિજનોએ હોસ્પિટલ પ્રબંધન પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે.
સિવિલ સર્જને કહ્યું કે, પરિવારના લોકોનો આરોપ ખોટો છે. તે મૃત્યુ પામ્યો હતો અને તેને મુક્તિધામમાંથી લાવ્યા બાદ પણ ચેક કરવામાં આવ્યો પરંતુ તે મૃત હતો. પરિવારના લોકોનો આરોપ નિરાધાર છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.