બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / Tattoo craze among the youth of Surat, artists work for free
Last Updated: 11:54 AM, 9 January 2024
ADVERTISEMENT

ADVERTISEMENT
અયોધ્યા ખાતે બનેલ રામ મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતવાસીઓમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈ યુવાનો રામના નામનું ટેટૂં છુંદાવી રહ્યા છે. સુરતમાં ટેટૂ આટિસ્ટે અયોધ્યા ઉત્સવને લઈ પોસ્ટ કરી હતી. ટેટૂ આર્ટિસ્ટે રામ નામનું ટેટું ફ્રી માં કરી આપવાની જાહેરાત કરી છે. રામ મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠાને ખાસ બનાવવા મોટી સંખ્યામાં યુવાનોએ ટેટૂ છુંદાવ્યા છે.

ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર પોસ્ટ જોઈ લોકો અમે ટેટૂ બનાવવા આવ્યા
આ બાબતે ટેટુ બનાવવા આવેલ વ્યક્તિએ જણાવ્યું હતું કે, ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ દેખીને હું આવ્યો છું. ત્યારે ઘણા વર્ષો બાદ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ ભગવાનનું મંદિર બનવા જઈ રહ્યું છે. જેથી અમે લોકો ખૂબ ઉત્સાહી છીએ. ત્યારે ધ્વનીલભાઈએ પોસ્ટ કરી હતી કે જે રામજીનું નામ લખાવશે. તેને ફ્રી માં લખી આપવામાં આવશે. એટલે અમે અહીંયા ટેટુ બનાવવા આવ્યા છીએ.

ADVERTISEMENT
સુરતમાં લોકો અલગ અલગ રીતે કરી રહ્યા છે ઉજવણી
22 તારીખે અયોધ્યામાં જે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. તે વાત સાંભળીને અમે ખૂબ જ ખુશ છીએ. ત્યારે અમે ત્યાં જઈ શકીએ કે નહી તે તો ખબર નથી. અમે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દેખી હતી. જેમાં લખ્યું હતું કે જેમને પણ રામ નામું ટેટું બનાવવું હોય તેને ફ્રી માં બનાવી આપવામાં આવશે. સમગ્ર સુરતમાં અલગ અલગ રીતે લોકો ઉજવણી કરી રહ્યા છે.
ADVERTISEMENT
રામનામનું ટેટૂ ફ્રી માં કરવાનો નિર્ણય કર્યો
આ બાબતે ટેટૂ બનાવનારે જણાવ્યું હતું કે, અયોધ્યા ખાતે જે 22 તારીખે ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. જેને લઈ લોકો પોત પોતાની રીતે ઉજવણી કરી રહ્યા છે. ત્યારે હું ટેટુ આટીસ્ટ છું જેથી મે નિર્ણય કર્યો કે હું પણ રામ નામનું ટેટૂ ફ્રી માં કરવાનો નિર્ણય કર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.