બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ભારતીય ક્રિકેટમાં મોટો ભૂકંપ: સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ ટી-20 ની કેપ્ટનશીપ
Last Updated: 02:07 AM, 4 June 2026
ભારતીય ક્રિકેટ જગતમાંથી એક ખૂબ જ આંચકાજનક સમાચાર સામે આવી રહ્યા છે. તાજેતરમાં જેની કપ્તાની હેઠળ ટીમ ઇન્ડિયાએ ટી-20 વર્લ્ડ કપ 2026 નો ખિતાબ જીત્યો હતો, તે સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવને મોટો ઝટકો લાગ્યો છે. વિવિધ અહેવાલોનું માનીએ તો સૂર્યકુમાર યાદવને ટી-20 ટીમની કેપ્ટનશીપ પરથી હટાવી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં, હવે ભવિષ્યમાં ટીમ ઇન્ડિયામાં ખેલાડી તરીકે પણ તેમના સિલેક્શન પર સવાલો ઉભા થયા છે અને પસંદગી સમિતિ આગામી મેચો માટે તેમના નામ પર વિચારણા કરવાની નથી. છેલ્લા એક વર્ષથી ચાલી રહેલા ખરાબ ફોર્મના કારણે તેમનું આંતરરાષ્ટ્રીય કરિયર હવે લગભગ ખતમ માનવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
સૂર્યકુમાર યાદવ વર્ષ 2024 માં ભારતીય ટી-20 ટીમના નિયમિત સુકાની બન્યા હતા. તેમણે દિગ્ગજ ખેલાડી રોહિત શર્માની જગ્યા લીધી હતી, જેમણે ટી-20 વર્લ્ડ કપ જીતાડ્યા બાદ આ ફોર્મેટને અલવિદા કહી દીધું હતું. જ્યારે સૂર્યાને કેપ્ટન બનાવવામાં આવ્યા ત્યારે તેઓ ટી-20 ઇન્ટરનેશનલના નંબર 1 બેટ્સમેન હતા અને તે સમયે કપ્તાનીની રેસમાં સૌથી આગળ ચાલી રહેલા હાર્દિક પંડ્યા પર તેમને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન અદભુત રહ્યું હતું. ભારતીય ટીમે સતત 8 ટી-20 સીરીઝ જીતવાનો રેકોર્ડ બનાવ્યો અને તેની સાથે 2025 નો એશિયા કપ પણ પોતાના નામે કર્યો હતો. આ સફળ સફર બાદ ભારતે ટી-20 વર્લ્ડ કપ પણ જીત્યો, જેનાથી એક સુકાની તરીકે સૂર્યા સુપરહિટ સાબિત થયા હતા.

ADVERTISEMENT
સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ટીમે ભલે મેચો જીતી, પરંતુ એક બેટ્સમેન તરીકે તેઓ ખુદ ફ્લોપ સાબિત થઈ રહ્યા હતા. આંકડાઓ પર નજર કરીએ તો તેમનું ફોર્મ સતત ગગડી રહ્યું હતું:
ADVERTISEMENT
વર્ષ 2024: સૂર્યા માત્ર 26.81 ની એવરેજથી 429 રન જ બનાવી શક્યા હતા.
વર્ષ 2025: સ્થિતિ વધુ ખરાબ થઈ અને તેમણે 19 ઇનિંગ્સમાં માત્ર 13.6 ની નબળી સરેરાશથી 218 રન બનાવ્યા.
ADVERTISEMENT
વર્ષ 2026: આ વર્ષે તેમણે ચોક્કસપણે 44 ની એવરેજથી 484 રન બનાવ્યા છે, પરંતુ ટી-20 વર્લ્ડ કપની મહત્વની મેચોમાં તેમનું પ્રદર્શન સરેરાશ રહ્યું અને તેઓ અપેક્ષા પર ખરા ઉતરી શક્યા નહીં.
આ સિવાય ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં પણ તેમનું પ્રદર્શન ખૂબ જ કથળેલું રહ્યું હતું, જેના કારણે સિલેક્ટર્સે હવે કડક વલણ અપનાવ્યું છે.
ADVERTISEMENT
સૂર્યકુમાર યાદવ યુગના અંત બાદ હવે ભારતીય ટી-20 ટીમની કમાન કોણ સંભાળશે, તે મોટો સવાલ છે. આ રેસમાં બે મુખ્ય નામો સૌથી આગળ ચાલી રહ્યા છે:
શ્રેયસ અય્યર (Shreyas Iyer): શ્રેયસ અય્યરની ટી-20 ટીમમાં વાપસી થઈ શકે છે અને તેમને આગામી કેપ્ટન બનાવવામાં આવી શકે છે. એક સુકાની તરીકે આઈપીએલ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં તેમણે પોતાની લીડરશીપ ક્વોલિટી સાબિત કરી છે.
રજત પાટીદાર (Rajat Patidar): આ રેસમાં બીજું મોટું નામ રજત પાટીદારનું છે, જેમણે પોતાની શાનદાર કેપ્ટનશીપ હેઠળ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ને સતત બે વાર આઈપીએલ ચેમ્પિયન બનાવી છે અને એક વિસ્ફોટક બેટ્સમેન તરીકે પણ પોતાનો દમ બતાવ્યો છે.
ખૂબ જ ટૂંક સમયમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ટી-20 ટીમના નવા સત્તાવાર કેપ્ટનની જાહેરાત કરવામાં આવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.