બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Surendranagar Mining Mafia Blasts Tarnetar Temple Damaged

રજૂઆત / સુરેન્દ્રનગરમાં ખનન માફિયાઓની લુખ્ખી દાદાગીરી! બ્લાસ્ટ કરાતા તરણેતર મંદિરને નુકસાન, મામલો પહોંચ્યો CM સુધી

Vishal Khamar

Last Updated: 01:45 PM, 19 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરેન્દ્રનગરમાં ખનન માફીયાઓ બેફામ બન્યા છે. ફરી ખનન માફીયાઓ દ્વારા ખોદકામ દરમ્યાન બ્લાસ્ટ કરતા શિવ મંદિર અને ધર્મશાળા સહિતને નુકશાન થયું હતું. આ બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

સુરેન્દ્રનગરમાં ખનન માફીયાઓ ફરી બેફામ બન્યા છે. ત્યારે ખનન માફીયાઓએ વિખ્યાત તરણેતર મંદિરની બાજુમાં ખોદકામ શરૂ કર્યું છે. બ્લાસ્ટ અને ખોદકામથી શિવમંદિર અને ધર્મશાળા સહિતને નુકશાન થયું છે. ત્યારે બ્લાસ્ટનાં કારણે ઠેર ઠેર તીરાડો પડી છે. ત્યારે તરણેતરના મેળામાં જે વિવિધ હરીફાઈ થાય છે તે મેદાનમાં ખોદકામ શરૂ કર્યું છે. ત્યારે તરણેતર મંદિરની બાજુમાં આવેલા તળાવમાં પણ ખોદકામ શરૂ કરાયું છે. તળાવની પાળને પણ નુકશાન થયું હતું.

ખોદકામ રોકવા મુખ્યમંત્રીને રજૂઆત કરી
આ સમગ્ર બાબતે ખનન માફીયાઓ બેચરભાઈ, અમરાભાઈ, દેવાભાઈ દ્વારા ખોદકામ શરૂ કરાયાની મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. ત્યારે ખનન રોકવામાં નહી આવે તો બ્લાસ્ટથી મંદિરને વધુ નુકશાન થશે. 

જાગૃત નાગરિકે પત્રમાં શું લખ્યું

આ બાબતે જાગૃત નાગરિક દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને લખેલ પત્રમાં જણાવ્યું હતું કે, તરણેતર ગામે જ્યાં લોકભાતીગળ મેળાનુ આાયોજન થાય છે. તે મેળામાં જે રમત-ગમત ઘોડારેસ તેમજ પશુ મેળાનું આયોજન કરવામાં આવે છે. તે મેદાનમાં તેમજ ત્યાં આવેલા તળાવમાં માથાભારે ઈસમો દ્વારા મોટા પ્રમાણમાં ખનીજ ચોરી ચાલી રહી છે. જેના લીધે ખનન માટે જે બ્લાસ્ટીંગ કરવામાં આવે છે. તેનાથી જે પૌરાણિક શિવ મંદિર તથા તેની બાજુમાં જે મંદિર તેમજ ધર્મશાળાઓ આવેલી છે. 

તેમજ તળાવમાં ખનન બ્લાસ્ટિંગ થવાથી તળાવની પાળને પણ નુકશાન થયેલ છે. આ ભુમાફીયાઓથી ડરીને પંચાયત તંત્ર પણ આંખ આડા કાન કરી લીધા હોય તેવું લાગે છે. એવી આશા રાખું છું કે, જે આ ભુમાફીયાઓ દ્વારા ગામ તેમજ રાષ્ટ્રની સંપત્તિને નુકશાન પહોંચાડવામાં આવી રહ્યું છે. તેને જલ્દી બંધ કરાવી તેના ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. 

વધુ વાંચોઃ નારાજ કેતન ઈનામદારને મનાવવાના પ્રયાસ! CR પાટીલે કહ્યું 'એ તો પાર્ટી નક્કી કરશે કે...'
 

ખનીજ માફીયાઓના નામ

  • બેચરભાઈ રાણાભાઈ બલિયા (રહે.તરણેતર)
  • અમરાભાઈ સગરાભાઈ બલિયા (રહે.તરણેતર)
  • દેવાભાઈ માવજીભાઈ ખમાણી (રહે.તરણેતર)
     

  VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ