સુરત RTO દ્વારા એપોઇન્ટમેન્ટ લીધેલા અરજદારોને અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
સુરત RTOનું એપોઇન્ટમેન્ટ લીધેલા અરજદારોને અલ્ટીમેટમ
RTO દ્વારા 10 દિવસનું અલ્ટીમેટમ અપાયું
અરજદાર રૂબરૂ નહીં આવે તો અરજી માન્ય રહેશે નહીં
સુરત RTO દ્વારા એપોઇન્ટમેન્ટ લીધેલા અરજદારોને અલ્ટીમેટમ આપવામાં આ્યું છે. જેમાં જણાવામાં આવ્યું છે કે આગામી 10 દિવસમાં અરજદાર રુબરુ હાજર નહી થાય તો અરજી માન્ય રહેશે નહીં.
પ્રાપ્ત મળતી વિગત અનુસાર સુરત RTO ખાતે છેલ્લા 2 વર્ષમાં 2200 જેટલી એપોઇન્ટમેન્ટ લેવામાં આવી છે. જો કે હજુ સુધી આ એપોઇન્ટમેન્ટને લઇને કોઇ અરજદાર હાજર થયો નથી.
ત્યારે RTO દ્વારા એપોઇન્ટમેન્ટ લીધેલા અરજદારોને આગામી 10 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આપવામાં આવ્યું છે અને રુબરુ હાજર થવા જણાવામાં આવ્યું છે.
શહેર RTO દ્વારા 2200 જેટલી એપોઇન્ટમેન્ટ અરજદારો જણાવાયું છે કે જો તેઓ આગામી 10 દિવસમાં રુબરુ હાજર નહીં થાય તો તેઓની અરજી માન્ય રહેશે નહીં.