ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / ખાંડના વધતા ભાવ વચ્ચે મોટી રાહત! ISMAએ કહ્યું- દેશમાં અછત નથી, આગામી દિવસોમાં ભાવ ઘટવાની શક્યતા
Last Updated: 07:49 AM, 25 August 2026
હાલ તહેવારોની સિઝન ચાલી રહી છે ત્યારે ખાંડના ભાવમાં થયેલા વધારાથી લોકો પર વધારાનો બોજ પડ્યો છે. જોકે ખાંડ મિલોના સંગઠન ઇન્ડિયન શુગર એન્ડ બાયો-એનર્જી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (ISMA)એ સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ખાંડની અછત નથી. સરકારના તાજેતરના પગલાં અને નવી ખાંડની ઉપલબ્ધતા વધવાથી બજારમાં ભાવ પરનું દબાણ ઓછું થવાની આશા છે. ISMAના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં ખાંડના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે.
ADVERTISEMENT
ISMAના પ્રમુખ નીરજ શિરગાંવકરે જણાવ્યું કે તાજેતરમાં ખાંડ મોંઘી થવા પાછળ અનેક કારણો છે. વેપારીઓ અને મોટા ખરીદદારો દ્વારા વધુ ખરીદી થવાથી બજારમાં માંગ વધી છે. ખરાબ હવામાનને કારણે ખાંડના ઉત્પાદન પર પણ અસર પડી છે. આ ઉપરાંત બજારમાં સટ્ટાબાજીને કારણે પણ ભાવમાં વધારો જોવા મળ્યો છે. જોકે ખાંડ મિલોએ જાણીજોઈને કૃત્રિમ અછત ઊભી કરી હોવાની વાત ISMAએ નકારી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
સરકારે ખાંડ મિલોને આ વર્ષે શેરડીનું પિલાણ સામાન્ય સમય કરતાં વહેલું શરૂ કરવા કહ્યું છે. સામાન્ય રીતે શેરડીનું પિલાણ નવેમ્બરની શરૂઆતમાં શરૂ થાય છે. જોકે આ વખતે તેને 10થી 15 દિવસ વહેલું એટલે કે 15 ઓક્ટોબરની આસપાસ શરૂ કરવાની તૈયારી છે. ISMAના અંદાજ પ્રમાણે ઓક્ટોબરમાં લગભગ 10 લાખ ટન ખાંડનું ઉત્પાદન થઈ શકે છે. સામાન્ય રીતે ઓક્ટોબરમાં માત્ર 4થી 5 લાખ ટન ખાંડનું ઉત્પાદન થાય છે. આ ઉપરાંત તમિલનાડુ અને કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં વધુ પિલાણ ચાલી રહ્યું છે. તેના કારણે બજારમાં ખાંડની ઉપલબ્ધતા વધવાની આશા છે.

ADVERTISEMENT
ISMAના જણાવ્યા પ્રમાણે વર્ષ 2025-26માં ભારતમાં ખાંડનું ચોખ્ખું ઉત્પાદન આશરે 2.79 કરોડ ટન રહેવાનો અંદાજ છે. દેશમાં ખાંડનો વાર્ષિક વપરાશ આશરે 2.8થી 2.85 કરોડ ટન છે. આ ઉપરાંત દેશમાં લગભગ 35 લાખ ટન ખાંડનો પ્રારંભિક સ્ટોક પણ ઉપલબ્ધ છે. એટલે દેશમાં ખાંડની અછત હોવાની શક્યતા નથી.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ ડુંગળીના ભાવ વધતા સરકારનો મોટો પ્લાન! બફર સ્ટોક બહાર આવશે, નાશિકથી ‘કાંદા એક્સપ્રેસ’ દોડશે
ADVERTISEMENT
ખાંડની ઉપલબ્ધતા વધારવા માટે સરકારે તાજેતરમાં 10 લાખ ટન કાચી ખાંડના ડ્યુટી-ફ્રી આયાતને મંજૂરી આપી છે. આ નિર્ણયથી બજારમાં ખાંડનો પુરવઠો વધવાની આશા છે. નવી ખાંડની આવક અને આયાત વધવાથી બજારમાં પુરવઠા સાથે જોડાયેલું દબાણ ઓછું થઈ શકે છે. જેના કારણે આગામી દિવસોમાં ખાંડના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે.
ISMAનું માનવું છે કે તહેવારો દરમિયાન ખાંડની ખરીદી સામાન્ય થયા બાદ બજારમાં ભાવ પરનું દબાણ ઓછું થશે. સરકાર દ્વારા વહેલા શેરડી પિલાણનો નિર્ણય લેવાયો છે અને નવી ખાંડનું ઉત્પાદન પણ વધવાની આશા છે. સાથે જ ડ્યુટી-ફ્રી કાચી ખાંડની આયાતથી બજારમાં ઉપલબ્ધતા વધશે. આ તમામ કારણોને ધ્યાનમાં રાખીને ISMAએ આગામી 7થી 10 દિવસમાં ખાંડના ભાવમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.