બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Stomach gas. Bad bacteria.Abdominal pain. Constipation and acidity. Small intestine. large intestine
Priyakant
Last Updated: 07:46 PM, 5 March 2024
Health Tips: આંતરડા આપણા શરીરનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે. જેને નુકશાન થવા માટે તણાવ, ખરાબ આહાર અને બગડતી જીવનશૈલી જવાબદાર છે. આંતરડામાં જ્યારે ખરાબ બેક્ટેરિયા વધવા લાગે ત્યારે તેનું સ્વાસ્થ્ય બગડવા લાગે છે. ખોરાકના પાચન પછી નકામા પદાર્થો આંતરડામાં એકઠા થાય છે. જે લોકોની પાચન શક્તિ નબળી હોય છે, કબજિયાત અને એસિડિટી જેવી સમસ્યાઓ તેમને હંમેશા રહે છે.
આંતરડા આપણા શરીરનું મહત્વનું અંગ છે જે આપણા નાના પેટમાં કુંડળીની જેમ વળેલા હોય છે. આંતરડા બે પ્રકારના હોય છે એક નાના આંતરડા અને બીજા મોટા આંતરડા. આપણે જે પણ ખોરાક લઇએ છીએ તેના પાચનનું કામ આંતરડા કરે છે. ખાવાનું પાચન થયા પછી વધેલો કચરો મોટા આંતરડામાં જમા થાય છે. નાનું આંતરડુ પાચન નળીનો સૌથી લાંબો ભાગ છે. પુખ્ત મનુષ્યમાં તે લગભગ 6.5 એમ લંબાઇ ધરાવે છે. નાનું આંતરડું પક્વાશય, મધ્યાંત્ર અને શોષાંત્ર જેવા ભાગો ધરાવે છે. જ્યારે મોટું આંતરડું અપાચિત ખોરાકમાં રહેલા પાણી અને ઉપયોગી ક્ષારનું શોષણ કરે છે અને મળનું નિર્માણ કરે છે. મળાશયમાંથી મળનો મળદ્વાર દ્વારા ત્યાગ થાય છે. જ્યારે આંતરડામાં નબળાઇ આવે છે ત્યારે તેના લક્ષણો શરીરમાં દેખાવા લાગે છે. ખોરાક બરાબર ન પચવો, ઢીલું મળ અને ક્યારેક છુટક ગતિ, પેટમાં ગેસ, ભૂખ ન લાગવી, વજન ઘટનું, થાક અને નબળાઇ, પેટ ફુલવું અને પેટમાં ગડગટાડ અવાજ જેવા લક્ષણો જોવા મળે છે.
વધુ વાંચો: રોજ સવારમાં ખાલી પેટ પીઓ આ પાણી, સ્વાસ્થ્ય રહેશે હેલ્ધી અને ફિટ, જાણો સેવનની રીત
આયુર્વેદિક નિષ્ણાત ડો.પ્રતાપ ચૌહાણના જણાવ્યા અનુસાર આંતરડા આપણા શરીરનો એક મહત્વપૂર્ણ અંગ છે. જેના માટે તણાવ, ખરાબ આહાર અને બગડતી જીવનશૈલી તેના નુકશાન માટે જવાબદાર છે. આંતરડામાં રહેલા સારા અને ખરાબ બેક્ટેરિયાની સ્થિતિને ગટ હેલ્થ કહેવાય છે... જ્યારે ખરાબ બેક્ટેરિયા આંતરડામાં વધવા લાગે છે ત્યારે આંતરડાનું સ્વાસ્થ્ય બગડવા લાગે છે. આંતરડાનું સ્વાસ્થ્ય માત્ર પાચન સુધી મર્યાદિત નથી પરંતુ તે આપણા સંપૂર્ણ સ્વાસ્થ્ય સાથે સંબંધિત છે. આંતરડાના બગડતા સ્વાસ્થ્યને કારણે પેટની સાથે મગજ , ત્વચા, હોર્મોન્સ અને રોગપ્રતિકારક શક્તિ પણ બગડવા લાગે છે...
નબળા આંતરડાના પાંચ કારણો
- આંતરડાની બળતરા
- આંતરડામાં કચરો જમા થવાથી આંતરડા પણ નબળા પડે છે અને આંતરડામાં ઇન્ફેક્શન થાય છે. કચરો અપાચ્ય ખોરાકમાંથી બને છે...
- આંતરડામાં શુષ્કતાના કારણે પણ આંતરડા નબળા પડી જાય છે
- આંતરડામાં કૃમિના કારણે થતી કબજિયાત આંતરડાને નબળી પાડે છે
- આંતરડાને પોષક તત્વો ન મળવાને કારણે આંતરડા નબળા થવા લાગે છે
આંતરડાની તંદુરસ્તી કેવી રીતે જાળવવી
વધુ પ્રોબાયોટીક્સનું સેવન કરો
આંતરડાની સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે ખાસ કરીને પ્રોબાયોટીક્સ ખોરાક લેવાથી આંતરડાની તંદુરસ્તી જળવાઇ રહે છે અને ચેપ અટકાવે છે. પ્રોબાયોટીક્સ મુખ્યત્વે ડેરી ઉત્પાદનોમાં જોવા મળે છે. દહી અને છાસ પ્રોબાયોટીક્સના ઉત્તમ સ્ત્રોત છે.
વધુ પાણી પીવો
વધુ પાણી પાવો, પાચન બરાબર થશે અને આંતરડાની તંદુરસ્તી પણ સ્વસ્થ રહેશે. દરરોજ ઓછામાં ઓછું બે લિટર પાણી પાવાનું ધ્યાન રાખો.
વરિયાળી, જીરું અને ધાણાનું પાણી પીવો
રસોડામાં હાજર મસાલા આંતરડાના સ્વસ્થ્યને સુધારવામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે. તમે વરિયાળી, જીરૂ અને ધાણાનું પાણી પીશો તો તમારા આંતરડાનું સ્વાસ્થ્ય સ્વસ્થ્ય રહેશે. આ પાણી બનાવવા માટે એક લીટર પાણીમાં એક ચમચી વરિયાળી, એક ચમચી જીરુ અને ધાણા નાખીને ઉકાળો. આ પાણીનો ઉકાળો એક બોટલમાં ભરી લો અને દિવસમાં ચાર વખત તેનું સેવ કરો. તમારા આંતરડાનું સ્વાસ્થ્ય સ્વસ્થ રહેશે.
પૂરતી ઊંઘ લો અને તણાવ ઓછો કરો
જ્યારે તમે તણાવમાં હોવ ત્યારે તેની અસર તમારા આંતરડાના સ્વાસ્થ્ય પર પડે છે અને આંતરડું બગડે છે. તણાવ દૂર કરવા માટે તમારે 7-8 કલાકની ઊંઘ લેવી જોઇએ. આંતરડાના સ્વાસ્થ્ય માટે મગજનું સ્વસ્થ હોવું જરૂરી છે. તણાવ તમારા પાચનતંત્રને બગાડે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog