બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / IPL News / માથાકૂટ અભિષેક શર્માએ પણ કરી, તો પ્રતિબંધ માત્ર દિગ્વેશ રાઠી પર જ કેમ લાદ્યો? આ રહ્યું કારણ

IPL 2025 / માથાકૂટ અભિષેક શર્માએ પણ કરી, તો પ્રતિબંધ માત્ર દિગ્વેશ રાઠી પર જ કેમ લાદ્યો? આ રહ્યું કારણ

Priyankka Triveddi

Last Updated: 03:11 PM, 20 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

LSG સ્પિનર દિગ્વેશ રાઠી ગુજરાત ટાઈટન્સ સામે તેની આગળની મેચ નહીં રમી શકે. રાઠી પર એક મેચનો બેન મૂકવામાં આવ્યો છે. પરંતુ સવાલ એ ઉઠે છે કે બેન માત્ર રાઠી પર જ કેમ? અભિષેક પર કેમ નહીં?

LSG SPINNER DIGVESH RATHI: IPL 2025 ના પ્લેઓફ માંથી બહાર થયા પછી LSG પર બીજો એક મોટો ફટકો પડ્યો છે. LSG ટીમના સ્ટાર સ્પિનર ​​દિગ્વેશ રાઠી ગુજરાત ટાઇટન્સ સામેની હવેની મેચ રમી શકશે નહીં. BCCI એ રાઠી પર એક મેચનો બેન લગાવ્યો છે. જેનું કારણ ગઇકાલે રમાયેલી SRH અને LSG મેચમાં દિગ્વેશ અને અભિષેક વચ્ચે થયેલી લડાઈ છે. જેના લીધે રાઠીને આ સજા આપવામાં આવી છે. તેના પર એક મેચનો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે સાથે જ 50 ટકા મેચ ફી કાપવામાં આવી છે. જ્યારે અભિષેક શર્મા પાસેથી 25 ટકા મેચ ફી કાપવામાં આવી છે. ત્યારે હવે પ્રશ્ન એ છે કે દિગ્વેશ રાઠીને અભિષેક શર્મા કરતાં વધુ સજા કેમ આપવામાં આવી છે? શું BCCI એ રાઠી સાથે અન્યાય કર્યો છે?

રાઠી પર પ્રતિબંધ મૂકવાનું કારણ

પ્રશ્ન એ થાય છે કે BCCIએ દિગ્વેશ રાઠી સાથે આટલો મોટો અન્યાય કેમ કર્યો? આ સવાલ રાઠીના દરેક ચાહકોના મનમાં ચાલી રહ્યો હશે. 19 મેના રોજ લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાયેલી મેચ દરમિયાન અભિષેક શર્મા અને દિગ્વેશ રાઠી બંને એકબીજા સાથે ઝગડ્યા તો પછી ફક્ત રાઠી પર જ પ્રતિબંધ કેમ મૂકવામાં આવ્યો. પરંતુ સાચી હકીકત એ છે કે બીસીસીઆઈએ જે કર્યું તે નિયમોને અનુસરીને જ કર્યું છે.

ત્રીજી વખત દોષી

આ સિઝનમાં ત્રીજી વખત LSG સ્પિનર ​​દિગ્વેશ રાઠીને IPLની આચારસંહિતાના લેવલ 1નો દોષી ઠેરવવામાં આવ્યો છે. અગાઉ 1 એપ્રિલે પંજાબ કિંગ્સ અને 4 એપ્રિલે મુંબઈ ઇન્ડિયન્સ સામેની મેચ દરમિયાન તેને IPL આચાર સંહિતાના લેબલ 1નો દોષી ઠેરવવામાં આવ્યો હતો. પહેલી વાર દોષિત ઠરવા બદલ તેને 1 ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યો હતો. જ્યારે બીજી મેચમાં દોષિત ઠરવા બદલ તેને 2 ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યા હતા.

કુલ 5 ડિમેરિટ પોઈન્ટ

હવે અભિષેક શર્મા સાથેની લડાઈ પછી તેને વધુ 2 ડિમેરિટ પોઈન્ટ મળ્યા જેનાથી તેના કુલ ડિમેરિટ પોઈન્ટ 5 થયા. આ કારણે તેના પર એક મેચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો કારણ કે નિયમ મુજબ 5 ડિમેરિટ પોઈન્ટ માટે એક મેચનો પ્રતિબંધ લાદવામાં આવે છે. આ કારણે રાઠી હવે 22 મેના રોજ ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં રમી શકશે નહીં. જ્યારે આ સિઝનમાં અભિષેક શર્માની આ પહેલી ભૂલ હતી તેથી ફક્ત તેની મેચ ફી કાપવામાં આવી હતી. હવે પ્રશ્ન એ છે કે આ સિઝનમાં રાઠીને વારંવાર સજા કેમ મળી રહી છે?

રાઠીને વારંવાર સજા કેમ મળી રહી છે?

લખનૌ સુપર જાયન્ટ્સના ખેલાડી દિગ્વેશ રાઠીને આ સિઝનમાં ત્રીજી વખત સજા ફટકારવામાં આવી છે. આનું કારણ તેમની નોટબુક સ્ટાઈલ સેલિબ્રેશન છે. મેચ દરમિયાન જ્યારે પણ તે કોઈ ખેલાડીને આઉટ કરે છે ત્યારે તે 'નોટબુક સેલિબ્રેશન' કરે છે. જે આઉટ થનાર ખેલાડીને પસંદ નથી, અને આનાથી બે ખેલાડીઓ વચ્ચે દલીલ થાય છે.

વધુ વાંચો:

vtv app promotion

19 મેના મેચમાં પણ કંઈક આવું જ બન્યું. જ્યારે અભિષેક શર્મા આઉટ થઈને જવા લાગ્યો, ત્યારે રાઠીએ પોતાની શૈલીમાં ઉજવણી શરૂ કરી ત્યારબાદ એકાના સ્ટેડિયમમાં બંને ખેલાડીઓ વચ્ચે ઝઘડો થયો. જોકે બાદમાં BCCI ના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ બંને ખેલાડીઓ વચ્ચે સમાધાન કરાવ્યું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

LSG SPINNER DIGVESH RATHI IPL 2025 BCCI BANNED RATHI
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ