બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:42 PM, 17 December 2025
ટીમ ઈન્ડિયાના યુવા સ્ટાર ઓપનર બેટ્સમેન યશસ્વી જયસ્વાલને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના મહત્વપૂર્ણ મુકાબલા બાદ તેમની તબિયત અચાનક બગડતાં તેમને પુણેની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મેચ પૂરો થયા પછી યશસ્વીને પેટમાં ભારે દુખાવાની ફરિયાદ થઈ હતી, જે બાદ ટીમ મેનેજમેન્ટે તાત્કાલિક તબીબી સલાહ લઈ તેમને હોસ્પિટલ ખસેડ્યા.
ADVERTISEMENT
પુણેમાં રમાયેલા સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના સુપર લીગ ગ્રુપ-બીના મુકાબલામાં મુંબઈ અને રાજસ્થાન વચ્ચે રસપ્રદ લડત જોવા મળી હતી. આ મેચમાં મુંબઈએ રાજસ્થાનને ત્રણ વિકેટે પરાજય આપ્યો હતો. જોકે, આ મુકાબલા બાદ થોડા કલાકોમાં જ યશસ્વી જયસ્વાલની તબિયત ખરાબ થવાની માહિતી સામે આવી, જેના કારણે ક્રિકેટ જગતમાં ચિંતા ફેલાઈ ગઈ. તેમણે મેચમાં 16 બોલમાં માત્ર 15 રન બનાવ્યા હતા અને તેઓ પોતાની સ્વાભાવિક લયમાં દેખાયા નહોતા. મેચ બાદ જ્યારે દુખાવો વધી ગયો, ત્યારે તેમને તાત્કાલિક પુણેના આદિત્ય બિરલા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.

ADVERTISEMENT
અહેવાલ મુજબ, ડોક્ટરોને યશસ્વી જયસ્વાલને એક્યુટ ગેસ્ટ્રોએન્ટેરાઇટિસની સમસ્યા હોવાનું નિદાન કર્યું છે. આ સ્થિતિમાં પેટમાં દુખાવો, ઉલટી અને થાક જેવી સમસ્યાઓ જોવા મળે છે. હોસ્પિટલમાં દાખલ થયા બાદ તેમની સિટી સ્કેન અને અલ્ટ્રાસાઉન્ડ સહિતની જરૂરી તપાસો કરવામાં આવી હતી. તબીબોએ જણાવ્યું કે હાલ યશસ્વીની સ્થિતિ સ્થિર છે અને તેમને નિયમિત દવાઓ તેમજ પૂરતો આરામ લેવાની સલાહ આપવામાં આવી છે. સદનસીબે, કોઈ ગંભીર સમસ્યા સામે આવી નથી અને ટીમ મેનેજમેન્ટને આશા છે કે યશસ્વી ટૂંક સમયમાં સંપૂર્ણ રીતે સાજા થઈ જશે.
આ મેચની વાત કરીએ તો, મુંબઈની જીતમાં અનુભવી અજિંક્ય રહાણે અને સરફરાઝ ખાન મુખ્ય હીરો રહ્યા. રહાણેએ પોતાની અનુભવી બેટિંગથી નાબાદ 72 રન બનાવ્યા, જ્યારે સરફરાઝ ખાને માત્ર 22 બોલમાં 73 રનની વિસ્ફોટક ઇનિંગ રમીને મેચનું પલડું પલટાવી દીધોું બંનેએ મળીને માત્ર 38 બોલમાં 111 રનની ભાગીદારી કરી, જેના કારણે મુંબઈને જીત મળી.
ADVERTISEMENT
ADVERTISEMENT
યશસ્વી જયસ્વાલ હાલ ભારતીય ક્રિકેટના સૌથી પ્રતિભાશાળી યુવા ખેલાડીઓમાંના એક છે. તેમની તબિયત બગડવાના સમાચારથી ચાહકોમાં ચિંતા જોવા મળી રહી છે, પરંતુ ડોક્ટરોના હેલ્થ અપડેટ બાદ થોડી રાહત મળી છે. હવે તમામની નજર તેમના ઝડપી રિકવરી પર છે, જેથી તેઓ ફરીથી મેદાન પર પોતાની આક્રમક બેટિંગથી ચાહકોનું દિલ જીતી શકે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.