અમદાવાદમાં ટ્રેન ઉથલાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જે મામલે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જોકે કોઈએ આયોજન પૂર્વક આ કાવતરૂ ઘડ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે.
અમદાવાદમાં ટ્રેન ઉથલાવવનો પ્રયાસ
સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી
આયોજન પૂર્વક કાવતરૂ ઘડવામાં આવ્યું હોવાનું અનુમાન
અમદાવાદમાં એક મોટી ઘટના સામે આવી છે. જેમા શહેરમાં એક ટ્રેન ઉથલલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જેથી ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે પણ તપાસ આરંભી છે. આયોજન પૂર્વક આ કાવતરૂ ઘડવામાં આવ્યું હોય તેવું માનવામાં આવી રહ્યું છે.
10 કિમીના ગાળામાં 286 જેટલા ERC ઉખાડી નાખ્યા
મોરૈયાથી મટોડા વચ્ચે ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 10 કિમીના ગાળામાં 286 જેટલા એન્કર ERC ઉખાડી નાખ્યા હતા.તેવી માહિતી સામે આવી છે. એવું માનવામાં આવી રહ્યું છે. આ સમગ્ર કાવતરૂ ઈરાદાપૂર્વક કરવામાં આવી રહ્યું છે. જોકે સમગ્ર મામલે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી છે. જેથી પોલીસે તપાસ હાથ ધરી છે.