બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / somanth glass tunnel in sea
ADVERTISEMENT
સોમનાથ નજીક સમુદ્રમાં કાચની ટનલ બનાવાશે. જેનાથી દરિયાઈ જીવ સૃષ્ટીનો સાક્ષાત્કાર દરિયામાં જઈને કરી શકાશે અને દરિયાઈ જીવોને નજીકથી નીહાળી શકાશે. આ માટે રૂા. 300 કરોડ ફાળવવામાં આવ્યા છે.

ADVERTISEMENT
PM મોદી ટ્રસ્ટના ચેરમેન બન્યા રૂ.300 કરોડનો પ્રોજેક્ટને મંજૂરી આપી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં જ સોમનાથ ટ્રસ્ટનાં ચેરમેન બન્યા એ વખતે યોજાયેલી બેઠકમાં મંદિર સંકુલનાં ભુર્ગભમાં વિવિધ સ્થળોએ બાંધકામો હોવાનો આઇઆઇટી ગાંધીનગરનાં રિપોર્ટની ચર્ચા પણ થઇ હતી. સાથે અનેક વિકાસકામો હાથ ધરવાનાં નિર્ણય પણ થયા હતા. તેમાં આ કાચની ટનલ અંગે પણ ચર્ચા થઈ હતી.
ADVERTISEMENT

દરિયાની અંદર પાણીની જીવસૃષ્ટિ નિહાળી શકશે
ADVERTISEMENT
પર્યટકો આ ટનલમાં જઇ એક્વેરિયમની જેમ સોમનાથના દરિયાની અંદર પાણીની જીવસૃષ્ટિ નિહાળી શકશે. તો બીજા તબક્કામાં પાર્કિંગ ડોરમેટરી વચ્ચે થીમ આધારિત કેવ મ્યુઝિયમ બનશે. જેમાં પશુ-પક્ષી, વિવિધ સંપ્રદાય ધર્મ અને બાર જ્યોતિર્લિંગના ઓડીયો વીઝ્યુલનો પ્રોજેક્ટ હાથ ધરાશે. ત્રિવેણી દેહોત્સર્ગથી સામાકાંઠે કેબલ બ્રિજ, વોટર સ્પોર્ટસ, રેસ્ટોરન્ટ સહિતની સુવિધાઓ સાથે ઘાટને સુશોભીત કરાશે. સોમનાથ ટ્રસ્ટ આગામી દિવસોમાં પાર્વતી મંદિર નિર્માણ કરી રહ્યું છે. સાથે યાત્રિ પ્લાઝા ઉપરાંત શહિદ હમીરજી ગોહિલ સર્કલથી સીધી લીટીમાં સોમનાથ મંદિર જોઇ શકાય એવી વ્યવસ્થા ઉભી કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.