ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT

ADVERTISEMENT
આંતરડાના કેન્સર (colon cancer) પર સીધો વાર કરવા માટે હવે સ્માર્ટ નેનો જેલ (Smart gel) તૈયાર કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશના સોલન સ્થિત શૂલિની યુનિવર્સિટીના પ્રોફેસર અને તેમની ટીમે ઉંદર પર તેનું સફળ પરીક્ષણ કરી લીધું છે. ટૂંક સમયમાં જ માનવ શરીર પર પણ તેનું પરીક્ષણ કરવામાં આવશે. આ માધ્યમથી કેન્સરની દવાને યોગ્ય જગ્યાએ પહોંચાડી શકાશે. આ જેલ આંતરડાના કેન્સર માટે ખાસ લાભદાયક સાબિત થશે.
કેન્રસ નિરોધક સ્માર્ટ નેનો જેલ ટ્રાન્સપોર્ટરનું કામ કરશે. દુનિયામાં આજ સુધીમાં અનેક કેન્સર નિરોધક દવાઓની શોધ થઈ ચૂકી છે, જે કેન્સર પર નિયંત્રણ માટે અક્સીર સાબિત થાય છે, પરંતુ તે પહેલેથી જ કામ શરૂ કરી દે છે, જેનાથી સામાન્ય કોશિકાઓ ઉપર પણ તેની વિપરિત અસર પડે છે. આ સમસ્યાનું સમાધાન આ સ્માર્ટ નેનો જેલ છે, જે દવાને સીધી કેન્સર કોશિકાઓ સુધી પહોંચાડે છે અને તેને નષ્ટ કરી દેશે. તેનાથી શરીર પર કોઈ વિપરીત અસર પણ નહીં થાય.
ADVERTISEMENT

એ કેપ્સ્યુલ કે ટેબલેટના રૂપમાં હશે અને જ્યાં કેન્સર સેલ હશે ત્યાં જ કામ કરવાનું શરૂ કરશે. સ્કૂલ ઑફ ફાર્માસ્યૂટિકલ સાયન્સીસના એસોસિએટ પ્રોફેસર ડૉ.પૂનમ નેગીએ જણાવ્યું કે, તેમની ટીમ વર્ષ 2016થી આ પ્રોજેક્ટ પર કામ કરી રહી હતી. 2018માં તેમણે આ શોધની પેટન્ટ કરાવી હતી. તેમાં ડૉ. ચેતના વર્મા અને ડૉ. દીપક પઠાનિયાએ પણ યોગદાન આપ્યું હતું.
ADVERTISEMENT
ચેતના અને પૂનમે પીએચડી એકસાથે કર્યું હતું. ચેતના હવે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઑફ ટેક્નોલોજી (આઈઆઈટી) દિલ્હીમાં પોસ્ટ ડૉક્ટરલ ફેલો છે. ડૉ. દીપક પઠાનિયા જમ્મુના કેન્દ્રિય વિશ્વ વિદ્યાલયમાં રસાયણ વિજ્ઞાન વિભાગના પ્રમુખ છે. ડૉ. નેગીએ જણાવ્યું કે, ઉંદર અને અન્ય જાનવરો પર સફળ પરીક્ષણ બાદ હવે માનવ શરીર પર પણ નેનો સ્માર્ટ જેલનું પરીક્ષણ કરવામાં આવશે.

ADVERTISEMENT
અત્યાર સુધી કેન્સર માટે કીમોથેરાપી (Chemotherapy) ને અક્સીર ઈલાજ માનવામાં આવતો હતો, પરંતુ તેની ઘણી સાઈડ ઈફેક્ટ્સ પણ આવતી હતી. કેન્સર સૌથી જટિલ બીમારીઓમાં સામેલ છે અને દુનિયાભરમાં માનવજીવનને નુકસાનના મુખ્ય કારણોમાં પણ તે એક છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના તાજેતરના રિપોર્ટ અનુસાર, 2030 સુધીમાં વૈશ્વિક કેન્સર મૃત્યુદર 45થી વધીને 70 ટકા થવાની આશંકા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો